Surendranagarમાં 200થી વધુ ખેડૂતો બન્યા ડુપ્લીકેટ ખાતરનો ભોગ, કલેક્ટરે કચેરીએ નોંધાવ્યો વિરોધ

લીંબડી, ચુડા, ચોટીલાના ખેડૂતોએ કલેક્ટરે કચેરીએ નોંધાવ્યો વિરોધખાતર નાખ્યા બાદ કપાસ, મગફળીનો પાક નિષ્ફળ ગયો ડુપ્લીકેટ ખાતરે ખેડૂતોની આર્થિક કમર તોડી નાખી સુરેન્દ્રનગરમાં ખેડૂતો ડુપ્લીકેટ ખાતરનો ભોગ બન્યા છે. આ વિસ્તારના લગભગ 200થી વધુ ખેડૂતો ડુપ્લીકેટ ખાતરનો ભોગ બન્યા છે. લીંબડી, ચુડા, ચોટીલાના ખેડૂતોઓ ખાતરની ખરીદી કરી હતી અને ત્યારબાદ ખેતરમાં પાકનું વાવેતર પણ કર્યુ હતું, જો કે ડુપ્લીકેટ ખાતરના કારણે વાવેતર નિષ્ફળ જતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોએ 5 વખત વાવેતર કર્યા પણ ડુપ્લીકેટ ખાતરના વપરાશના પગલે વાવેતરો નિષ્ફળ નીવડ્યા હાલમાં ડુપ્લીકેટ ખાતરનો ભોગ બનાર ખેડૂતો સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીએ પહોંચ્યા છે અને 200થી વધુ ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે. તમને જણાવી દઈએ કે ડુપ્લીકેટ ખાતર વપરાશના પગલે લીંબડી, ચુડા, ચોટીલા તાલુકાના ખેડૂતો ભોગ બન્યા છે. ખેડૂતોએ 5 વખત વાવેતર કર્યા પણ ડુપ્લીકેટ ખાતરના વપરાશના પગલે વાવેતરો નિષ્ફળ નીવડ્યા છે અને ખેડૂતોની જમીનો બંજર બની ગઈ છે. ખેડૂતોના કપાસ, મગફળી જેવા પાકો ખાતર ભેળવ્યા બાદ બળી ગયા ચેમ્પિયન એગ્રો અને નર્મદા એગ્રો દ્વારા ડુપ્લીકેટ ખાતર ખેડૂતોને પધરાવી દેવામાં આવ્યું છે. ત્યારે ખેડૂતોના કપાસ, મગફળી જેવા પાકો ખાતર ભેળવ્યા બાદ બળી ગયા છે ત્યારે ખેડૂતોએ એગ્રો કંપનીઓ સામે ગુનો દાખલ કરવાની અને તાત્કાલિક વળતર ચુકવણી કરવાની માગ કરી છે. ડુપ્લીકેટ ખાતરે ખેડૂતોની આર્થિક કમર તોડી નાખી છે. સાયલામાં થોડા દિવસ પહેલા જ નકલી ખાતરનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો સાયલા તાલુકાના છડીયાળી ગામે 30થી વધુ ખેડૂતોને ભરમાવી ઓર્ગેનિકના નામે નકલી ખાતર પધરાવતા થયેલા નુકશાનનો પર્દાફાશ થતા જિલ્લા તેમજ તાલુકાના સરકારી તંત્રમાં દોડધામ મચી જવા સાથે અધિકારીઓને ગામના ખેડૂતો તેમજ ખેતરોની જાતે મુલાકાત લેવાની ફરજ પડી હતી. નકલી ખાતરના કારણે 400થી 500 વિઘાનું વાવેતર બળી જતા જગતનો તાત લાચાર બની વિમાસણમાં મુકાઈ જવા પામ્યો છે. ત્યારે સરકારી અધિકારીઓ દ્વારા પંચ રોજકામ કરતા માટીના નમુના લેવાની કામગીરી હાથ ધરી છે. પરંતુ નકલીનો વેપલો કરીને ખેડૂતોને રાતા પાણીએ રોવડાવનાર ડીલર, વેપારી વિરુદ્ધ તંત્રની ઢીલી નીતિને જોતા ગામલોકોમાં પણ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

