Rajkot News: PM Modiના સૌરાષ્ટ્રવાસીઓ સાથે લાગણીના સંબંધો: રાજુ ધ્રુવ

સુરેન્દ્રનગરમાં વડાપ્રધાન મોદી તા.2જી મેએ ચૂંટણી સભા ગજવશે PM મોદીનું કાઠીયાવાડી પરંપરાથી સ્વાગત કરાશે: રાજુ ધ્રુવ સૌરાષ્ટ્રની સાત બેઠક ઉપર 5 લાખની લીડનો ટાર્ગેટ સેટ થશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે છે. જેમાં પીએમ નરેન્દ્ર મોદીના સૌરાષ્ટ્ર પ્રવાસને લઈને ભાજપ પ્રવક્તા રાજુભાઈ ધ્રુવની સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીત થઇ છે. તેમાં જણાવ્યું છે કે પીએમ મોદીના સૌરાષ્ટ્રવાસીઓ સાથે લાગણીના સંબંધો છે. સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, જૂનાગઢ, જામનગરમાં જંગી સભામાં જનમેદની ઉમટી PM મોદીનું કાઠીયાવાડી પરંપરાથી સ્વાગત કરશે. પીએમ મોદીએ સૌરાષ્ટ્રને આપેલા વિકાસ કામોની ભેટનું ઋણ ચૂકવવાનો અવસર પીએમ મોદીએ સૌરાષ્ટ્રને આપેલા વિકાસ કામોની ભેટનું ઋણ ચૂકવવાનો અવસર છે. રાજકોટ સિવાય અન્ય ત્રણ સ્થળે સભાથી સૌરાષ્ટ્રની સાત બેઠક ઉપર 5 લાખની લીડનો ટાર્ગેટ સેટ થશે. સુરેન્દ્રનગરમાં વડાપ્રધાન મોદી તા.2જી મેએ ચૂંટણી સભા ગજવશે. જેમાં ઝાલાવાડમાં ચૂંટણીનો ગરમાવો છે. ત્યારે એડિશનલ ડીજી સહિત 1600થી વધુ પોલીસ અધિકારીઓ અને કર્મીઓ બંદોબસ્તમાં તૈનાત રહેશે. તથા સુરેન્દ્રનગર ઉપરાંત રાજકોટ અને ભાવનગરના ઉમેદવારના વિજય તિલક માટે 1 લાખ ઉપરાંતની જનમેદનીને PM સંબોધિત કરશે. ત્રિમંદિર સામે ગુરુવારે બપોરે 1 કલાકે જંગી જનસભા યોજાશે સુરેન્દ્રનગરના રાજકોટ હાઈવે પરના ત્રિમંદિર સામે ગુરુવારે બપોરે 1 કલાકે જંગી જનસભા યોજાશે. રાજયમાં લોકસભા ચૂંટણીમાં હાલ પ્રચાર પુરજોશમાં ચાલી રહ્યો છે. ત્યારે દેશના વડાપ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના સ્ટાર પ્રચારક નરેન્દ્ર મોદી આવતીકાલે તા. 2જી મેને ગુરૂવારે ઝાલાવાડમાં ચૂંટણી જાહેર સભાને સંબોધિત કરવાના છે. ગુરૂવારે બપોરે 1 કલાકે શહેરના રાજકોટ હાઈવે પર ત્રિમંદિર સામે વડાપ્રધાન સુરેન્દ્રનગર ઉપરાંત રાજકોટ અને ભાવનગર બેઠકમાં કમળ ખીલવવા જાહેર સભાને સંબોધિત કરશે. હાલ પીએમની સુરક્ષા વ્યવસ્થાને લઈને આ વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો છે અને રાજયના ડીજી અંદાજે 1600થી વધુ પોલીસ અધિકારીઓ અને જવાનોને પીએમની સભામાં બંદોબસ્ત સોંપવામાં આવ્યો છે. દોઢ વર્ષ બાદ વડાપ્રધાન ફરી ઝાલાવાડમાં આવી રહ્યા છે સુરેન્દ્રનગર-રાજકોટ હાઈવે પર યોજાનાર આ સભામાં અંદાજે 1 લાખથી વધુ સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડનાર છે. ગત વર્ષ 2022માં યોજાયેલ વિધાનસભા ચૂંટણીમાં વડાપ્રધાને તા. 21-11-22ના રોજ જાહેરસભાને સંબોધી હતી. અને જિલ્લાની પાંચેય વિધાનસભા બેઠકો પર ભગવો લહેરાયો હતો. ત્યારે દોઢ વર્ષ બાદ વડાપ્રધાન ફરી ઝાલાવાડમાં આવી રહ્યા છે. નરેન્દ્ર મોદી ભારતીય જનતા પાર્ટીના સ્ટાર પ્રચારક અને દેશના વડાપ્રધાન હોય સુરક્ષા વ્યવસ્થા પણ સુરેન્દ્રનગરમાં ચુસ્ત કરી દેવાઈ છે. વડાપ્રધાનની સીકયોરીટી એસપીજીની ટીમ પણ સભા સ્થળની મુલાકાત લઈ ચૂકી છે. બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ડો. ગિરીશ પંડયાની આગેવાનીમાં સભા સ્થળની આસપાસ ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. જયારે રાજયના એડીશનલ ડીજી અભય ચુડાસમા સહિત 6 એસપી, 18 ડીવાયએસપી સહિત 1600થી વધુ પોલીસ અધીકારીઓ અને જવાનો તા. 2જી મેના રોજ ખડેપગે રહેશે.

