કલોલના બિલેશ્વરપુરા નજીક ટ્રક પલટી ખાઈ જતા આધેડનું મોત, પોલીસે તપાસ હાથ ધરી

Road Accident In Kalol: કલોલના બિલેશ્વરપુરા હાઈવે પરથી પસાર થઈ રહેલો ટ્રક રોડની સાઈડમાં ઊભેલા આધેડ પર પલટી ગયો હતો. જેમાં આધેડનું મૃત્યુ થયું હતું. અકસ્માત પગલે હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી.મળતી માહિતી અનુસાર, બિલેશ્વરપુરા હાઇવે પર અંબાલાલ વાહનની રાહ જોઈને ઊભા હતા. આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલો ટ્રક અચાનક તેમના પર પલટી ખાઈ ગયો હતો. આ અકસ્માત થતાં લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આધેડને બહાર કાઢવાની કવાયત હાથ ધરી હતી. જો કે, ઘટના સ્થળે જ આધેડનું મૃત્યુ થયું હતું.અમદાવાદ મહેસાણા હાઇવે પર છાસવારે અકસ્માતો સર્જાતા રહે છે. બે દિવસ અગાઉ રાજપુર હાઈવે પર અજાણ્યા કાર ચાલકે ટક્કર મારતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. ત્યારબાદ આજે બિલેશ્વરપુરા ખાતે ચાલકે કાબુ ગુમાવતા પલટી ખાઈ ગઈ હતી. આ હાઈવે સાંકડો પડતો હોવાથી વાહન ચાલકોને તકલીફનો સામનો કરવો પડે છે.

કલોલના બિલેશ્વરપુરા નજીક ટ્રક પલટી ખાઈ જતા આધેડનું મોત, પોલીસે તપાસ હાથ ધરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Road Accident In Kalol

Road Accident In Kalol: કલોલના બિલેશ્વરપુરા હાઈવે પરથી પસાર થઈ રહેલો ટ્રક રોડની સાઈડમાં ઊભેલા આધેડ પર પલટી ગયો હતો. જેમાં આધેડનું મૃત્યુ થયું હતું. અકસ્માત પગલે હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી.

મળતી માહિતી અનુસાર, બિલેશ્વરપુરા હાઇવે પર અંબાલાલ વાહનની રાહ જોઈને ઊભા હતા. આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલો ટ્રક અચાનક તેમના પર પલટી ખાઈ ગયો હતો. આ અકસ્માત થતાં લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આધેડને બહાર કાઢવાની કવાયત હાથ ધરી હતી. જો કે, ઘટના સ્થળે જ આધેડનું મૃત્યુ થયું હતું.

અમદાવાદ મહેસાણા હાઇવે પર છાસવારે અકસ્માતો સર્જાતા રહે છે. બે દિવસ અગાઉ રાજપુર હાઈવે પર અજાણ્યા કાર ચાલકે ટક્કર મારતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. ત્યારબાદ આજે બિલેશ્વરપુરા ખાતે ચાલકે કાબુ ગુમાવતા પલટી ખાઈ ગઈ હતી. આ હાઈવે સાંકડો પડતો હોવાથી વાહન ચાલકોને તકલીફનો સામનો કરવો પડે છે.