Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રાને લઈને ક્રાઇમ બ્રાન્ચનું ડ્રોન દ્વારા સર્વેલન્સ

અમદાવાદમાં રથયાત્રા પહેલા ક્રાઈમબ્રાન્ચ સક્રિયશહેરના ખમાસા વિસ્તારમાં હાથ ધરાયું સર્વેલન્સ ડ્રોન કેમેરાની મદદથી ગતિવિધિઓ પર બાજનજર લોકસભાની ચૂંટણીઓ પૂર્ણ થઈ ગઈ છે અને હવે ટૂંક સમયમાં દેશમાં નરેન્દ્ર મોદીની નવી સરકાર બનવા જઈ રહી છે. ત્યારે, છેલ્લા દોઢ મહિનાથી ચૂંટણીની કામગીરીમાં લાગેલો પોલીસ વિભાગ અને AMC તંત્ર હવે આગામી આવી રહેલી અમદાવાદની પ્રસિદ્ધ જગન્નાથ રથયાત્રાની તૈયારીઓમાં લાગી ગયું છે. થોડા દિવસ પહેલા AMC દ્વારા જર્જરિત ઇમારતોનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો તો આજે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ડ્રોન સર્વેલન્સની કામગીરી કરવામાં આવી છે.ખમાસા વિસ્તારમાં ડ્રોન થકી સર્વેલન્સ અમદાવાદમાં રથયાત્રા પહેલા ક્રાઈમ બ્રાન્ચ પોલીસ વધુ સક્રિય બની ગઈ છે. રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ડ્રોન થકી સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું હતું. અમદાવાદ શહેરના શહેરના ખમાસા વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું હતું. ડ્રોન કેમેરાની મદદથી રથયાત્રાના રોડ પરની ગતિવિધિ પર બાજ નજર રાખવામાં આવી રહી છે. જર્જરિત ઇમારતનો સર્વે કરવાની કામગીરી શરૂ કરાઇ ચૂંટણી પૂર્ણ થતાં AMC રથયાત્રાની તૈયારીમાં લાગી ગયું છે અને રથયાત્રા રૂટ પર આવેલી જર્જરિત ઇમારતનો સર્વે કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જાણવા મળી રહ્યું છે કે ટૂંક સમયમાં જર્જરિત ઇમારતોનો સર્વે પૂર્ણ કરવામાં આવશે અને સર્વે બાદ વોર્ડ ઇન્સ્પેકટરને જવાબદારીઓ સોંપવામાં આવશે. મહત્વનું છે કે ગત વર્ષે રથયાત્રા દરમિયાન એક જર્જરિત ઇમારત તૂટી પડતાં જાનહાનિ સર્જાઇ હતી. આ દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને આ વખતે આગોતરું આયોજન કરવામાં આવી રહ્યું છે અને રથયાત્રા રૂટ પર આવેલ જર્જરિત ઇમારતો અને મકાનોનો સર્વે કરવામાં આવી રહ્યો છે. સમગ્ર રૂટ પર 1 વોર્ડ ઇન્સ્પેકટરને 4 થી 5 મકાનોની જવાબદારી સોંપવામાં આવશે. રથયાત્રા દરમિયાન જો કોઈ જર્જરિત ઇમારત કે મકાન સાથે દુર્ઘટના સર્જાય તો તેમ જાનહાનિ ન થાય અને લોકોની સુરક્ષા સુનિશ્ચિત થાય તે માટે AMC દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા જર્જરિત મકાન પર ખાનગી સિક્યુરિટી ગોઠવવા માટે વિચારણા કરવામાં આવી હતી. પરંતુ, હવે વોર્ડ ઇન્સ્પેકટરને આ જવાબદારી સોંપવામાં આવશે.

Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રાને લઈને ક્રાઇમ બ્રાન્ચનું ડ્રોન દ્વારા સર્વેલન્સ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમદાવાદમાં રથયાત્રા પહેલા ક્રાઈમબ્રાન્ચ સક્રિય
  • શહેરના ખમાસા વિસ્તારમાં હાથ ધરાયું સર્વેલન્સ
  • ડ્રોન કેમેરાની મદદથી ગતિવિધિઓ પર બાજનજર

લોકસભાની ચૂંટણીઓ પૂર્ણ થઈ ગઈ છે અને હવે ટૂંક સમયમાં દેશમાં નરેન્દ્ર મોદીની નવી સરકાર બનવા જઈ રહી છે. ત્યારે, છેલ્લા દોઢ મહિનાથી ચૂંટણીની કામગીરીમાં લાગેલો પોલીસ વિભાગ અને AMC તંત્ર હવે આગામી આવી રહેલી અમદાવાદની પ્રસિદ્ધ જગન્નાથ રથયાત્રાની તૈયારીઓમાં લાગી ગયું છે. થોડા દિવસ પહેલા AMC દ્વારા જર્જરિત ઇમારતોનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો તો આજે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ડ્રોન સર્વેલન્સની કામગીરી કરવામાં આવી છે.


ખમાસા વિસ્તારમાં ડ્રોન થકી સર્વેલન્સ

અમદાવાદમાં રથયાત્રા પહેલા ક્રાઈમ બ્રાન્ચ પોલીસ વધુ સક્રિય બની ગઈ છે. રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ડ્રોન થકી સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું હતું. અમદાવાદ શહેરના શહેરના ખમાસા વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું હતું. ડ્રોન કેમેરાની મદદથી રથયાત્રાના રોડ પરની ગતિવિધિ પર બાજ નજર રાખવામાં આવી રહી છે.


જર્જરિત ઇમારતનો સર્વે કરવાની કામગીરી શરૂ કરાઇ 

ચૂંટણી પૂર્ણ થતાં AMC રથયાત્રાની તૈયારીમાં લાગી ગયું છે અને રથયાત્રા રૂટ પર આવેલી જર્જરિત ઇમારતનો સર્વે કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જાણવા મળી રહ્યું છે કે ટૂંક સમયમાં જર્જરિત ઇમારતોનો સર્વે પૂર્ણ કરવામાં આવશે અને સર્વે બાદ વોર્ડ ઇન્સ્પેકટરને જવાબદારીઓ સોંપવામાં આવશે.


મહત્વનું છે કે ગત વર્ષે રથયાત્રા દરમિયાન એક જર્જરિત ઇમારત તૂટી પડતાં જાનહાનિ સર્જાઇ હતી. આ દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને આ વખતે આગોતરું આયોજન કરવામાં આવી રહ્યું છે અને રથયાત્રા રૂટ પર આવેલ જર્જરિત ઇમારતો અને મકાનોનો સર્વે કરવામાં આવી રહ્યો છે. સમગ્ર રૂટ પર 1 વોર્ડ ઇન્સ્પેકટરને 4 થી 5 મકાનોની જવાબદારી સોંપવામાં આવશે. રથયાત્રા દરમિયાન જો કોઈ જર્જરિત ઇમારત કે મકાન સાથે દુર્ઘટના સર્જાય તો તેમ જાનહાનિ ન થાય અને લોકોની સુરક્ષા સુનિશ્ચિત થાય તે માટે AMC દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા જર્જરિત મકાન પર ખાનગી સિક્યુરિટી ગોઠવવા માટે વિચારણા કરવામાં આવી હતી. પરંતુ, હવે વોર્ડ ઇન્સ્પેકટરને આ જવાબદારી સોંપવામાં આવશે.