Vadodra News : વાઘોડિયાના ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ કહ્યુ,ક્ષત્રિય સમાજ ભાજપની સાથે છે

વાઘોડિયા વિધાનસભાની પેટાચૂંટણી માટે ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ભર્યું ફોર્મ આજે મારી રેલી નિહાળી ને અન્ય ઉમેદવારો ના સપના રોળાઈ ગયા : ધર્મેન્દ્રસિંહ વાઘેલા કાર્યકરોમાં ખૂબ ઉત્સાહ છે આવતીકાલથી પ્રચાર કરીશુ : ધર્મેન્દ્રસિંહ વાઘેલા વડોદરાના વાઘોડિયા વિધાનસભા પર પેટા ચૂંટણી યોજાઇ રહી છે. આ બેઠક પર ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા એ આજે મોટી સંખ્યામાં સમર્થકો સાથે રેલી સ્વરૂપે મામતલદાર કચેરીએ ફોર્મ ભરવા ગયા હતા. તેમણે એક લાખની લિડથી જીતવાનો વિશ્વાસ મીડિયા સમક્ષ વ્યક્ત કર્યો છે. આ રેલીમાં વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ જોડાયા હતા.ધમેન્દ્રસિંહે વધુમા કહ્યું હતુ કે વિકાસના કામમાં કોઈ અડચણ કરશે તો છોડવામાં નહીં આવે. રાજીનામું આપી દેતા પેટા ચૂંટણી યોજાઇ વડોદરામાં લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણીને લઇ તંત્ર કમર કસી રહ્યું છે. વાઘોડિયા બેઠક પરના અપક્ષ ચૂંટાયેલા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામું આપી દેતા પેટા ચૂંટણી યોજાઇ રહી છે. ધારાસભ્ય તરીકે રાજીનામું આપીને તેઓ ભાજપમાં જોડાયા હતા. આ વખતે ભાજપ દ્વારા તેમને વાઘોડિયા વિધાનસભાના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. તો સામે કોંગ્રેસ દ્વારા કનુભાઇ ગોહિલને તાજેતરમાં ઉમેદવાર જાહેર કર્યા છે. વાઘોડિયા વિધાનસભા બેઠકની ગત ચૂંટણી ભારે રસાકસી વાળી બની હતી. ભાજપે પૂર્વ ધારાસભ્ય અને બાહુબલી નેતા મધુ શ્રીવાસ્તવની ટીકીટ કાપીને અશ્વિન પટેલને ઉમેદવાર બનાવ્યા હતા. જે બાદ મધુ શ્રીવાસ્તવે અપક્ષ ઉમેદવારી કરીને ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. જો કે આ ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાની જીત થઇ હતી. વાઘોડિયાની જનતા સમજદાર છે : ધમેન્દ્રસિંહ વાઘોડિયા વિધાનસભા પર પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું કે, આજે માતા-પિતાના આશિર્વાદ લઇ, માં કુળદેવી અને હનુમાનજીના દર્શન કરી, ઘરેથી મહારૂદ્ર મહાદેવ માડોઘર જઇને પૂજા-અર્ચના કરીને કાર્યકરો સાથે રેલી સ્વરૂપે મામતલદાર કચેરીએ જઇ નામાંકન ફોર્મ ભર્યુ છે. દેશના વડાપ્રધાન અને રાજ્યના મુખ્યમંત્રીના નેતૃત્વમાં ડબલ એન્જિન સરકારના વાઘોડિયા વિધાનસભાનો ડબલ ગતિથી વિકાસ થાય તે જનતા જાણે છે. આ વખતે મને અને લોકસભા બેઠકના ભાજપના ઉમેદવારને એક લાખની લીડથી વાઘોડિયા વિધાનસભાની જનતા જીતાડશે. કોંગ્રેસ આખા ગુજરાતમાં નહિ પણ દેશમાં કોઇ પણ જગ્યાએ નથી. તમામ વાઘોડિયાની જનતા જાણે છે, કોંગ્રેસને મત આપીને મત બગડવાનો છે. વાઘોડિયાની જનતા સમજૂ મતદારો છે. અને ભાજપને મોટી લીડથી જીતાડશે.