Surendranagarમાં 200થી વધુ ખેડૂતો બન્યા ડુપ્લીકેટ ખાતરનો ભોગ, કલેક્ટરે કચેરીએ નોંધાવ્યો વિરોધ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • લીંબડી, ચુડા, ચોટીલાના ખેડૂતોએ કલેક્ટરે કચેરીએ નોંધાવ્યો વિરોધ
  • ખાતર નાખ્યા બાદ કપાસ, મગફળીનો પાક નિષ્ફળ ગયો
  • ડુપ્લીકેટ ખાતરે ખેડૂતોની આર્થિક કમર તોડી નાખી

સુરેન્દ્રનગરમાં ખેડૂતો ડુપ્લીકેટ ખાતરનો ભોગ બન્યા છે. આ વિસ્તારના લગભગ 200થી વધુ ખેડૂતો ડુપ્લીકેટ ખાતરનો ભોગ બન્યા છે. લીંબડી, ચુડા, ચોટીલાના ખેડૂતોઓ ખાતરની ખરીદી કરી હતી અને ત્યારબાદ ખેતરમાં પાકનું વાવેતર પણ કર્યુ હતું, જો કે ડુપ્લીકેટ ખાતરના કારણે વાવેતર નિષ્ફળ જતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.

ખેડૂતોએ 5 વખત વાવેતર કર્યા પણ ડુપ્લીકેટ ખાતરના વપરાશના પગલે વાવેતરો નિષ્ફળ નીવડ્યા

હાલમાં ડુપ્લીકેટ ખાતરનો ભોગ બનાર ખેડૂતો સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીએ પહોંચ્યા છે અને 200થી વધુ ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે. તમને જણાવી દઈએ કે ડુપ્લીકેટ ખાતર વપરાશના પગલે લીંબડી, ચુડા, ચોટીલા તાલુકાના ખેડૂતો ભોગ બન્યા છે. ખેડૂતોએ 5 વખત વાવેતર કર્યા પણ ડુપ્લીકેટ ખાતરના વપરાશના પગલે વાવેતરો નિષ્ફળ નીવડ્યા છે અને ખેડૂતોની જમીનો બંજર બની ગઈ છે.

ખેડૂતોના કપાસ, મગફળી જેવા પાકો ખાતર ભેળવ્યા બાદ બળી ગયા

ચેમ્પિયન એગ્રો અને નર્મદા એગ્રો દ્વારા ડુપ્લીકેટ ખાતર ખેડૂતોને પધરાવી દેવામાં આવ્યું છે. ત્યારે ખેડૂતોના કપાસ, મગફળી જેવા પાકો ખાતર ભેળવ્યા બાદ બળી ગયા છે ત્યારે ખેડૂતોએ એગ્રો કંપનીઓ સામે ગુનો દાખલ કરવાની અને તાત્કાલિક વળતર ચુકવણી કરવાની માગ કરી છે. ડુપ્લીકેટ ખાતરે ખેડૂતોની આર્થિક કમર તોડી નાખી છે.

સાયલામાં થોડા દિવસ પહેલા જ નકલી ખાતરનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો

સાયલા તાલુકાના છડીયાળી ગામે 30થી વધુ ખેડૂતોને ભરમાવી ઓર્ગેનિકના નામે નકલી ખાતર પધરાવતા થયેલા નુકશાનનો પર્દાફાશ થતા જિલ્લા તેમજ તાલુકાના સરકારી તંત્રમાં દોડધામ મચી જવા સાથે અધિકારીઓને ગામના ખેડૂતો તેમજ ખેતરોની જાતે મુલાકાત લેવાની ફરજ પડી હતી. નકલી ખાતરના કારણે 400થી 500 વિઘાનું વાવેતર બળી જતા જગતનો તાત લાચાર બની વિમાસણમાં મુકાઈ જવા પામ્યો છે. ત્યારે સરકારી અધિકારીઓ દ્વારા પંચ રોજકામ કરતા માટીના નમુના લેવાની કામગીરી હાથ ધરી છે. પરંતુ નકલીનો વેપલો કરીને ખેડૂતોને રાતા પાણીએ રોવડાવનાર ડીલર, વેપારી વિરુદ્ધ તંત્રની ઢીલી નીતિને જોતા ગામલોકોમાં પણ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.