Rajkot News: PM Modiના સૌરાષ્ટ્રવાસીઓ સાથે લાગણીના સંબંધો: રાજુ ધ્રુવ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સુરેન્દ્રનગરમાં વડાપ્રધાન મોદી તા.2જી મેએ ચૂંટણી સભા ગજવશે
  • PM મોદીનું કાઠીયાવાડી પરંપરાથી સ્વાગત કરાશે: રાજુ ધ્રુવ
  • સૌરાષ્ટ્રની સાત બેઠક ઉપર 5 લાખની લીડનો ટાર્ગેટ સેટ થશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે છે. જેમાં પીએમ નરેન્દ્ર મોદીના સૌરાષ્ટ્ર પ્રવાસને લઈને ભાજપ પ્રવક્તા રાજુભાઈ ધ્રુવની સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીત થઇ છે. તેમાં જણાવ્યું છે કે પીએમ મોદીના સૌરાષ્ટ્રવાસીઓ સાથે લાગણીના સંબંધો છે. સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, જૂનાગઢ, જામનગરમાં જંગી સભામાં જનમેદની ઉમટી PM મોદીનું કાઠીયાવાડી પરંપરાથી સ્વાગત કરશે.

પીએમ મોદીએ સૌરાષ્ટ્રને આપેલા વિકાસ કામોની ભેટનું ઋણ ચૂકવવાનો અવસર

પીએમ મોદીએ સૌરાષ્ટ્રને આપેલા વિકાસ કામોની ભેટનું ઋણ ચૂકવવાનો અવસર છે. રાજકોટ સિવાય અન્ય ત્રણ સ્થળે સભાથી સૌરાષ્ટ્રની સાત બેઠક ઉપર 5 લાખની લીડનો ટાર્ગેટ સેટ થશે. સુરેન્દ્રનગરમાં વડાપ્રધાન મોદી તા.2જી મેએ ચૂંટણી સભા ગજવશે. જેમાં ઝાલાવાડમાં ચૂંટણીનો ગરમાવો છે. ત્યારે એડિશનલ ડીજી સહિત 1600થી વધુ પોલીસ અધિકારીઓ અને કર્મીઓ બંદોબસ્તમાં તૈનાત રહેશે. તથા સુરેન્દ્રનગર ઉપરાંત રાજકોટ અને ભાવનગરના ઉમેદવારના વિજય તિલક માટે 1 લાખ ઉપરાંતની જનમેદનીને PM સંબોધિત કરશે.

ત્રિમંદિર સામે ગુરુવારે બપોરે 1 કલાકે જંગી જનસભા યોજાશે

સુરેન્દ્રનગરના રાજકોટ હાઈવે પરના ત્રિમંદિર સામે ગુરુવારે બપોરે 1 કલાકે જંગી જનસભા યોજાશે. રાજયમાં લોકસભા ચૂંટણીમાં હાલ પ્રચાર પુરજોશમાં ચાલી રહ્યો છે. ત્યારે દેશના વડાપ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના સ્ટાર પ્રચારક નરેન્દ્ર મોદી આવતીકાલે તા. 2જી મેને ગુરૂવારે ઝાલાવાડમાં ચૂંટણી જાહેર સભાને સંબોધિત કરવાના છે. ગુરૂવારે બપોરે 1 કલાકે શહેરના રાજકોટ હાઈવે પર ત્રિમંદિર સામે વડાપ્રધાન સુરેન્દ્રનગર ઉપરાંત રાજકોટ અને ભાવનગર બેઠકમાં કમળ ખીલવવા જાહેર સભાને સંબોધિત કરશે. હાલ પીએમની સુરક્ષા વ્યવસ્થાને લઈને આ વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો છે અને રાજયના ડીજી અંદાજે 1600થી વધુ પોલીસ અધિકારીઓ અને જવાનોને પીએમની સભામાં બંદોબસ્ત સોંપવામાં આવ્યો છે.

દોઢ વર્ષ બાદ વડાપ્રધાન ફરી ઝાલાવાડમાં આવી રહ્યા છે

સુરેન્દ્રનગર-રાજકોટ હાઈવે પર યોજાનાર આ સભામાં અંદાજે 1 લાખથી વધુ સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડનાર છે. ગત વર્ષ 2022માં યોજાયેલ વિધાનસભા ચૂંટણીમાં વડાપ્રધાને તા. 21-11-22ના રોજ જાહેરસભાને સંબોધી હતી. અને જિલ્લાની પાંચેય વિધાનસભા બેઠકો પર ભગવો લહેરાયો હતો. ત્યારે દોઢ વર્ષ બાદ વડાપ્રધાન ફરી ઝાલાવાડમાં આવી રહ્યા છે. નરેન્દ્ર મોદી ભારતીય જનતા પાર્ટીના સ્ટાર પ્રચારક અને દેશના વડાપ્રધાન હોય સુરક્ષા વ્યવસ્થા પણ સુરેન્દ્રનગરમાં ચુસ્ત કરી દેવાઈ છે. વડાપ્રધાનની સીકયોરીટી એસપીજીની ટીમ પણ સભા સ્થળની મુલાકાત લઈ ચૂકી છે. બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ડો. ગિરીશ પંડયાની આગેવાનીમાં સભા સ્થળની આસપાસ ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. જયારે રાજયના એડીશનલ ડીજી અભય ચુડાસમા સહિત 6 એસપી, 18 ડીવાયએસપી સહિત 1600થી વધુ પોલીસ અધીકારીઓ અને જવાનો તા. 2જી મેના રોજ ખડેપગે રહેશે.