Surat News: 2 લાખના લાંચ કેસમાં ACB દ્વારા વોન્ટેડ અધિકારીનો ફ્લેટ સીલ

ભૂસ્તર વિભાગના વોન્ટેડ નરેશ જાનીનો ફ્લેટ સીલલાંચિયો નરેશ જાની છેલ્લા ત્રણ દિવસથી વોન્ટેડ વોન્ટેડ નરેશ જાનીનો પાલ સ્થિત ફ્લેટ સીલ સુરતમાં આજે ACB દ્વારા મોટી કાર્યવહાઈ કરવામાં આવી છે. લાંચ કેસમાં છેલ્લા કેટલાય સમયથી ભાગતા ફરતા લાંચિયા અધિકારી સામે લાલ આંખ કરીને અમદાવાદ ACBએ ભૂસ્તર વિભાગના અધિકારીની સુરત ખાતેની મિલકત સીલ કરી છે. મળતી માહિતી મુજબ, અમદાવાદ ACB દ્વારા સુરતમાં કાર્યવાહી કરવામાં આવી છે. 2 લાખની લાંચ કેસમાં ACB એક્શન મોડમાં આવી ગઈ છે અને સુરતમાં ભૂસ્તર વિભાગના વોન્ટેડ આરોપી નરેશ જાનીનામના અધિકારીનો ફ્લેટ સીલ કરી કાઢ્યો છે. ભૂસ્તર વિભાગમાં મદદનીશ નિયામક તરીકે કામ કરતો લાંચિયો અધિકારી નરેશ જાની છેલ્લા ત્રણ દિવસથી વોન્ટેડ છે. જેને લઈને અમદાવાદ ખાતેની ACBની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. જાણવા મળી રહ્યું છે કે અમદાવાદ ACB દ્વારા વોન્ટેડ નરેશ જાનીનો પાલ સ્થિત ફ્લેટ સીલ કરી દેવામાં આવ્યો છે. નરેશ જાનીના પાલ ગૌરવ પથ રોડ ખાતે આવેલ શાંત્વન નિયોન ખાતે આવેલા ફ્લેટ ખાતે ACBએ દરોડા પાડયા હતા અને ભ્રષ્ટાચારી નરેશ જાનીના મકાનને સીલ મારવામાં આવ્યું હતું. મહત્વનું છે કે 2 લાખની લાંચ લેવાના કેસમાં નરેશ જાનીના વચેટિયા કપીલ પ્રજાપતિની પહેલા જ ધરપકડ કરી લેવામાં આવી હતી અને હવે તેના રિમાન્ડ પણ પૂર્ણ થયા છે. તો વધુમાં જાણવા મળી રહ્યું છે કે આગામી દિવસોમાં નરેશ જાનીની અન્ય મિલ્કતોનો પણ પર્દાફાશ થાય તેવી શક્યતાઓ છે.

Surat News: 2 લાખના લાંચ કેસમાં ACB દ્વારા વોન્ટેડ અધિકારીનો ફ્લેટ સીલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ભૂસ્તર વિભાગના વોન્ટેડ નરેશ જાનીનો ફ્લેટ સીલ
  • લાંચિયો નરેશ જાની છેલ્લા ત્રણ દિવસથી વોન્ટેડ
  • વોન્ટેડ નરેશ જાનીનો પાલ સ્થિત ફ્લેટ સીલ

સુરતમાં આજે ACB દ્વારા મોટી કાર્યવહાઈ કરવામાં આવી છે. લાંચ કેસમાં છેલ્લા કેટલાય સમયથી ભાગતા ફરતા લાંચિયા અધિકારી સામે લાલ આંખ કરીને અમદાવાદ ACBએ ભૂસ્તર વિભાગના અધિકારીની સુરત ખાતેની મિલકત સીલ કરી છે.

મળતી માહિતી મુજબ, અમદાવાદ ACB દ્વારા સુરતમાં કાર્યવાહી કરવામાં આવી છે. 2 લાખની લાંચ કેસમાં ACB એક્શન મોડમાં આવી ગઈ છે અને સુરતમાં ભૂસ્તર વિભાગના વોન્ટેડ આરોપી નરેશ જાનીનામના અધિકારીનો ફ્લેટ સીલ કરી કાઢ્યો છે. ભૂસ્તર વિભાગમાં મદદનીશ નિયામક તરીકે કામ કરતો લાંચિયો અધિકારી નરેશ જાની છેલ્લા ત્રણ દિવસથી વોન્ટેડ છે. જેને લઈને અમદાવાદ ખાતેની ACBની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.

જાણવા મળી રહ્યું છે કે અમદાવાદ ACB દ્વારા વોન્ટેડ નરેશ જાનીનો પાલ સ્થિત ફ્લેટ સીલ કરી દેવામાં આવ્યો છે. નરેશ જાનીના પાલ ગૌરવ પથ રોડ ખાતે આવેલ શાંત્વન નિયોન ખાતે આવેલા ફ્લેટ ખાતે ACBએ દરોડા પાડયા હતા અને ભ્રષ્ટાચારી નરેશ જાનીના મકાનને સીલ મારવામાં આવ્યું હતું. મહત્વનું છે કે 2 લાખની લાંચ લેવાના કેસમાં નરેશ જાનીના વચેટિયા કપીલ પ્રજાપતિની પહેલા જ ધરપકડ કરી લેવામાં આવી હતી અને હવે તેના રિમાન્ડ પણ પૂર્ણ થયા છે. તો વધુમાં જાણવા મળી રહ્યું છે કે આગામી દિવસોમાં નરેશ જાનીની અન્ય મિલ્કતોનો પણ પર્દાફાશ થાય તેવી શક્યતાઓ છે.