કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિ પર લાઇટ એન્ડ સાઉન્ડ શો થશે શરૂ

મંગળવાર, શનિવાર,રવિવાર, પૂનમ, અમાસ અને તહેવારના દિવસે સાંજે ત્રણ-ત્રણ વાર શો કરાશે હનુમાનજીનું જીવન ચરિત્ર અને સાળંગપુરધામનો મહિમાં દર્શાવાશે આ શોમાં 4D AR ટેક્નોલોજીથી પ્રોજેક્શન મેપિંગ કરી શરૂ થશે સાળંગપુરમાં બિરાજિત શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરમાં દર વર્ષે ભક્તો માટે અલગ-અલગ નજરાણા જોવા મળી રહ્યા છે. હનુમાનજીના ધામમાં દરેક તહેવાર હર્ષોલ્લાસ સાથે ભવ્યાતિભવ્ય રીતે ઉજવાય છે. આ વર્ષે મંદિર પરિસરમાં હનુમાન જયંતી પછી ભક્તો માટે અહીં 54 ફૂટ ઊંચી પંચધાતૂમાંથી બનેલી કિંગ ઓફ સાળંગપુર હનુમાનજીની મૂર્તિ પર 4D AR (ઓગમેન્ટેડ રિઆલિટી) ટેક્નોલોજી દ્વારા લાઇટ એન્ડ સાઉન્ડ શો કરાશે. જેમાં હનુમાનજીનું જીવન ચરિત્ર અને સાળંગપુર ધામનો મહિમાં દર્શાવાશે. અદભુત શોનું આયોજન આ 4D AR લાઇટ એન્ડ સાઉન્ડ શો મંગળવાર, શનિવાર-રવિવાર, પૂનમ, અમાસ અને તહેવારના દિવસે સાંજે ત્રણ-ત્રણવાર કરાશે.સાળંગપુરમાં દર વર્ષે ભક્તો માટે અલગ-અલગ સુવિધાઓ શરૂ કરવામાં આવી રહી છે. જેમાં પહેલાં ગુજરતાનું સૌથી મોટું હાઇટેક ભોજનાલય, એ પછી પંચધાતૂમાંથી બનેલી કિંગ ઓફ સાળંગપુર હનુમાનજીની 54 ફૂટ ઊંચી મૂર્તિ અને અત્યારે નિર્માણાધિન ગુજરાતનું સૌથી મોટું ગેસ્ટ હાઉસ ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન અહીં દાદાના દર્શને આવતાં ભક્તો માટે બનાવવામાં આવી રહ્યા છે. ત્રણ-ત્રણવાર કરાશે શો આ 4D લાઇટ એન્ડ સાઉન્ડ શો સાંજે ત્રણ-ત્રણવાર કરાશે, આ ઉપરાંત હનુમાનજીએ બાળ અવસ્થામાં સૂર્યને ગળ્યો તે પણ એનિમેશન દ્વારા બતાવાયું છે. ગોપાળાનંદ સ્વામીએ સાળંગપુર હનુમાનજી મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરી તેને 175 વર્ષ પૂરા થયા તે પણ આ લાઇટ એન્ડ સાઉન્ડ શોમાં બતાવાયું છે. આ ઉપરાંત શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી દુખી જીવોના કામ કરે છે તે પણ લાઇટ એન્ડ સાઉન્ડ શોમાં બતાવવામાં આવ્યું છે. શો માટે કોઈ રૂપિયા નહી લાઇટ એન્ડ સાઉન્ડ શો માટે કેનેડાથી ખાસ 1.5 કરોડથી વધુનું પ્રોજેક્ટર મંગાવ્યું છે,હનુમાનજીના જીવન ચરિત્ર અને સાળંગપુર ધામનો મહિમા દર્શાવતો આ લાઇટ એન્ડ સાઉન્ડ શો એકદમ ફ્રીમાં ભક્તો નિહાળી શકશે. આ AR લાઇટ એન્ડ સાઉન્ડ શો માટે ખાસ કેનેડામાં બનેલું અંદાજે 1.5 કરોડથી વધુનું પ્રોજેક્ટર મંગાવ્યું છે. આ સાથે સરાઉન્ડ સાઉન્ડ સિસ્ટમ પણ મંગાવી છે. અહીં આવતા લોકો આ 4D લાઇટ એન્ડ સાઉન્ડ શો અભિભૂત થશે અને દાદાનો મહિમા સરળ રીતે જાણી શકશે. 

કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિ પર લાઇટ એન્ડ સાઉન્ડ શો થશે શરૂ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મંગળવાર, શનિવાર,રવિવાર, પૂનમ, અમાસ અને તહેવારના દિવસે સાંજે ત્રણ-ત્રણ વાર શો કરાશે
  • હનુમાનજીનું જીવન ચરિત્ર અને સાળંગપુરધામનો મહિમાં દર્શાવાશે આ શોમાં
  • 4D AR ટેક્નોલોજીથી પ્રોજેક્શન મેપિંગ કરી શરૂ થશે

સાળંગપુરમાં બિરાજિત શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરમાં દર વર્ષે ભક્તો માટે અલગ-અલગ નજરાણા જોવા મળી રહ્યા છે. હનુમાનજીના ધામમાં દરેક તહેવાર હર્ષોલ્લાસ સાથે ભવ્યાતિભવ્ય રીતે ઉજવાય છે. આ વર્ષે મંદિર પરિસરમાં હનુમાન જયંતી પછી ભક્તો માટે અહીં 54 ફૂટ ઊંચી પંચધાતૂમાંથી બનેલી કિંગ ઓફ સાળંગપુર હનુમાનજીની મૂર્તિ પર 4D AR (ઓગમેન્ટેડ રિઆલિટી) ટેક્નોલોજી દ્વારા લાઇટ એન્ડ સાઉન્ડ શો કરાશે. જેમાં હનુમાનજીનું જીવન ચરિત્ર અને સાળંગપુર ધામનો મહિમાં દર્શાવાશે.

અદભુત શોનું આયોજન

આ 4D AR લાઇટ એન્ડ સાઉન્ડ શો મંગળવાર, શનિવાર-રવિવાર, પૂનમ, અમાસ અને તહેવારના દિવસે સાંજે ત્રણ-ત્રણવાર કરાશે.સાળંગપુરમાં દર વર્ષે ભક્તો માટે અલગ-અલગ સુવિધાઓ શરૂ કરવામાં આવી રહી છે. જેમાં પહેલાં ગુજરતાનું સૌથી મોટું હાઇટેક ભોજનાલય, એ પછી પંચધાતૂમાંથી બનેલી કિંગ ઓફ સાળંગપુર હનુમાનજીની 54 ફૂટ ઊંચી મૂર્તિ અને અત્યારે નિર્માણાધિન ગુજરાતનું સૌથી મોટું ગેસ્ટ હાઉસ ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન અહીં દાદાના દર્શને આવતાં ભક્તો માટે બનાવવામાં આવી રહ્યા છે.


ત્રણ-ત્રણવાર કરાશે શો

આ 4D લાઇટ એન્ડ સાઉન્ડ શો સાંજે ત્રણ-ત્રણવાર કરાશે, આ ઉપરાંત હનુમાનજીએ બાળ અવસ્થામાં સૂર્યને ગળ્યો તે પણ એનિમેશન દ્વારા બતાવાયું છે. ગોપાળાનંદ સ્વામીએ સાળંગપુર હનુમાનજી મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરી તેને 175 વર્ષ પૂરા થયા તે પણ આ લાઇટ એન્ડ સાઉન્ડ શોમાં બતાવાયું છે. આ ઉપરાંત શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી દુખી જીવોના કામ કરે છે તે પણ લાઇટ એન્ડ સાઉન્ડ શોમાં બતાવવામાં આવ્યું છે.


શો માટે કોઈ રૂપિયા નહી

લાઇટ એન્ડ સાઉન્ડ શો માટે કેનેડાથી ખાસ 1.5 કરોડથી વધુનું પ્રોજેક્ટર મંગાવ્યું છે,હનુમાનજીના જીવન ચરિત્ર અને સાળંગપુર ધામનો મહિમા દર્શાવતો આ લાઇટ એન્ડ સાઉન્ડ શો એકદમ ફ્રીમાં ભક્તો નિહાળી શકશે. આ AR લાઇટ એન્ડ સાઉન્ડ શો માટે ખાસ કેનેડામાં બનેલું અંદાજે 1.5 કરોડથી વધુનું પ્રોજેક્ટર મંગાવ્યું છે. આ સાથે સરાઉન્ડ સાઉન્ડ સિસ્ટમ પણ મંગાવી છે. અહીં આવતા લોકો આ 4D લાઇટ એન્ડ સાઉન્ડ શો અભિભૂત થશે અને દાદાનો મહિમા સરળ રીતે જાણી શકશે.