Ahmedabadમાં કોંગ્રેસ કાર્યાલય બહાર પથ્થરમારાની ઘટનાને લઈ પ્રભારી મુકુલ વાસનિક ગુજરાત પહોંચ્યા

કોંગ્રેસના કાર્યકરો અને કાર્યાલય પરનો હુમલો કાયરતા પૂર્વકનો : વાસનિક લોકસભા ચૂંટણી બાદ ભાજપના કામ કરવામાં બદલાવ આવશે એવું લાગતું હતું : વાસનિક જો કે ભાજપની કાર્યપદ્ધતિમાં બદલાવ નથી થયો : વાસનિક અમદાવાદની કોંગ્રેસ ઓફીસની બહાર ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે બે દિવસ પહેલા પથ્થરમારો થયો હતો,જેમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ સામે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક આજે સમગ્ર ઘટનાને તાગ મેળવવાને લઈ અમદાવાદ પહોંચ્યા છે અને કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરી હતી. શું કહ્યું મુકુલ વાસનિકે મુકુલ વાસનિકે મિડીયા સાથે કહ્યું કે, પ્રદેશ કમિટીએ રાહુલ ગાંધીને આમંત્રિત કર્યા છે જેથી આજની બેઠકમાં રાહુલ ગાંધીના પ્રવાસની રૂપરેખા નક્કી થશે.અમારા કાર્યાલય પર હુમલો કરનારની ફરિયાદ લેવાઈ છે અને અમારી નથી લેવાઈ રહી તેવા આક્ષેપો કર્યા હતા.કોંગ્રેસની ફરિયાદ ના લેવી એ બાબત સ્પષ્ટ કરે છે કે સત્તાપક્ષ સાથ આપી રહ્યો છે.સત્તાધારી દળ કોંગ્રેસને દબાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે. અમદાવાદ કોગ્રેસ કાર્યાલય પર બંદોબસ્ત ગોઠવાયો બંને પક્ષે સામસામે પથ્થરમારો શરૂ થયો હતો. 30 મિનિટ જેટલો સમય પથ્થરમારો ચાલ્યો હતો, ત્યારબાદ પોલીસે મામલો થાળે પાડ્યો હતો. પોલીસે અંતે કોંગ્રેસ કાર્યાલયથી પણ કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી. અત્યારે કોંગ્રેસ કાર્યાલય પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રાહુલ ગાંધીએ એકસ પર કરી પોસ્ટ આ મામલે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ એક્સ પર પોસ્ટ પર આ હિંસાની ટીકા કરી ફરીવાર ભાજપ નિશાન સાધ્યું હતુ,અને કહ્યું કે,હિંસા અને નફરત ફેલાવનારા ભાજપના લોકો હિંદુ ધર્મના મૂળ સિદ્ધાંતોને સમજતા નથી,ગુજરાતની જનતા તેમના જુઠ્ઠાણાથી સ્પષ્ટપણે જોવે છે,ભાજપ સરકારને ગુજરાતની પ્રજા નિર્ણાયક પાઠ ભણાવશે,હું ફરી કહું છું - ગુજરાતમાં INDIA જીતવા જઈ રહ્યું છે. મોડી રાતની ઘટના બાદ કોંગ્રેસ કાર્યાલય પર કાર્યકરો રાહુલ ગાંધીના ગઈકાલના નિવેદન બાદ ગઈકાલે જ મોડી રાત ચાર વાગે કોંગ્રેસ કાર્યાલય પર મોટી સંખ્યામાં બજરંગદળ અને VHPના કાર્યકરો પહોંચ્યા હતા. કાર્યકરોએ કોંગ્રેસ ઓફિસ ખાતે રાહુલ ગાંધીનાં પોસ્ટર ફાડી દીધાં હતાં, તો કેટલાંક પોસ્ટર પર સ્પે મારી દીધા હતા. કોંગ્રેસના કાર્યાલયની દીવાલ કૂદીને અંદર ઘૂસ્યા હતા. આ અંગેના ફોટો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયા હતા. આ બનાવની જાણ થતાં વહેલી સવારથી જ કોંગ્રેસ કાર્યાલય પર કાર્યકરો પહોંચ્યા હતા. ભાજપ-કોંગ્રેસ કાર્યકરો સામસામે આવી ગયા હતા ભાજપના કાર્યકરો પાલડી ચાર રસ્તા ઓળંગી કોંગ્રેસ કાર્યાલયે તરફ આવી રહ્યા હતા, ત્યારે કોંગ્રેસના કાર્યકરો ઉશ્કેરાઇને સૂત્રોચ્ચાર સાથે પથ્થરમારો અને હાથમાં રહેલી લાકડીઓ ભાજપના કાર્યકરો પર છૂટી ફેંકી હતી, જેથી ભાજપના કાર્યકરો પણ નીચે પડેલા પથ્થર છૂટા ફેંકવા લાગ્યા હતા. આ દરમિયાન વચ્ચે ઊભેલા પોલીસ પર પણ પથ્થર પાડવા લાગ્યા હતા. કેટલાક પોલીસકર્મીઓ બચવા ગાડીની આસપાસ છુપાઈ ગયા હતા, તો કેટલાક બંને પક્ષે લોકોને રોકી રહ્યા હતા. આ દરમિયાન એક કોન્સ્ટેબલને માથામાં પથ્થર વાગતા ઢળી પડ્યો હતો. જેથી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.  

