મદ્રેસાઓમાં નિરીક્ષણની કામગીરી પોલીસ બંદોબસ્ત સાથે કરવામાં આવશે

અમદાવાદ,રવિવારશિક્ષણ વિભાગ દ્વારા મદ્રેસાઓમાં શરૂ કરવામાં આવેલી સર્વેની કામગીરી દરમિયાન દરિયાપુર સુલતાન મહોલ્લામાં આવેલા મદ્રેસામાં કેટલાંક લોકોએ આચાર્ય તેમજ અન્ય સ્ટાફ પર જીવલેણ હુમલો કર્યો હતો. આ સમગ્ર કેસની તપાસ પોલીસ કમિશનરે અમદાવાદ ક્રાઇમબ્રાંચને સોંપી છે.  સાથેસાથે હવે મદ્રેસાઓમાં સર્વની કામગીરી દરમિયાન પોલીસ બંદોબસ્ત રાખવા માટે તાકીદ કરવામાં આવી છે.રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શનિવારથી એક સર્વે શરૂ કરાયો હતો. જેમાં મદ્રેસાઓમાં અભ્યાસ કરતા બાળકો અન્ય ખાનગી કે સરકારી શાળાઓમાં અભ્યાસ કરે છે કે કેમ? તે અગેનો રિપોર્ટ તૈયાર કરવા માટે શહેરની વિવિધ શાળાઓના આચાર્ય અને શિક્ષણ સ્ટાફને કામગીરી સોંપી હતી. જે અંતર્ગત બાપુનગર સ્થિત શ્રૂતિ હાયર સેકન્ડરી  હાઇસ્કૂલના આચાર્ય સંદિપ પટેલ તેમના સ્ટાફ સાથે દરિયાપુર સુલતાન મહોલ્લામાં આવેલી સૈયદ સુલતાની મસ્જિદ સ્થિત મદ્રેસામાં સર્વેની કામગીરી માટે ગયા હતા. તે સમયે કેટલાંક લોકોએ તેમના પર  હુમલો કરીને સરકારી કાગળો ફાડવાની સાથે મોબાઇલ ફોનની લૂંટ કરી હતી. આ બનાવની જાણ થતા દરિયાપુર પોલીસ તેમજ  ક્રાઇમબ્રાંચનો સ્ટાફ પહોંચી ગયો હતો. જેમાં બે વ્યક્તિની ધરપકડ કરીને અન્ય ત્રણ લોકોની ઓળખ કરવામાં આવી હતી. આ ગંભીર બનાવને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનરે શિક્ષણ વિભાગને તાકીદ કરી છે કે મદ્રેસા તેમજ અન્ય સંવેદનશીલ જગ્યાઓ પર સર્વેની કામગીરી દરમિયાન સ્થાનિક પોલીસનો બંદોબસ્ત મેળવવવામાં આવે છે. જેથી  આ પ્રકારના હુમલાને રોકી શકાય.  સાથેસાથે સમગ્ર કેસની તપાસ ક્રાઇમબ્રાંચને સોંપી છે.

મદ્રેસાઓમાં નિરીક્ષણની કામગીરી પોલીસ બંદોબસ્ત સાથે કરવામાં આવશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ,રવિવાર

શિક્ષણ વિભાગ દ્વારા મદ્રેસાઓમાં શરૂ કરવામાં આવેલી સર્વેની કામગીરી દરમિયાન દરિયાપુર સુલતાન મહોલ્લામાં આવેલા મદ્રેસામાં કેટલાંક લોકોએ આચાર્ય તેમજ અન્ય સ્ટાફ પર જીવલેણ હુમલો કર્યો હતો. આ સમગ્ર કેસની તપાસ પોલીસ કમિશનરે અમદાવાદ ક્રાઇમબ્રાંચને સોંપી છે.  સાથેસાથે હવે મદ્રેસાઓમાં સર્વની કામગીરી દરમિયાન પોલીસ બંદોબસ્ત રાખવા માટે તાકીદ કરવામાં આવી છે.રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શનિવારથી એક સર્વે શરૂ કરાયો હતો. જેમાં મદ્રેસાઓમાં અભ્યાસ કરતા બાળકો અન્ય ખાનગી કે સરકારી શાળાઓમાં અભ્યાસ કરે છે કે કેમ? તે અગેનો રિપોર્ટ તૈયાર કરવા માટે શહેરની વિવિધ શાળાઓના આચાર્ય અને શિક્ષણ સ્ટાફને કામગીરી સોંપી હતી. જે અંતર્ગત બાપુનગર સ્થિત શ્રૂતિ હાયર સેકન્ડરી  હાઇસ્કૂલના આચાર્ય સંદિપ પટેલ તેમના સ્ટાફ સાથે દરિયાપુર સુલતાન મહોલ્લામાં આવેલી સૈયદ સુલતાની મસ્જિદ સ્થિત મદ્રેસામાં સર્વેની કામગીરી માટે ગયા હતા. તે સમયે કેટલાંક લોકોએ તેમના પર  હુમલો કરીને સરકારી કાગળો ફાડવાની સાથે મોબાઇલ ફોનની લૂંટ કરી હતી. આ બનાવની જાણ થતા દરિયાપુર પોલીસ તેમજ  ક્રાઇમબ્રાંચનો સ્ટાફ પહોંચી ગયો હતો. જેમાં બે વ્યક્તિની ધરપકડ કરીને અન્ય ત્રણ લોકોની ઓળખ કરવામાં આવી હતી. આ ગંભીર બનાવને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનરે શિક્ષણ વિભાગને તાકીદ કરી છે કે મદ્રેસા તેમજ અન્ય સંવેદનશીલ જગ્યાઓ પર સર્વેની કામગીરી દરમિયાન સ્થાનિક પોલીસનો બંદોબસ્ત મેળવવવામાં આવે છે. જેથી  આ પ્રકારના હુમલાને રોકી શકાય.  સાથેસાથે સમગ્ર કેસની તપાસ ક્રાઇમબ્રાંચને સોંપી છે.