Ahmedabad Rathyatraમાં જગન્નાથજીને સરસપુર પહોંચ્યા બાદ રથમાં જ સખડીનો ભોગ ધરાવાય છે

જગન્નાથજીને સરસપુર પહોંચ્યા બાદ રથમાં જ સખડીનો ભોગ ચઢાવવાનું વિશેષ મહત્વ ભગવાનનું મોસાળ એટલે સરસપુર કે જયા તેમને લાડ લડાવાય છે સખડીના ભોગ સાથે જગન્નાથજીનો છે વિશેષ નાતો અમદાવાદીઓ માટે ઉત્સાહ અને તહેવારનું પર્વ એટલે અષાઢી બીજનો પાવન પર્વ આ અષાઢી બીજે જગન્નાથજી નગરચર્યા કરીને ભક્તોના દ્વારે દર્શન આપવા જતા હોય છે ત્યારે સમગ્ર અમદાવાદની શેરીએ શેરીએ જય રણછોડ માખણ ચોરના નાથજી ભક્તિમય બની જતી હોય છે અને ભગવાન જગન્નાથજી ને રથમાં બિરાજમાન જોવા માટે દૂર દૂરથી શ્રધ્ધાળુઓ રથયાત્રા રૂટ ઉપર ઉમટી પડતા હોય છે જાણો ભગવાનના પ્રસાદનું મહત્વ ગુજરાતનું અમદાવાદ શહેર જ્યાં લાખો ભક્તો ભગવાન જગન્નાથની રથયાત્રામાં ભાગ લેવા પહોંચી રહ્યા છે, તે ભક્તોની આસ્થા જ અનોખી હોય છેઅહીં વિશ્વના ભગવાનના ધામમાં બધું જ મહાન છે, તેથી જ ભગવાન જગન્નાથના ધામને મહાધામ, દીપને મહાદીપ, તેમના હાથને મહાબાહુ અને તેમના માટે તૈયાર કરાયેલા પ્રસાદને મહાપ્રસાદ કહેવામાં આવે છે. ચાલો જાણીએ ભગવાન જગન્નાથ માટે જે રસોડામાં ભોગ તૈયાર કરવામાં આવે છે, ત્યાં તૈયાર કરવામાં આવેલ ભોગની પદ્ધતિ અને ભગવાનને અર્પણ કરવાના નિયમો વગેરે વિશે. સખડીનો ભોગ ભગવાનને પ્રિય ભગવાન જગન્નાથજીના ભોગનું પણ અનોખા મહત્વની સાથે તેના નિયમો પણ અનોખા છે તમને જણાવી દઈએ કે પુરીના ધામની જેમ અમદાવાદના જગન્નાથ ધામમાં રસોડું કે જ્યાં ભગવાન માટે ભોગ તૈયાર કરવામાં આવે છે,જ્યાં ભગવાન જગન્નાથ માટે ભોજન તૈયાર કરવામાં આવે છે તે રસોડામાં કોઈને પ્રવેશવાની મંજૂરી નથી.ખાસ કરીને તે સમયે જ્યારે ભગવાન જગન્નાથ માટે તૈયાર કરાયેલા સખડીના ભોગ લેવામાં આવે છે, ત્યારે તે રીતે કોઈને પ્રવેશ આપવામાં આવતો નથી. એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ સખડીનો ભોગ લઈને જતી વખતે રસ્તાની વચ્ચે આવી જાય તો તે સખડીનો ભોગ ભગવાનને ચઢાવવામાં આવતો નથી. રાજુ માડી બનાવે છે સખડીનો ભોગ સખડીનો ભોગ બનાવનાર વૈષ્ણવ સમાજના મહંત પરંપરાગત રીતે બનાવે છે સખડી.એ સખડીના ભોગ સમયે રસોડામાં કોઈ પ્રવેશી શકતું નહીં અને કોઈ અન્ય વ્યક્તિનો પડછાયો પણ પડવો ન જોઈએ તે સરસપુરની આંબલીવાળની પોળમાં રાજુ માડી દ્વારા જ બનાવવામાં આવે છે આ પરિવાર દ્વારા પેઢીઓથી સખડીનો ભોગ ભગવાન માટે બનાવવાની પરંપરા રહી છે. માટીના વાસણોમાં બને છે ભોજન ભગવાનના રસોડામાં ભોજન બનાવવાની પરંપરા પણ પોતાનામાં અનોખી છે. ભગવાનના ભોજનને રાંધવા માટે અહીં માત્ર અને માત્ર માટીના વાસણોનો ઉપયોગ કરવામાં આવે છે. હિંદુ માન્યતા અનુસાર, માટીને પવિત્ર માનવામાં આવે છે, તેથી જ અહીં માટીના વાસણોનો ઉપયોગ કરવામાં આવે છે અને એકવાર ઉપયોગ કર્યા પછી તે ફરીથી ઉપયોગમાં લેવાતા નથી. ભગવાનનો ભોગ બનાવવા માટે સ્ટવ પર માટીના વાસણો એક બીજા ઉપર રાખવામાં આવે છે. આ વાસણોમાં, ઉપરના વાસણનો ભોગ પહેલા રાંધવામાં આવે છે અને આશ્ચર્યજનક રીતે, નીચેના વાસણનો ભોગ અંતે તૈયાર કરવામાં આવે છે. હવે વાત કરીએ ભગવાનના મોસાળની મોસાળવાસીઓ ભગવાન તેમના મામાના ઘરે આવ્યા છે ત્યારે મોસાળવાસીઓએ ભજન કીર્તનના નાથ સાથે ભગવાનની મહેમાનગતી કરી રહ્યા છે અને કહેવાય છે ને કે કૃષ્ણની ભક્તિમાં લીન થાવ ત્યારે ભગવાનને ભજવા સિવાય કઈ યાદ જ રહેતું નહીં તેવી જ ભક્તિ અહીંયા સરસપુર વાસીઓની જોવા મળે છે.આમ ભગવાન જગન્નાથજીની ભકિતમાં ભકતો લીન થઈ ગયા છે અને રથમાં બિરાજમાન થઈ આવતા ભણેજોના મામેરા,સામૈયા કરવાની આતુરતાથી વાટ જોઈને બેઠા છે,ત્યારે ભગવાનના ઘર એવા સરસપુર રણછોડરાય મંદિરમાં ભગવાન રથમાં સખડીનો ભોગ ચઢાવે છે બાદમાં ખીચડાનો ભોગ અપાય છે.