Ahmedabadમાં કોંગ્રેસ કાર્યાલય બહાર પથ્થરમારાની ઘટનાને લઈ પ્રભારી મુકુલ વાસનિક ગુજરાત પહોંચ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કોંગ્રેસના કાર્યકરો અને કાર્યાલય પરનો હુમલો કાયરતા પૂર્વકનો : વાસનિક
  • લોકસભા ચૂંટણી બાદ ભાજપના કામ કરવામાં બદલાવ આવશે એવું લાગતું હતું : વાસનિક
  • જો કે ભાજપની કાર્યપદ્ધતિમાં બદલાવ નથી થયો : વાસનિક

અમદાવાદની કોંગ્રેસ ઓફીસની બહાર ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે બે દિવસ પહેલા પથ્થરમારો થયો હતો,જેમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ સામે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક આજે સમગ્ર ઘટનાને તાગ મેળવવાને લઈ અમદાવાદ પહોંચ્યા છે અને કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરી હતી.

શું કહ્યું મુકુલ વાસનિકે

મુકુલ વાસનિકે મિડીયા સાથે કહ્યું કે, પ્રદેશ કમિટીએ રાહુલ ગાંધીને આમંત્રિત કર્યા છે જેથી આજની બેઠકમાં રાહુલ ગાંધીના પ્રવાસની રૂપરેખા નક્કી થશે.અમારા કાર્યાલય પર હુમલો કરનારની ફરિયાદ લેવાઈ છે અને અમારી નથી લેવાઈ રહી તેવા આક્ષેપો કર્યા હતા.કોંગ્રેસની ફરિયાદ ના લેવી એ બાબત સ્પષ્ટ કરે છે કે સત્તાપક્ષ સાથ આપી રહ્યો છે.સત્તાધારી દળ કોંગ્રેસને દબાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે.


અમદાવાદ કોગ્રેસ કાર્યાલય પર બંદોબસ્ત ગોઠવાયો

બંને પક્ષે સામસામે પથ્થરમારો શરૂ થયો હતો. 30 મિનિટ જેટલો સમય પથ્થરમારો ચાલ્યો હતો, ત્યારબાદ પોલીસે મામલો થાળે પાડ્યો હતો. પોલીસે અંતે કોંગ્રેસ કાર્યાલયથી પણ કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી. અત્યારે કોંગ્રેસ કાર્યાલય પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

રાહુલ ગાંધીએ એકસ પર કરી પોસ્ટ

આ મામલે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ એક્સ પર પોસ્ટ પર આ હિંસાની ટીકા કરી ફરીવાર ભાજપ નિશાન સાધ્યું હતુ,અને કહ્યું કે,હિંસા અને નફરત ફેલાવનારા ભાજપના લોકો હિંદુ ધર્મના મૂળ સિદ્ધાંતોને સમજતા નથી,ગુજરાતની જનતા તેમના જુઠ્ઠાણાથી સ્પષ્ટપણે જોવે છે,ભાજપ સરકારને ગુજરાતની પ્રજા નિર્ણાયક પાઠ ભણાવશે,હું ફરી કહું છું - ગુજરાતમાં INDIA જીતવા જઈ રહ્યું છે.

મોડી રાતની ઘટના બાદ કોંગ્રેસ કાર્યાલય પર કાર્યકરો

રાહુલ ગાંધીના ગઈકાલના નિવેદન બાદ ગઈકાલે જ મોડી રાત ચાર વાગે કોંગ્રેસ કાર્યાલય પર મોટી સંખ્યામાં બજરંગદળ અને VHPના કાર્યકરો પહોંચ્યા હતા. કાર્યકરોએ કોંગ્રેસ ઓફિસ ખાતે રાહુલ ગાંધીનાં પોસ્ટર ફાડી દીધાં હતાં, તો કેટલાંક પોસ્ટર પર સ્પે મારી દીધા હતા. કોંગ્રેસના કાર્યાલયની દીવાલ કૂદીને અંદર ઘૂસ્યા હતા. આ અંગેના ફોટો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયા હતા. આ બનાવની જાણ થતાં વહેલી સવારથી જ કોંગ્રેસ કાર્યાલય પર કાર્યકરો પહોંચ્યા હતા.

ભાજપ-કોંગ્રેસ કાર્યકરો સામસામે આવી ગયા હતા

ભાજપના કાર્યકરો પાલડી ચાર રસ્તા ઓળંગી કોંગ્રેસ કાર્યાલયે તરફ આવી રહ્યા હતા, ત્યારે કોંગ્રેસના કાર્યકરો ઉશ્કેરાઇને સૂત્રોચ્ચાર સાથે પથ્થરમારો અને હાથમાં રહેલી લાકડીઓ ભાજપના કાર્યકરો પર છૂટી ફેંકી હતી, જેથી ભાજપના કાર્યકરો પણ નીચે પડેલા પથ્થર છૂટા ફેંકવા લાગ્યા હતા. આ દરમિયાન વચ્ચે ઊભેલા પોલીસ પર પણ પથ્થર પાડવા લાગ્યા હતા. કેટલાક પોલીસકર્મીઓ બચવા ગાડીની આસપાસ છુપાઈ ગયા હતા, તો કેટલાક બંને પક્ષે લોકોને રોકી રહ્યા હતા. આ દરમિયાન એક કોન્સ્ટેબલને માથામાં પથ્થર વાગતા ઢળી પડ્યો હતો. જેથી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.