Vadodra News : વાઘોડિયાના ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ કહ્યુ,ક્ષત્રિય સમાજ ભાજપની સાથે છે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વાઘોડિયા વિધાનસભાની પેટાચૂંટણી માટે ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ભર્યું ફોર્મ
  • આજે મારી રેલી નિહાળી ને અન્ય ઉમેદવારો ના સપના રોળાઈ ગયા : ધર્મેન્દ્રસિંહ વાઘેલા
  • કાર્યકરોમાં ખૂબ ઉત્સાહ છે આવતીકાલથી પ્રચાર કરીશુ : ધર્મેન્દ્રસિંહ વાઘેલા

વડોદરાના વાઘોડિયા વિધાનસભા પર પેટા ચૂંટણી યોજાઇ રહી છે. આ બેઠક પર ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા એ આજે મોટી સંખ્યામાં સમર્થકો સાથે રેલી સ્વરૂપે મામતલદાર કચેરીએ ફોર્મ ભરવા ગયા હતા. તેમણે એક લાખની લિડથી જીતવાનો વિશ્વાસ મીડિયા સમક્ષ વ્યક્ત કર્યો છે. આ રેલીમાં વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ જોડાયા હતા.ધમેન્દ્રસિંહે વધુમા કહ્યું હતુ કે વિકાસના કામમાં કોઈ અડચણ કરશે તો છોડવામાં નહીં આવે.

રાજીનામું આપી દેતા પેટા ચૂંટણી યોજાઇ

વડોદરામાં લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણીને લઇ તંત્ર કમર કસી રહ્યું છે. વાઘોડિયા બેઠક પરના અપક્ષ ચૂંટાયેલા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામું આપી દેતા પેટા ચૂંટણી યોજાઇ રહી છે. ધારાસભ્ય તરીકે રાજીનામું આપીને તેઓ ભાજપમાં જોડાયા હતા. આ વખતે ભાજપ દ્વારા તેમને વાઘોડિયા વિધાનસભાના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. તો સામે કોંગ્રેસ દ્વારા કનુભાઇ ગોહિલને તાજેતરમાં ઉમેદવાર જાહેર કર્યા છે. વાઘોડિયા વિધાનસભા બેઠકની ગત ચૂંટણી ભારે રસાકસી વાળી બની હતી. ભાજપે પૂર્વ ધારાસભ્ય અને બાહુબલી નેતા મધુ શ્રીવાસ્તવની ટીકીટ કાપીને અશ્વિન પટેલને ઉમેદવાર બનાવ્યા હતા. જે બાદ મધુ શ્રીવાસ્તવે અપક્ષ ઉમેદવારી કરીને ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. જો કે આ ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાની જીત થઇ હતી.


વાઘોડિયાની જનતા સમજદાર છે : ધમેન્દ્રસિંહ

વાઘોડિયા વિધાનસભા પર પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું કે, આજે માતા-પિતાના આશિર્વાદ લઇ, માં કુળદેવી અને હનુમાનજીના દર્શન કરી, ઘરેથી મહારૂદ્ર મહાદેવ માડોઘર જઇને પૂજા-અર્ચના કરીને કાર્યકરો સાથે રેલી સ્વરૂપે મામતલદાર કચેરીએ જઇ નામાંકન ફોર્મ ભર્યુ છે. દેશના વડાપ્રધાન અને રાજ્યના મુખ્યમંત્રીના નેતૃત્વમાં ડબલ એન્જિન સરકારના વાઘોડિયા વિધાનસભાનો ડબલ ગતિથી વિકાસ થાય તે જનતા જાણે છે. આ વખતે મને અને લોકસભા બેઠકના ભાજપના ઉમેદવારને એક લાખની લીડથી વાઘોડિયા વિધાનસભાની જનતા જીતાડશે. કોંગ્રેસ આખા ગુજરાતમાં નહિ પણ દેશમાં કોઇ પણ જગ્યાએ નથી. તમામ વાઘોડિયાની જનતા જાણે છે, કોંગ્રેસને મત આપીને મત બગડવાનો છે. વાઘોડિયાની જનતા સમજૂ મતદારો છે. અને ભાજપને મોટી લીડથી જીતાડશે.