Bhavnagar News : મનપાનું બીજા દિવસે પણ મેગા ડીમોલેશન,ડ્રોન Video આવ્યા સામે

ધોબી સોસાયટીથી બાલવાટિકા તરફ થયેલા દબાણોને હટાવવાની કામગીરી યથાવત દબાણ હટાવવાના આકાશી દ્રશ્યો આવ્યા સામે ગઈકાલ સાંજ સુધીમાં મનપાએ 33 જેટલા ગેરકાયદેસર થયેલા દબાણોને હટાવવામાં આવ્યા ભાવનગર મનપા દ્રારા ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે.ધોબી સોસાયટીથી બાલવાટિકા તરફ થયેલા દબાણો હટાવવાની કામગીરી કરાઈ છે,ગઈકાલે પણ દબાણો દૂર કરવામાં આવ્યાં હતા,ડીપીના 18 મીટરના રોડ ઉપર થયેલા દબાણો હટાવવાનું કામ મનપા દ્વારા કરાઈ રહયું છે.ભાવનગરમાં છેલ્લા ઘણા સમયથી તંત્ર દ્રારા ડિમોલેશનનું કામ કરવામાં આવી રહ્યું છે. ગઈકાલે પણ દબાણો દૂર કરાયા ભાવનગર શહેરમાં બોરતળાવના કાંઠે મહાનગરપાલિકાના દબાણ હટાવ સેલ દ્વારા આજરોજ ગેરકાયદે વસેલી ધોબીઘાટ વસાહતમાં 50 થી વધુ રહેણાંકના મકાનો, દુકાનો અને 5 જેટલા ધાર્મિક દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.ભાવનગર શહેરના બોરતળાવ વિસ્તારમાં આવેલ ધોબી ઘાટ વિસ્તારમાં કેટલાક મકાનમાં સાથે દુકાનો પણ રહેલી છે તો હિન્દુ અને મુસ્લિમોના મળીને પાંચ ધાર્મિક સ્થાનકો પણ ગેરકાયદે ચણાયેલ હતા, જે તમામ દબાણો હટાવી આ રસ્તાને 18 મીટર પહોળો કરવા તંત્રનું આયોજન છે. દબાણ હટ્યા બાદ આગામી દિવસોમાં રસ્તાનું કામકાજ હાથ ધરાશે તેમ જાણવા મળ્યું છે, પોલીસ બંદોબસ્ત ઉપરાંત વીજ તંત્રની ટીમ પણ કાર્યવાહીમાં જોડાઈ હતી. 14 મે 2024ના રોજ પણ દબાણો કરાયા દૂર ભાવનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગની સૂચના અનુસાર સોમવારે દબાણ સેલની ટીમે ૩૦થી વધુ ગેરકાયદે દબાણ દૂર કર્યા હતા અને કેટલોક સામાન જપ્ત કર્યો હતો, જેમાં તળાજા રોડ, રામમંત્ર મંદિરથી મહાવીર જૈન વિદ્યાલય સ્કૂલ સુધી અસ્થાયી પ્રકારના દબાણ દૂર કર્યા હતા તેમજ 01 શેરડીના રસનું મશીન, 06 ખુરશી, 01 કાઉન્ટર, 01 કેબિન,01 ફ્રીઝ, 10 લોખંડના પાઈપ, 01 ટેબલ તથા અન્ય સમાન જપ્ત કર્યો હતો. આ ઉપરાંત 04 શેડ, 02 મંડપ હટાવ્યા હતા તેમજ વગર મંજૂરીના 14 બોર્ડ જપ્ત કર્યા હતાં. અગાઉ 34 દબાણ દૂર કર્યા ભાવનગર શહેરના એસ્ટેટ વિભાગની સૂચના અનુસાર દબાણ સેલની ટીમે ૩૪ ગેરકાયદે દબાણ દુર કર્યા હતા, જેમાં અજય સોસાયટી, તિલકનગર, સુભાષનગર રોડ પર ગેરકાયદેસર કરેલ 7 બાથરૂમ, 8 વંડી, 15 ઓટલા અને 3 પાકા મકાનનાં દબાણો એસ્ટેટ વિભાગ દ્વારા ટાઉન ડેવલોપમેન્ટ વિભાગને સાથે રાખીને દૂર કર્યા હતાં. તિલકનગરમાંથી રોડ પર કરેલ ગેરકાયદેસર 1 પાકી દિવાલ દુર કરી હતી તથા ખરાબો જપ્ત કર્યો હતો. લાંબા સમયથી ગેરકાયદે દબાણ હતાં તેને લઈ મનપાએ લાલ આંખ કરી હતી.

