Rajkot News : પી.ટી.જાડેજાના સુર બદલાયા,સંકલન સમિતિમાંથી આપ્યું રાજીનામું

સંકલન સમિતિ શું છે એનો પર્દાફાશ કરીશ : જાડેજા તૃપ્તિબા સહિત 5 લોકોના પુરાવા મારી પાસે : જાડેજા મે શબ્દોમાં મર્યાદા રાખી છે : પી.ટી.જાડેજા ક્ષત્રિય સંકલ સમિતિના સભ્ય પી.ટી. જાડેજાના હવે સુર બદલાયા છે. તેમણે અચાનક સંકલન સમિતિમાંથી રાજીનામું આપી દીધું છે. નોંધનીય છે કે, પી.ટી જાડેજા રાજકોટ સહિતના સંમેલનમાં વારંવાર રૂપાલા અને ભાજપ સામે હુંકાર કરી ચૂક્યા છે. જાહેર મંચ અને મીડિયા સમક્ષ અનેક વખત પીટી જાડેજા આગવા અંદાજમાં અસ્મિતા લડત વિશે બોલ્યા હતાં. પી.ટી.જાડેજાએ પ્રેશર ટેકનિક શરૂ કરી હોવાની ચર્ચા સંકલન સમિતિને લઈ પી.ટી.જાડેજા કરી શકે છે અનેક ખુલાસાઓ,સંકલન સમિતિને લઈ પી.ટી.જાડેજાએ અલગ-અલગ વાતો પર આક્ષેપ કર્યા છે.જુદી જુદી 6 ઓડિયો ક્લીપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.જેમાં ઓડિયો કલિપમાં જણાવાયું છે કે,પી.ટી.જાડેજાએ સંકલન સમિતિમાંથી રાજીનામું આપ્યું છે.પી. ટી.જાડેજાએ કહ્યું તૃપ્તિબા રાઓલ સહિત 5 વ્યક્તિઓના પુરાવા મારી પાસે છે.હું પ્રેસ કોન્ફરન્સ કરીને સમાજને પૂછીશ કે,શા માટે સંકલન સમિતિ મારી સાથે નથી?અલગ-અલગ ગ્રુપોમાં ઓડીયો વાયરલ ક્ષત્રિય સમાજના અલગ અલગ ગ્રુપ અને સોશિયલ મીડિયામાં એક ઓડિયી વાઇરલ થઈ રહ્યો છે. પીટી જાડેજા એ ઓડિયોમાં સંકલન સમિતિને ગદ્દાર ગણાવી છે. મહિલા સહિત પાંચના ધંધાના પુરાવા હોવાનો દાવો કર્યો છે. અલગ અલગ છ ઓડિયો મેસેજ કરીને સંકલન સમિતિના હોદ્દેદારોને પી.ટી જાડેજા દ્વારા ધમકાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે. પીટી જાડેજાનો અહમ નહીં સંતોષાતા ઓડિયો મેસેજથી પ્રેસર ટેકનિક અપનાવ્યાની પણ ચર્ચાઓ થઈ રહી છે. હું તમામ વાત કરીશ પ્રેસમાં જોકે તાત્કાલિક પી ટી જાડેજા પાણીમાં બેસી જતા અનેક ચર્ચાઓ થઈ રહી છે. પીટી જાડેજા એ કહ્યું સંકલન સમિતિ ને હું ખુલ્લી પાડીશ. પી.ટી. જાડેજા સંકલન સમિતિને ધમકી આપી છે. તેમણે કહ્યું કે, ટુંક સમયમાં હું મોટો પર્દાફાશ કરીશ. હું 11 વર્ષથી કહેતો આવું છું સંકલન સમિતિએ શુ કર્યું.  

Rajkot News :  પી.ટી.જાડેજાના સુર બદલાયા,સંકલન સમિતિમાંથી આપ્યું રાજીનામું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સંકલન સમિતિ શું છે એનો પર્દાફાશ કરીશ : જાડેજા
  • તૃપ્તિબા સહિત 5 લોકોના પુરાવા મારી પાસે : જાડેજા
  • મે શબ્દોમાં મર્યાદા રાખી છે : પી.ટી.જાડેજા

ક્ષત્રિય સંકલ સમિતિના સભ્ય પી.ટી. જાડેજાના હવે સુર બદલાયા છે. તેમણે અચાનક સંકલન સમિતિમાંથી રાજીનામું આપી દીધું છે. નોંધનીય છે કે, પી.ટી જાડેજા રાજકોટ સહિતના સંમેલનમાં વારંવાર રૂપાલા અને ભાજપ સામે હુંકાર કરી ચૂક્યા છે. જાહેર મંચ અને મીડિયા સમક્ષ અનેક વખત પીટી જાડેજા આગવા અંદાજમાં અસ્મિતા લડત વિશે બોલ્યા હતાં.

પી.ટી.જાડેજાએ પ્રેશર ટેકનિક શરૂ કરી હોવાની ચર્ચા

સંકલન સમિતિને લઈ પી.ટી.જાડેજા કરી શકે છે અનેક ખુલાસાઓ,સંકલન સમિતિને લઈ પી.ટી.જાડેજાએ અલગ-અલગ વાતો પર આક્ષેપ કર્યા છે.જુદી જુદી 6 ઓડિયો ક્લીપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.જેમાં ઓડિયો કલિપમાં જણાવાયું છે કે,પી.ટી.જાડેજાએ સંકલન સમિતિમાંથી રાજીનામું આપ્યું છે.પી. ટી.જાડેજાએ કહ્યું તૃપ્તિબા રાઓલ સહિત 5 વ્યક્તિઓના પુરાવા મારી પાસે છે.હું પ્રેસ કોન્ફરન્સ કરીને સમાજને પૂછીશ કે,શા માટે સંકલન સમિતિ મારી સાથે નથી?

અલગ-અલગ ગ્રુપોમાં ઓડીયો વાયરલ

ક્ષત્રિય સમાજના અલગ અલગ ગ્રુપ અને સોશિયલ મીડિયામાં એક ઓડિયી વાઇરલ થઈ રહ્યો છે. પીટી જાડેજા એ ઓડિયોમાં સંકલન સમિતિને ગદ્દાર ગણાવી છે. મહિલા સહિત પાંચના ધંધાના પુરાવા હોવાનો દાવો કર્યો છે. અલગ અલગ છ ઓડિયો મેસેજ કરીને સંકલન સમિતિના હોદ્દેદારોને પી.ટી જાડેજા દ્વારા ધમકાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે. પીટી જાડેજાનો અહમ નહીં સંતોષાતા ઓડિયો મેસેજથી પ્રેસર ટેકનિક અપનાવ્યાની પણ ચર્ચાઓ થઈ રહી છે.

હું તમામ વાત કરીશ પ્રેસમાં

જોકે તાત્કાલિક પી ટી જાડેજા પાણીમાં બેસી જતા અનેક ચર્ચાઓ થઈ રહી છે. પીટી જાડેજા એ કહ્યું સંકલન સમિતિ ને હું ખુલ્લી પાડીશ. પી.ટી. જાડેજા સંકલન સમિતિને ધમકી આપી છે. તેમણે કહ્યું કે, ટુંક સમયમાં હું મોટો પર્દાફાશ કરીશ. હું 11 વર્ષથી કહેતો આવું છું સંકલન સમિતિએ શુ કર્યું.