બાઈક રોડ ડિવાઇડર સાથે અથડાતા યુવાનનું મોત નીપજ્યું

ગાંધીનગર નજીક પેથાપુરના ગિરનારી આશ્રમ પાસેદસ દિવસ અગાઉ જ યુવાનના લગ્ન થયા હતા પેથાપુર પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કર્યોગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક પેથાપુર ગિરનારી આશ્રમ પાસે ગત મંગળવારની મોડી રાત્રે બાઈક લઈને પસાર થઈ રહેલા પેથાપુરના યુવાનનું બાઈક ડિવાઇડર સાથે અથડાતા ગંભીર ઈજાઓ પહોંચી હતી અને સારવાર માટે ગાંધીનગર સિવિલ લઈ જવાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. અકસ્માતની આ ઘટના અંગે પેથાપુર પોલીસે ગુનો દાખલ કર્યો છે.ગાંધીનગર શહેર તેમજ આસપાસના માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે શહેર નજીક પેથાપુરમાં સર્જાયેલા વધુ એક અકસ્માતમાં બાઈક સવાર યુવાનનું મોત થયું છે. જે ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર શહેર નજીક પેથાપુરની મોટી શેરીમાં રહેતા સાહિલસિંહ ભીખાજી ડાભીએ ફરિયાદ નોંધાવી હતી કે, તેમના નાના ભાઈ અજયના દસ દિવસ અગાઉ લગ્ન થયા હતા અને ગત મંગળવારની રાત્રે પરિવારજનો ઘરે હાજર હતા તે સમયે અજય તેનું બાઈક લઈને ચોકડીએ જઈને આવું છું તેમ કહીને ઘરેથી નીકળ્યો હતો. જોકે મોડી રાત સુધી તે પરત નહી ફરતા પરિવારજનો સૂઈ ગયા હતા. દરમ્યાનમાં રાત્રે એક વાગ્યાના સુમારે સાહિલના પિતરાઈ ભાઈએ ફોન કરીને કહ્યું હતું કે, અજયને ગિરનારી આશ્રમ પાસે અકસ્માત સર્જાતા ગંભીર ઇજાઓ પહોંચી છે અને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે. જેના પગલે પરિવારજનો સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં અજયના શરીરે ગંભીર ઇજાઓ હોવાથી સારવાર ચાલી રહી હતી. જો કે ટૂંકી સારવાર બાદ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. અજય ઘરેથી નીકળ્યા બાદ ગિરનારી આશ્રમ પાસે પહોંચ્યો હતો અને ત્યાં ડિવાઇડર સાથે બાઈક અથડાતા આ અકસ્માત સર્જાયો હોવાનું બહાર આવ્યું હતું. જેના પગલે પેથાપુર પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરીને તપાસ આદરી છે. 

બાઈક રોડ ડિવાઇડર સાથે અથડાતા યુવાનનું મોત નીપજ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


ગાંધીનગર નજીક પેથાપુરના ગિરનારી આશ્રમ પાસે

દસ દિવસ અગાઉ જ યુવાનના લગ્ન થયા હતા પેથાપુર પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કર્યો

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક પેથાપુર ગિરનારી આશ્રમ પાસે ગત મંગળવારની મોડી રાત્રે બાઈક લઈને પસાર થઈ રહેલા પેથાપુરના યુવાનનું બાઈક ડિવાઇડર સાથે અથડાતા ગંભીર ઈજાઓ પહોંચી હતી અને સારવાર માટે ગાંધીનગર સિવિલ લઈ જવાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. અકસ્માતની આ ઘટના અંગે પેથાપુર પોલીસે ગુનો દાખલ કર્યો છે.

ગાંધીનગર શહેર તેમજ આસપાસના માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે શહેર નજીક પેથાપુરમાં સર્જાયેલા વધુ એક અકસ્માતમાં બાઈક સવાર યુવાનનું મોત થયું છે. જે ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર શહેર નજીક પેથાપુરની મોટી શેરીમાં રહેતા સાહિલસિંહ ભીખાજી ડાભીએ ફરિયાદ નોંધાવી હતી કે, તેમના નાના ભાઈ અજયના દસ દિવસ અગાઉ લગ્ન થયા હતા અને ગત મંગળવારની રાત્રે પરિવારજનો ઘરે હાજર હતા તે સમયે અજય તેનું બાઈક લઈને ચોકડીએ જઈને આવું છું તેમ કહીને ઘરેથી નીકળ્યો હતો. જોકે મોડી રાત સુધી તે પરત નહી ફરતા પરિવારજનો સૂઈ ગયા હતા. દરમ્યાનમાં રાત્રે એક વાગ્યાના સુમારે સાહિલના પિતરાઈ ભાઈએ ફોન કરીને કહ્યું હતું કે, અજયને ગિરનારી આશ્રમ પાસે અકસ્માત સર્જાતા ગંભીર ઇજાઓ પહોંચી છે અને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે. જેના પગલે પરિવારજનો સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં અજયના શરીરે ગંભીર ઇજાઓ હોવાથી સારવાર ચાલી રહી હતી. જો કે ટૂંકી સારવાર બાદ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. અજય ઘરેથી નીકળ્યા બાદ ગિરનારી આશ્રમ પાસે પહોંચ્યો હતો અને ત્યાં ડિવાઇડર સાથે બાઈક અથડાતા આ અકસ્માત સર્જાયો હોવાનું બહાર આવ્યું હતું. જેના પગલે પેથાપુર પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરીને તપાસ આદરી છે.