Ahmedabad: લલ્લા બિહારી અને તેના પુત્ર સહિત 5 લોકો સામે ફરિયાદ નોંધાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદમાં મીની બાંગ્લાદેશ તરીકે ઓળખાતા ચંડોળામાં હાલ ગેરકાયદે બાંધકામો તોડવામાં આવી રહ્યાં છે. આ પહેલા અહીં રહેતા બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જ્યારે ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ ત્યારે ચંડોળામાં માસ્ટરમાઈન્ડ લલ્લા બિહારીનું આખું સામ્રાજ્ય બહાર આવ્યું હતું. તેના સામ્રાજ્ય પર પણ બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. લલ્લા બિહારી અને તેના પુત્ર સામે કાર્યવાહી કરવામાં આવી છે.
લલ્લા બિહારીના અલગ અલગ જગ્યાએ ત્રણ મકાનો
ડીસીપી ક્રાઈમ બ્રાંચ અજિત રાજિયાને જણાવ્યુ હતું કે, લલ્લા બિહારી અને તેના પુત્ર ફતેહ મોહમ્મદ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાંચે ફતેહ મોહમ્મદની ધરપકડ કરી છે. લલ્લા બિહારીના અલગ અલગ જગ્યાએ ત્રણ મકાનો છે. તેના મકાનોમાંથી સંવેદનશીલ દસ્તાવેજો મળી આવ્યા છે.જેમાં સહી સિક્કા વાળા સ્ટેમ્પ અને લેટરપેડ મળ્યાં છે. મકાનના ભાડા અને વ્યવસાયના હિસાબો મળ્યા છે.અગાઉ પિતા અને પુત્ર બંને જણા રાજસ્થાન રહેતા હતાં. ત્યાંથી તેઓ બિહાર ગયા હતાં.બિહારથી અમદાવાદ આવીને ચંડોળામાં વસ્યા અને સરકારી જગ્યામાં ગેરકાયદે દબાણ ઉભુ કર્યું છે.
આરોપીઓના ત્રણ મકાનો પર પોલીસે સર્ચ કર્યું
ડિસીપી ક્રાઈમ બ્રાંચ અજિત રાજિયાને વધુમાં જણાવ્યું હતું કે, આરોપીઓના ત્રણ મકાનો પર પોલીસે સર્ચ કર્યું છે. ડિમોલિશનની કામગીરી દરમિયાન કૂલ પાંચ આરોપીઓ વિરૂદ્ધ ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાઈ છે.આ ઉપરાંત ચંડોળા તળાવમાં દબાણ કરવા અંગે પણ ફરિયાદ નોંધાઈ છે. આ પહેલા લલ્લા બિહારી સામે ફોર્જરી, વીજચોરી અને પ્રોસ્ટીટ્યૂશન અંગેની ફરિયાદ પણ નોંધાઈ છે.
પાકા બાંધકામો તોડી પાડવામાં આવ્યાં
ચંડોળામાં આજે પણ ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જ્યાં પાકા બાંધકામો તોડી પાડવામાં આવ્યાં છે.ગરમીને કારણે બપોરે એકથી ત્રણ વાગ્યા સુધીમાં ડિમોલિશનની કામગીરી બંધ રખાશે. કેટલાક મકાનોમાં હજી વીજ કનેક્શન હોવાથી તે કાપ્યા બાદ તેને તોડવાની કામગીરી હાથ ધરાશે. આ ઉપરાંત જે મકાનોમાં સામાન છે તે ખાલી કર્યા બાદ તે મકાનો પણ તોડી પડાશે.
What's Your Reaction?






