રૂપાલાના વિરોધમાં 7 એપ્રિલે ધંધુકામાં ક્ષત્રિય સમાજનું યોજાશે મહાસંમેલન

રવિવારે ધંધુકામાં ક્ષત્રિય સમાજનું યોજાશે મહા સંમેલન કરણીસેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ રહેશે હાજર અંદાજે 5 હજારથી વધુ ક્ષત્રિય સમાજના લોકો સંમેલનમાં રહેશે હાજર રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની નારી અંગે કરાયેલી ટીપ્પણીને લઈ ક્ષત્રિય સમાજમાં રોષ ભભકી ઉઠયો છે. ત્યારે રૂપાલાની ટિકીટ રદ કરવાની માંગ સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજમાં થઈ રહી છે. રૂપાલાની ટિકીટ રદ કરવાની માંગના પડઘા ભાલ પંથકમાં પણ પડયા છે. ધંધુકામાં પરસોત્તમ રૂપાલાની ટિકીટ રદ કરાવવા માટે તા. 7 એપ્રિલ 2024એ મહાસંમેલન યોજાશે. જેની રણનીતી ઘડવા તા.3 એપ્રિલના રાત્રીએ ધંધુકા રાજપૂત બોર્ડિંગમાં મીટિંગ યોજાઈ હતી. જેમા ધંધુકા, રાણપુર, બરવાળા અને ધોલેરા તાલુકાના ક્ષત્રિય સમાજના 500થી વધારે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.બરવાળા ખાતે અપાયું આવેદનપત્રલોકસભા ઉમેદવાર કેન્દ્રિય મંત્રી પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરાયેલ અભદ્ર ટિપ્પણી મામલે ક્ષત્રિય સમાજના રોષમાં થઈ રહ્યો છે બરવાળા ખાતે શહેર અને તાલુકાના ક્ષત્રિય સમાજના આગેવાનોએ મામલતદારને આવેદનપત્ર પાઠવી ઉમેદવારી રદ્દ કરવા કરી રજૂઆત કરી છે.રૂપાલાની અભદ્ર ટિપ્પણીથી ક્ષત્રિય સમાજની લાગણી દુભાઈ હોય તેને લઈ સામાજિક વૈમનસ્ય ફેલાવવા બદલ ઉમેદવારી રદ્દ કરાઈ તેવી માંગ સાથે મૌન રેલી યોજી બરવાળા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું તો બરવાળા મામલતદારે  આવેદન સ્વીકારી ઉચ્ચ કક્ષા સુધી રજૂઆત પહોંચાડવાની બાંહેધરી આપી હતી તો ક્ષત્રિય સમાજ દ્વારા કરાઇ રહેલા વિરોધની દિવસે ને દિવસે તિવ્રતા વધી રહી છે જેને લઈ રૂપાલાની મુશ્કેલીમાં વધારો થઈ શકી તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. રૂપાલા વિવાદનું સમાધાન શું ? ભાજપ માટે રાજકોટ બેઠકમાં સમસ્યા સતત વધી રહી છે. ભાજપ એટલા માટે પણ ફસાઈ છે કારણ કે હવે પાર્ટી કરે તો કરે શું ? આ સવાલ એટલા માટે કારણ કે ઉમેદવાર નહી બદલે તો રાજપૂતોની નારાજગી ભાજપે વહોરવી પડશે. રાજપૂતોનું કહેવું છે કે રાજ્યમાં 8 બેઠકો પર ભાજપને મોટું નુકસાન પહોંચાડવાની તાકાત રાજપૂતોની છે અને ભાજપ માગ નહી સ્વીકારે તો આગામી લોકસભા ચૂંટણીમાં પાર્ટી માટે ક્ષત્રિયો પડકાર સર્જશે. રૂપાલાને માફ કરવા અમે તૈયાર નહીં ક્ષત્રિય સમાજે કહ્યું કે, પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવી જ પડશે. સર્વાનુમતે માફી આપવાનું મંજુર નહીં. પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા અંગે જ ચર્ચા થઈ હતી. ભાજપના આગેવાનો સાથે બીજી કોઈ ચર્ચા થઈ નથી. જો ટિકિટ રદ નહીં થાય તો અપક્ષ ઉમેદવારી નોંધાવીશું.

