Surengranagar: સણોસરાના કોન્ટ્રાક્ટરનું અપહરણ કરી ખંડણી માંગવાના કેસમાં આરોપીની જામીન અરજીનામંજૂર

આ છરી કોઈની સગી નહીં થાય, તને જાનથી મારી નાંખીશું તેવી ધમકી આપી હતીભોગ બનનારે ચોટીલા પોલીસ મથકે ખેરાણાના 3 શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી ત્રીજા એડીશનલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજની કોર્ટમાં જામીન પર મુકત થવા અરજી કરી હતી ચોટીલા તાલુકાના સણોસરા ગામે રહેતા કીશનભાઈ કમાભાઈ કટેશીયા શકિત કન્સ્ટ્રકશન નામે કોન્ટ્રાકટનું કામ કરે છે. ત્રણેક માસ પહેલા ખેરાણાનો અજય જશકુભાઈ ધાધલ રાતના સમયે તેમના ઘરે આવ્યો હતો. અને તારા નામે રણજીત ગભરૂભાઈ ધાધલે મારી પાસેથી રૂ. 20 હજાર ઉછીના લીધા છે. જે તું આપી દે તેમ કહ્યુ હતુ. જેમાં કીશનભાઈએ મેં રૂપીયા લીધા નથી, અને મેં રણજીતને મારા નામે લેવાનું કીધુ નથી, તમે મને કેમ હેરાન કરો છો તેમ કહ્યુ હતુ. બાદમાં તા. 16મી મેના રોજ રાત્રે અજયે ફોન કરી કીશનભાઈને સણોસરાની ગ્રામીણ બેંક પાસે બોલાવ્યા હતા. અને કાળા કલરની સ્કોર્પીયો કારમાં અજય ધાધલ, રણજીત ધાધલ અને અજયના કાકાના દીકરાએ બળજબરી પુર્વક કીશનભાઈને કારમાં બેસાડી અપહરણ કર્યુ હતુ. જેમાં કાર અજયના કાકાનો દીકરો ચલાવતો હતો. અને પાછળની સીટ પર બન્ને શખ્સો કીશનભાઈને ઢીકાપાટુનો માર મારતા હતા. આ દરમિયાન અજયે છરી કાઢી કીશનભાઈ ગળા પર રાખી આ છરી કોઈની સગી નહીં થાય, તને જાનથી મારી નાંખીશુ તેમ કહી કન્સ્ટ્રકશનના કામમાં અડધા રૂપીયાની ખંડણી માંગી હતી. જેમાં કીશનભાઈને પૈસા દેવાની હા પાડતા કાર ધીમી કરી તેઓને બહાર ઉતારી તેમના મોબાઈલનો ઘા કરી દીધો હતો. બનાવની ચોટીલા પોલીસ મથકે ખેરાણાના અજય જશકુભાઈ ધાધલ, રણજીત ગભરૂભાઈ ધાલધ અને અજયના કાકાના દિકરા સામે ફરિયાદ નોંધાઈ હતી. આ કેસમાં જેલવાસ ભોગવતા આરોપી રણજીત ગભરૂભાઈ ધાધલે સુરેન્દ્રનગર ત્રીજા એડીશનલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજની કોર્ટમાં જામીન પર મુકત થવા અરજી કરી હતી. આ અરજીની સુનાવણી થતા સરકારી વકીલ પી.જી.રાવલે દલીલો કરતા જણાવ્યુ કે, અરજદાર આરોપીએ ભોગ બનનારને મૃત્યુના ભયમાં મુકવાનું કૃત્ય કરેલ છે. આ કેસના સહ આરોપી ફરાર છે. આથી ત્રીજા એડીશનલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ એન.જી.શાહે અરજદાર આરોપી રણજીત ધાધલની જામીન પર મુકત થવાની અરજી નામંજૂર કરી છે.

Surengranagar: સણોસરાના કોન્ટ્રાક્ટરનું અપહરણ કરી ખંડણી માંગવાના કેસમાં આરોપીની જામીન અરજીનામંજૂર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • આ છરી કોઈની સગી નહીં થાય, તને જાનથી મારી નાંખીશું તેવી ધમકી આપી હતી
  • ભોગ બનનારે ચોટીલા પોલીસ મથકે ખેરાણાના 3 શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી
  • ત્રીજા એડીશનલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજની કોર્ટમાં જામીન પર મુકત થવા અરજી કરી હતી

ચોટીલા તાલુકાના સણોસરા ગામે રહેતા કીશનભાઈ કમાભાઈ કટેશીયા શકિત કન્સ્ટ્રકશન નામે કોન્ટ્રાકટનું કામ કરે છે. ત્રણેક માસ પહેલા ખેરાણાનો અજય જશકુભાઈ ધાધલ રાતના સમયે તેમના ઘરે આવ્યો હતો. અને તારા નામે રણજીત ગભરૂભાઈ ધાધલે મારી પાસેથી રૂ. 20 હજાર ઉછીના લીધા છે. જે તું આપી દે તેમ કહ્યુ હતુ. જેમાં કીશનભાઈએ મેં રૂપીયા લીધા નથી, અને મેં રણજીતને મારા નામે લેવાનું કીધુ નથી, તમે મને કેમ હેરાન કરો છો તેમ કહ્યુ હતુ. બાદમાં તા. 16મી મેના રોજ રાત્રે અજયે ફોન કરી કીશનભાઈને સણોસરાની ગ્રામીણ બેંક પાસે બોલાવ્યા હતા. અને કાળા કલરની સ્કોર્પીયો કારમાં અજય ધાધલ, રણજીત ધાધલ અને અજયના કાકાના દીકરાએ બળજબરી પુર્વક કીશનભાઈને કારમાં બેસાડી અપહરણ કર્યુ હતુ. જેમાં કાર અજયના કાકાનો દીકરો ચલાવતો હતો. અને પાછળની સીટ પર બન્ને શખ્સો કીશનભાઈને ઢીકાપાટુનો માર મારતા હતા. આ દરમિયાન અજયે છરી કાઢી કીશનભાઈ ગળા પર રાખી આ છરી કોઈની સગી નહીં થાય, તને જાનથી મારી નાંખીશુ તેમ કહી કન્સ્ટ્રકશનના કામમાં અડધા રૂપીયાની ખંડણી માંગી હતી. જેમાં કીશનભાઈને પૈસા દેવાની હા પાડતા કાર ધીમી કરી તેઓને બહાર ઉતારી તેમના મોબાઈલનો ઘા કરી દીધો હતો. બનાવની ચોટીલા પોલીસ મથકે ખેરાણાના અજય જશકુભાઈ ધાધલ, રણજીત ગભરૂભાઈ ધાલધ અને અજયના કાકાના દિકરા સામે ફરિયાદ નોંધાઈ હતી. આ કેસમાં જેલવાસ ભોગવતા આરોપી રણજીત ગભરૂભાઈ ધાધલે સુરેન્દ્રનગર ત્રીજા એડીશનલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજની કોર્ટમાં જામીન પર મુકત થવા અરજી કરી હતી. આ અરજીની સુનાવણી થતા સરકારી વકીલ પી.જી.રાવલે દલીલો કરતા જણાવ્યુ કે, અરજદાર આરોપીએ ભોગ બનનારને મૃત્યુના ભયમાં મુકવાનું કૃત્ય કરેલ છે. આ કેસના સહ આરોપી ફરાર છે. આથી ત્રીજા એડીશનલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ એન.જી.શાહે અરજદાર આરોપી રણજીત ધાધલની જામીન પર મુકત થવાની અરજી નામંજૂર કરી છે.