સ્માર્ટ મીટરના બિલ કેમ વધારે આવી રહ્યાં છે? ઊર્જા વિકાસ નિગમના એમડીએ જણાવ્યું કારણ

Smart Meter Controversy: ગુજરાતમાં વીજળીના સ્માર્ટ મીટર નાંખવાની પ્રક્રિયા દરમ્યાન કેટલીક ગેરસમજ ઉભી થતાં ગ્રાહકોના જૂના પેન્ડીંગ બીલોની રકમ હવે પછી સ્માર્ટ મીટરના રિચાર્જમાં ભરવાની રહેશે નહીં, કારણ કે તેના માટે અલગ વ્યવસ્થા વિચારવામાં આવી છે. ઉર્જા વિભાગની કંપનીઓ જૂના મીટરની બાકી રકમ હવે ઉમેરશે નહીં.નવા મીટરમાં પાછલી બાકી રકમનો ઉમેરો જવાબદાર ઉર્જા વિકાસ નિગમના એમડી જયપ્રકાશ શિવહરેએ કહ્યું હતું કે રાજ્યમાં સ્માર્ટ મીટરનો જે વિરોધ થઈ રહ્યો છે તે માત્ર ગેરસમજ છે. સરકારી કચેરીઓ, ઉર્જા વિભાગની કોલોનીઓમાં પણ નવા મીટર નાંખ્યા છે પરંતુ તેમાં બીલમાં કોઈ ફરક આવતો નથી. કેટલાક ગ્રાહકોએ જે વિરોધ કર્યો છે તેમાંથી મોટાભાગના કેસોમાં પાછલી બાકી રકમનો થઈ રહેલો ઉમેરો જવાબદાર છે. જૂના બીલોની રકમ અલગથી બીલ આપીને વસૂલ થશે તેમણે કહ્યું કે હવે અગાઉના પેન્ડીંગ બીલની રકમનો ઉમેરો થશે નહીં. સ્માર્ટ મીટરમાં દરરોજની વપરાશની સાથે પેન્ડીંગ બીલોની રોજેરોજની ભરવાની થતી રકમ કપાતી હતી, જેના કારણે વિવાદ અને વિરોધ શરૂ થયો છે પરંતુ હવે વીજ કંપનીઓ પાછલી રકમ તેમાં ઉમેરશે નહીં. જૂના બીલોની રકમ અલગથી બીલ આપીને વસૂલ કરાશે.ફરિયાદનો વ્યક્તિગત ધોરણે ઉકેલ લાવવામાં આવશે ઘણાં કેસોમાં જૂના પેન્ડીંગ બીલોમાં 180 હપ્તા કરી આપવામાં આવેલા છે. અત્યાર સુધી રોજેરોજની ગણતરીમાં રિચાર્જ કરતી વખતે આ રકમનો દૈનિક ધોરણે ઉમેરો થતો હતો. જો કે આમ છતાં જે ગ્રાહકોના બીલમાં વધારે રકમ ભરવાની આવશે તો તેમની ફરિયાદનો વ્યક્તિગત ધોરણે ઉકેલ કરી અપાશે.

સ્માર્ટ મીટરના બિલ કેમ વધારે આવી રહ્યાં છે? ઊર્જા વિકાસ નિગમના એમડીએ જણાવ્યું કારણ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Smart Meter Controversy: ગુજરાતમાં વીજળીના સ્માર્ટ મીટર નાંખવાની પ્રક્રિયા દરમ્યાન કેટલીક ગેરસમજ ઉભી થતાં ગ્રાહકોના જૂના પેન્ડીંગ બીલોની રકમ હવે પછી સ્માર્ટ મીટરના રિચાર્જમાં ભરવાની રહેશે નહીં, કારણ કે તેના માટે અલગ વ્યવસ્થા વિચારવામાં આવી છે. ઉર્જા વિભાગની કંપનીઓ જૂના મીટરની બાકી રકમ હવે ઉમેરશે નહીં.

નવા મીટરમાં પાછલી બાકી રકમનો ઉમેરો જવાબદાર 

ઉર્જા વિકાસ નિગમના એમડી જયપ્રકાશ શિવહરેએ કહ્યું હતું કે રાજ્યમાં સ્માર્ટ મીટરનો જે વિરોધ થઈ રહ્યો છે તે માત્ર ગેરસમજ છે. સરકારી કચેરીઓ, ઉર્જા વિભાગની કોલોનીઓમાં પણ નવા મીટર નાંખ્યા છે પરંતુ તેમાં બીલમાં કોઈ ફરક આવતો નથી. કેટલાક ગ્રાહકોએ જે વિરોધ કર્યો છે તેમાંથી મોટાભાગના કેસોમાં પાછલી બાકી રકમનો થઈ રહેલો ઉમેરો જવાબદાર છે. 

જૂના બીલોની રકમ અલગથી બીલ આપીને વસૂલ થશે 

તેમણે કહ્યું કે હવે અગાઉના પેન્ડીંગ બીલની રકમનો ઉમેરો થશે નહીં. સ્માર્ટ મીટરમાં દરરોજની વપરાશની સાથે પેન્ડીંગ બીલોની રોજેરોજની ભરવાની થતી રકમ કપાતી હતી, જેના કારણે વિવાદ અને વિરોધ શરૂ થયો છે પરંતુ હવે વીજ કંપનીઓ પાછલી રકમ તેમાં ઉમેરશે નહીં. જૂના બીલોની રકમ અલગથી બીલ આપીને વસૂલ કરાશે.

ફરિયાદનો વ્યક્તિગત ધોરણે ઉકેલ લાવવામાં આવશે 

ઘણાં કેસોમાં જૂના પેન્ડીંગ બીલોમાં 180 હપ્તા કરી આપવામાં આવેલા છે. અત્યાર સુધી રોજેરોજની ગણતરીમાં રિચાર્જ કરતી વખતે આ રકમનો દૈનિક ધોરણે ઉમેરો થતો હતો. જો કે આમ છતાં જે ગ્રાહકોના બીલમાં વધારે રકમ ભરવાની આવશે તો તેમની ફરિયાદનો વ્યક્તિગત ધોરણે ઉકેલ કરી અપાશે.