રૂપાલાના વિરોધમાં 7 એપ્રિલે ધંધુકામાં ક્ષત્રિય સમાજનું યોજાશે મહાસંમેલન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રવિવારે ધંધુકામાં ક્ષત્રિય સમાજનું યોજાશે મહા સંમેલન
  • કરણીસેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ રહેશે હાજર
  • અંદાજે 5 હજારથી વધુ ક્ષત્રિય સમાજના લોકો સંમેલનમાં રહેશે હાજર

રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની નારી અંગે કરાયેલી ટીપ્પણીને લઈ ક્ષત્રિય સમાજમાં રોષ ભભકી ઉઠયો છે. ત્યારે રૂપાલાની ટિકીટ રદ કરવાની માંગ સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજમાં થઈ રહી છે. રૂપાલાની ટિકીટ રદ કરવાની માંગના પડઘા ભાલ પંથકમાં પણ પડયા છે. ધંધુકામાં પરસોત્તમ રૂપાલાની ટિકીટ રદ કરાવવા માટે તા. 7 એપ્રિલ 2024એ મહાસંમેલન યોજાશે. જેની રણનીતી ઘડવા તા.3 એપ્રિલના રાત્રીએ ધંધુકા રાજપૂત બોર્ડિંગમાં મીટિંગ યોજાઈ હતી. જેમા ધંધુકા, રાણપુર, બરવાળા અને ધોલેરા તાલુકાના ક્ષત્રિય સમાજના 500થી વધારે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

બરવાળા ખાતે અપાયું આવેદનપત્ર

લોકસભા ઉમેદવાર કેન્દ્રિય મંત્રી પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરાયેલ અભદ્ર ટિપ્પણી મામલે ક્ષત્રિય સમાજના રોષમાં થઈ રહ્યો છે બરવાળા ખાતે શહેર અને તાલુકાના ક્ષત્રિય સમાજના આગેવાનોએ મામલતદારને આવેદનપત્ર પાઠવી ઉમેદવારી રદ્દ કરવા કરી રજૂઆત કરી છે.રૂપાલાની અભદ્ર ટિપ્પણીથી ક્ષત્રિય સમાજની લાગણી દુભાઈ હોય તેને લઈ સામાજિક વૈમનસ્ય ફેલાવવા બદલ ઉમેદવારી રદ્દ કરાઈ તેવી માંગ સાથે મૌન રેલી યોજી બરવાળા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું તો બરવાળા મામલતદારે  આવેદન સ્વીકારી ઉચ્ચ કક્ષા સુધી રજૂઆત પહોંચાડવાની બાંહેધરી આપી હતી તો ક્ષત્રિય સમાજ દ્વારા કરાઇ રહેલા વિરોધની દિવસે ને દિવસે તિવ્રતા વધી રહી છે જેને લઈ રૂપાલાની મુશ્કેલીમાં વધારો થઈ શકી તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

રૂપાલા વિવાદનું સમાધાન શું ?

ભાજપ માટે રાજકોટ બેઠકમાં સમસ્યા સતત વધી રહી છે. ભાજપ એટલા માટે પણ ફસાઈ છે કારણ કે હવે પાર્ટી કરે તો કરે શું ? આ સવાલ એટલા માટે કારણ કે ઉમેદવાર નહી બદલે તો રાજપૂતોની નારાજગી ભાજપે વહોરવી પડશે. રાજપૂતોનું કહેવું છે કે રાજ્યમાં 8 બેઠકો પર ભાજપને મોટું નુકસાન પહોંચાડવાની તાકાત રાજપૂતોની છે અને ભાજપ માગ નહી સ્વીકારે તો આગામી લોકસભા ચૂંટણીમાં પાર્ટી માટે ક્ષત્રિયો પડકાર સર્જશે.

રૂપાલાને માફ કરવા અમે તૈયાર નહીં

ક્ષત્રિય સમાજે કહ્યું કે, પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવી જ પડશે. સર્વાનુમતે માફી આપવાનું મંજુર નહીં. પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા અંગે જ ચર્ચા થઈ હતી. ભાજપના આગેવાનો સાથે બીજી કોઈ ચર્ચા થઈ નથી. જો ટિકિટ રદ નહીં થાય તો અપક્ષ ઉમેદવારી નોંધાવીશું.