Ahmedabadની સાબરમતી નદીમાં જળસપાટી વધતાં વાસણા બેરેજ અને સંત સરોવરના દરવાજા ખોલાયા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ શહેર અને તેના ઉપરવાસમાં સતત વરસી રહેલા વરસાદને પગલે સાબરમતી નદીની જળસપાટીમાં વધારો થયો છે. જેના કારણે જળ નિયંત્રણ જાળવવા માટે વાસણા બેરેજ અને સંત સરોવરના દરવાજા ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વાસણા બેરેજમાં હાલ પાણીની સપાટી 136.25 ફૂટ જેટલી નોંધાઈ છે. બેરેજનું લેવલ જાળવી રાખવા માટે તેના બે દરવાજા ખોલવામાં આવ્યા છે.
વાસણા બેરેજના 2 દરવાજા ખોલાયા
જેમાં પહેલો દરવાજો 0.5 ફૂટ (અડધો ફૂટ) અને બીજો દરવાજો 1.0 ફૂટ (એક ફૂટ) ખોલવામાં આવ્યા છે. વાસણા બેરેજમાંથી આશરે 1644 ક્યુસેક પાણીનો જથ્થો સાબરમતી નદીમાં છોડવામાં આવ્યો છે. ઉપરવાસમાં વરસાદની સારી આવક થવાના કારણે ગાંધીનગર નજીક આવેલા સંત સરોવરમાં પણ પાણીની આવક વધી છે. સંત સરોવરનું લેવલ જાળવવા માટે તેનો એક દરવાજો એક ફૂટ જેટલો ખોલવામાં આવ્યો છે.
સંત સરોવરનો 1 દરવાજો ખોલવામાં આવ્યો
જેના દ્વારા 1362 ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે. આમ વાસણા બેરેજ અને સંત સરોવર બંનેમાંથી કુલ મળીને 3000 ક્યુસેકથી વધુ પાણીનો જથ્થો સાબરમતી નદીમાં છોડવામાં આવ્યો છે. તંત્ર દ્વારા નદીમાં પાણીની આવક વધતાં સાબરમતી નદીના પટમાં આવેલા અને નીચાણવાળા ગામોના લોકોને નદીના પટમાં પ્રવેશ ન કરવા અને સાવચેત રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

