અમદાવાદ મ્યુનિ.તંત્રની પહેલ શહેરીજનો ઘર આંગણે શાકભાજી ઉગાડી શકશે,તાલિમ વર્ગ શરુ કરાયા

        અમદાવાદ,શુક્રવાર,7 જુન,2024અમદાવાદ મ્યુનિસિપલ તંત્ર દ્વારા નવી પહેલ કરવામાં આવી છે.શહેરીજનો તેમના ઘર આંગણે શાકભાજી અને ફૂલ છોડનો ઉછેર કરી શકે એ માટે તાલિમ વર્ગ શરુ કરવામાં આવ્યા છે.શહેરીજનોને ગાર્ડન મેઈન્ટેનન્સની તાલિમ મેળવવા મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ ઉપર રજિસ્ટ્રેશન કરાવવુ પડશે.રજિસ્ટ્રેશન કરાવનારા શહેરીજનોને આ તાલિમ વિનામૂલ્યે આપવામાં આવશે.વિશ્વ પર્યાવરણ દિવસથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રસાલા ગાર્ડન ખાતે ગાર્ડન મેઈન્ટેનન્સની તાલિમ આપતા વર્ગ શરુ કરવામા આવ્યા છે.રિક્રીએશન કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદીએ કહયુ, સોમવારથી શનિવાર સુધી સવારે ૮થી ૧૦ કલાક દરમિયાન એક બેચને ત્રણ દિવસ તાલિમ આપવામા આવશે. ૩૦ લોકોને એક બેચમાં તાલિમ અપાશે.જેમા એક કલાક પ્રેકટિકલ તથા એક કલાક થિયરીનો સમય રહેશે.સો દિવસ સુધી શહેરીજનોને આ અંગે તાલિમ આપવામા આવશે.સૂર્યપ્રકાશની દિશા મુજબ કિચન ગાર્ડન માટેના સ્થળની પસંદગી કરવા અંગેના માર્ગદર્શન ઉપરાંત કુંડાની પસંદગી, માટી અને ખાતર કેટલા પ્રમાણમાં અને કયારે નાંખવા તેમજ બીયારણ અને ધરુ તૈયાર કરવા તેમજ શાકભાજી કયારે ઉતારવા સહિતની અન્ય બાબતની શહેરીજનોને તાલિમ આપવામા આવશે.ઉપરાંત જીવાતની ઓળખ અને તેના રક્ષણ અંગેની તાલિમ પણ શહેરીજનોને આપવામા આવશે.આસોપાલવ, ગુલમહોર સહિતના રોપા ઘેર બેઠા લોકો મેળવી શકશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સેવા એપ્લિકેશન ઉપર રજિસ્ટ્રેશન કરાવવાથી શહેરીજનો આસોપાલવ,ગુલમહોર, સપ્તપર્ણી, વડ ઉપરાંત ખાટી આંબલી,ગોરસ આંબલી, રાયણ, લીમડો,પીપળો અને તુલસી સહિતના રોપા ઘેર બેઠા વિનામૂલ્યે મેળવી શકશે.

અમદાવાદ મ્યુનિ.તંત્રની પહેલ શહેરીજનો ઘર આંગણે શાકભાજી ઉગાડી શકશે,તાલિમ વર્ગ શરુ કરાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

       

 અમદાવાદ,શુક્રવાર,7 જુન,2024

અમદાવાદ મ્યુનિસિપલ તંત્ર દ્વારા નવી પહેલ કરવામાં આવી છે.શહેરીજનો તેમના ઘર આંગણે શાકભાજી અને ફૂલ છોડનો ઉછેર કરી શકે એ માટે તાલિમ વર્ગ શરુ કરવામાં આવ્યા છે.શહેરીજનોને ગાર્ડન મેઈન્ટેનન્સની તાલિમ મેળવવા મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ ઉપર રજિસ્ટ્રેશન કરાવવુ પડશે.રજિસ્ટ્રેશન કરાવનારા શહેરીજનોને આ તાલિમ વિનામૂલ્યે આપવામાં આવશે.

વિશ્વ પર્યાવરણ દિવસથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રસાલા ગાર્ડન ખાતે ગાર્ડન મેઈન્ટેનન્સની તાલિમ આપતા વર્ગ શરુ કરવામા આવ્યા છે.રિક્રીએશન કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદીએ કહયુ, સોમવારથી શનિવાર સુધી સવારે ૮થી ૧૦ કલાક દરમિયાન એક બેચને ત્રણ દિવસ તાલિમ આપવામા આવશે. ૩૦ લોકોને એક બેચમાં તાલિમ અપાશે.જેમા એક કલાક પ્રેકટિકલ તથા એક કલાક થિયરીનો સમય રહેશે.સો દિવસ સુધી શહેરીજનોને આ અંગે તાલિમ આપવામા આવશે.સૂર્યપ્રકાશની દિશા મુજબ કિચન ગાર્ડન માટેના સ્થળની પસંદગી કરવા અંગેના માર્ગદર્શન ઉપરાંત કુંડાની પસંદગી, માટી અને ખાતર કેટલા પ્રમાણમાં અને કયારે નાંખવા તેમજ બીયારણ અને ધરુ તૈયાર કરવા તેમજ શાકભાજી કયારે ઉતારવા સહિતની અન્ય બાબતની શહેરીજનોને તાલિમ આપવામા આવશે.ઉપરાંત જીવાતની ઓળખ અને તેના રક્ષણ અંગેની તાલિમ પણ શહેરીજનોને આપવામા આવશે.

આસોપાલવ, ગુલમહોર સહિતના રોપા ઘેર બેઠા લોકો મેળવી શકશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સેવા એપ્લિકેશન ઉપર રજિસ્ટ્રેશન કરાવવાથી શહેરીજનો આસોપાલવ,ગુલમહોર, સપ્તપર્ણી, વડ ઉપરાંત ખાટી આંબલી,ગોરસ આંબલી, રાયણ, લીમડો,પીપળો અને તુલસી સહિતના રોપા ઘેર બેઠા વિનામૂલ્યે મેળવી શકશે.