Bhavnagar News : મનપાનું બીજા દિવસે પણ મેગા ડીમોલેશન,ડ્રોન Video આવ્યા સામે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ધોબી સોસાયટીથી બાલવાટિકા તરફ થયેલા દબાણોને હટાવવાની કામગીરી યથાવત
  • દબાણ હટાવવાના આકાશી દ્રશ્યો આવ્યા સામે
  • ગઈકાલ સાંજ સુધીમાં મનપાએ 33 જેટલા ગેરકાયદેસર થયેલા દબાણોને હટાવવામાં આવ્યા

ભાવનગર મનપા દ્રારા ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે.ધોબી સોસાયટીથી બાલવાટિકા તરફ થયેલા દબાણો હટાવવાની કામગીરી કરાઈ છે,ગઈકાલે પણ દબાણો દૂર કરવામાં આવ્યાં હતા,ડીપીના 18 મીટરના રોડ ઉપર થયેલા દબાણો હટાવવાનું કામ મનપા દ્વારા કરાઈ રહયું છે.ભાવનગરમાં છેલ્લા ઘણા સમયથી તંત્ર દ્રારા ડિમોલેશનનું કામ કરવામાં આવી રહ્યું છે.

ગઈકાલે પણ દબાણો દૂર કરાયા

ભાવનગર શહેરમાં બોરતળાવના કાંઠે મહાનગરપાલિકાના દબાણ હટાવ સેલ દ્વારા આજરોજ ગેરકાયદે વસેલી ધોબીઘાટ વસાહતમાં 50 થી વધુ રહેણાંકના મકાનો, દુકાનો અને 5 જેટલા ધાર્મિક દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.ભાવનગર શહેરના બોરતળાવ વિસ્તારમાં આવેલ ધોબી ઘાટ વિસ્તારમાં કેટલાક મકાનમાં સાથે દુકાનો પણ રહેલી છે તો હિન્દુ અને મુસ્લિમોના મળીને પાંચ ધાર્મિક સ્થાનકો પણ ગેરકાયદે ચણાયેલ હતા, જે તમામ દબાણો હટાવી આ રસ્તાને 18 મીટર પહોળો કરવા તંત્રનું આયોજન છે. દબાણ હટ્યા બાદ આગામી દિવસોમાં રસ્તાનું કામકાજ હાથ ધરાશે તેમ જાણવા મળ્યું છે, પોલીસ બંદોબસ્ત ઉપરાંત વીજ તંત્રની ટીમ પણ કાર્યવાહીમાં જોડાઈ હતી.


14 મે 2024ના રોજ પણ દબાણો કરાયા દૂર

ભાવનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગની સૂચના અનુસાર સોમવારે દબાણ સેલની ટીમે ૩૦થી વધુ ગેરકાયદે દબાણ દૂર કર્યા હતા અને કેટલોક સામાન જપ્ત કર્યો હતો, જેમાં તળાજા રોડ, રામમંત્ર મંદિરથી મહાવીર જૈન વિદ્યાલય સ્કૂલ સુધી અસ્થાયી પ્રકારના દબાણ દૂર કર્યા હતા તેમજ 01 શેરડીના રસનું મશીન, 06 ખુરશી, 01 કાઉન્ટર, 01 કેબિન,01 ફ્રીઝ, 10 લોખંડના પાઈપ, 01 ટેબલ તથા અન્ય સમાન જપ્ત કર્યો હતો. આ ઉપરાંત 04 શેડ, 02 મંડપ હટાવ્યા હતા તેમજ વગર મંજૂરીના 14 બોર્ડ જપ્ત કર્યા હતાં.


અગાઉ 34 દબાણ દૂર કર્યા

ભાવનગર શહેરના એસ્ટેટ વિભાગની સૂચના અનુસાર દબાણ સેલની ટીમે ૩૪ ગેરકાયદે દબાણ દુર કર્યા હતા, જેમાં અજય સોસાયટી, તિલકનગર, સુભાષનગર રોડ પર ગેરકાયદેસર કરેલ 7 બાથરૂમ, 8 વંડી, 15 ઓટલા અને 3 પાકા મકાનનાં દબાણો એસ્ટેટ વિભાગ દ્વારા ટાઉન ડેવલોપમેન્ટ વિભાગને સાથે રાખીને દૂર કર્યા હતાં. તિલકનગરમાંથી રોડ પર કરેલ ગેરકાયદેસર 1 પાકી દિવાલ દુર કરી હતી તથા ખરાબો જપ્ત કર્યો હતો. લાંબા સમયથી ગેરકાયદે દબાણ હતાં તેને લઈ મનપાએ લાલ આંખ કરી હતી.