Palanpur: અંબાજીખાતે ગબ્બર ટોચ પર પ્રાથમિક આરોગ્ય અને પ્રસાદ કેન્દ્ર શરૂ કરાયું

યાત્રિકોને આકસ્મિક સંજોગોમાં સારવાર મળી રહેશેમોહનથાળ અને ચીકીની પ્રસાદી મળી રહે તે માટે દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો પોલીસ અને દર્શનાર્થીઓ વચ્ચેની તકરાર દુર કરવા અગાઉ જે પ્રમાણે વ્યવસ્થા હતી મુજબ દર્શન ચાલુ રાખવા લોકોની માંગયાત્રાધામ અંબાજી ખાતે ગબ્બર પર આવતા યાત્રિકોને કેટલીકવાર આકસ્મિક સંજોગોમાં સારવારની જરૂરિયાત રહેતી હોવાની અને ગબ્બર પર દર્શનાર્થે આવતા યાત્રિકોને માં અંબાના પ્રસાદ સ્વરૂપે આપવામાં આવતા મોહનથાળ અને ચીકીની પ્રસાદી મળી રહે તે માટે દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંગે જિલ્લ કલેક્ટર વરૂણકુમાર બરનવાલ અને મંદિર ટ્રસ્ટના વહીવટદાર દ્વારા આ અંગે ગબ્બર પર્વત પર ટોચ વિસ્તારમાં યાત્રિકોને આકસ્મિક સંજોગોમાં પ્રાથમિક સારવાર મળી રહે તે માટે આયોજન કર્યુ છે. તેમજ યાત્રીક સુવિધા કેન્દ્રનો પ્રારંભ કર્યો છે. અંબાજી મંદિર ખાતે ગેટ નં. 7 પર સ્થાનિક રહીશો માટે વીઆઈપી માટે ખુલ્લો રાખવામાં આવતો હતો. તેનાથી ભાવિકોને દર્શન માટે મૂશ્કેલી ન પડે તે માટે આ વ્યવસ્થા વર્ષોથી ચાલી આવતી હતી. તે સંદર્ભે ફેરફાર કરાતાં હવે મંદિરના સ્ટાફના સગાઓ અને પોલીસ તથા કલેક્ટર કચેરીના સ્ટાફ સિવાયના સ્થાનિક રહીશો માટે મૂશ્કેલી સર્જાઈ છે. અને તેના કારણે કેટલીકવાર વિવાદ થાય છે. ત્યારે પોલીસ અને દર્શનાર્થીઓ વચ્ચેની તકરાર દુર કરવા અગાઉ જે પ્રમાણે વ્યવસ્થા હતી. તે મુજબ દર્શન ચાલુ રાખવા લોકોની માંગ છે.

Palanpur: અંબાજીખાતે ગબ્બર ટોચ પર પ્રાથમિક આરોગ્ય અને પ્રસાદ કેન્દ્ર શરૂ કરાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • યાત્રિકોને આકસ્મિક સંજોગોમાં સારવાર મળી રહેશે
  • મોહનથાળ અને ચીકીની પ્રસાદી મળી રહે તે માટે દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો
  • પોલીસ અને દર્શનાર્થીઓ વચ્ચેની તકરાર દુર કરવા અગાઉ જે પ્રમાણે વ્યવસ્થા હતી મુજબ દર્શન ચાલુ રાખવા લોકોની માંગ

યાત્રાધામ અંબાજી ખાતે ગબ્બર પર આવતા યાત્રિકોને કેટલીકવાર આકસ્મિક સંજોગોમાં સારવારની જરૂરિયાત રહેતી હોવાની અને ગબ્બર પર દર્શનાર્થે આવતા યાત્રિકોને માં અંબાના પ્રસાદ સ્વરૂપે આપવામાં આવતા મોહનથાળ અને ચીકીની પ્રસાદી મળી રહે તે માટે દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંગે જિલ્લ કલેક્ટર વરૂણકુમાર બરનવાલ અને મંદિર ટ્રસ્ટના વહીવટદાર દ્વારા આ અંગે ગબ્બર પર્વત પર ટોચ વિસ્તારમાં યાત્રિકોને આકસ્મિક સંજોગોમાં પ્રાથમિક સારવાર મળી રહે તે માટે આયોજન કર્યુ છે. તેમજ યાત્રીક સુવિધા કેન્દ્રનો પ્રારંભ કર્યો છે. અંબાજી મંદિર ખાતે ગેટ નં. 7 પર સ્થાનિક રહીશો માટે વીઆઈપી માટે ખુલ્લો રાખવામાં આવતો હતો. તેનાથી ભાવિકોને દર્શન માટે મૂશ્કેલી ન પડે તે માટે આ વ્યવસ્થા વર્ષોથી ચાલી આવતી હતી. તે સંદર્ભે ફેરફાર કરાતાં હવે મંદિરના સ્ટાફના સગાઓ અને પોલીસ તથા કલેક્ટર કચેરીના સ્ટાફ સિવાયના સ્થાનિક રહીશો માટે મૂશ્કેલી સર્જાઈ છે. અને તેના કારણે કેટલીકવાર વિવાદ થાય છે. ત્યારે પોલીસ અને દર્શનાર્થીઓ વચ્ચેની તકરાર દુર કરવા અગાઉ જે પ્રમાણે વ્યવસ્થા હતી. તે મુજબ દર્શન ચાલુ રાખવા લોકોની માંગ છે.