રૈયાધાર પાસે હુમલામાં સાત પકડાયા, કાલાવડ રોડ પર આતંક મચાવનાર ફરાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજકોટમાં કાયદો-વ્યવસ્થાની ધજ્જિયા ઉડાડતી વધુ બે ઘટનાઓ
શહેરમાં પોલીસની ઓસરી ગયેલી ધાકને કારણે માથાભારે તત્વો અને ગુંડાગીરી કરનારા લુખ્ખાઓ બેલગામ : સામાન્ય લોકોમાં ભય
રાજકોટ: શહેરમાં પોલીસનું કોઇ અસ્તિત્વ જ રહ્યું ન હોય તેમ સરાજાહેર રસ્તા ઉપર ગુંડાગીરી, લુખ્ખાગીરી અને મારામારીની ઘટનાઓ હવે સામાન્ય બની ગઇ છે. આ પ્રકારની ઘટનાઓના છાશવારે વીડિયો પણ વાયરલ થાય છે. જેને જોઇને લોકો પણ ફફડી જાય છે અને શહેરમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જોખમમાં હોવાનું અનુભવે છે. ગઇકાલે ગાંધીગ્રામ-૨ પોલીસ મથકની હદમાં કાલાવડ રોડ પરના એજી ચોક અને રૈયાધારના રાણીમા રૂડીમા ચોકમાં સરાજાહેર હુમલાની ઘટનાઓથી પોલીસની આબરૂના વધુ એક વખત ધજાગરા ઉડયા છે.
What's Your Reaction?