Ahmedabad Rathyatraમાં જગન્નાથજીને સરસપુર પહોંચ્યા બાદ રથમાં જ સખડીનો ભોગ ધરાવાય છે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • જગન્નાથજીને સરસપુર પહોંચ્યા બાદ રથમાં જ સખડીનો ભોગ ચઢાવવાનું વિશેષ મહત્વ
  • ભગવાનનું મોસાળ એટલે સરસપુર કે જયા તેમને લાડ લડાવાય છે
  • સખડીના ભોગ સાથે જગન્નાથજીનો છે વિશેષ નાતો

અમદાવાદીઓ માટે ઉત્સાહ અને તહેવારનું પર્વ એટલે અષાઢી બીજનો પાવન પર્વ આ અષાઢી બીજે જગન્નાથજી નગરચર્યા કરીને ભક્તોના દ્વારે દર્શન આપવા જતા હોય છે ત્યારે સમગ્ર અમદાવાદની શેરીએ શેરીએ જય રણછોડ માખણ ચોરના નાથજી ભક્તિમય બની જતી હોય છે અને ભગવાન જગન્નાથજી ને રથમાં બિરાજમાન જોવા માટે દૂર દૂરથી શ્રધ્ધાળુઓ રથયાત્રા રૂટ ઉપર ઉમટી પડતા હોય છે

જાણો ભગવાનના પ્રસાદનું મહત્વ

ગુજરાતનું અમદાવાદ શહેર જ્યાં લાખો ભક્તો ભગવાન જગન્નાથની રથયાત્રામાં ભાગ લેવા પહોંચી રહ્યા છે, તે ભક્તોની આસ્થા જ અનોખી હોય છેઅહીં વિશ્વના ભગવાનના ધામમાં બધું જ મહાન છે, તેથી જ ભગવાન જગન્નાથના ધામને મહાધામ, દીપને મહાદીપ, તેમના હાથને મહાબાહુ અને તેમના માટે તૈયાર કરાયેલા પ્રસાદને મહાપ્રસાદ કહેવામાં આવે છે. ચાલો જાણીએ ભગવાન જગન્નાથ માટે જે રસોડામાં ભોગ તૈયાર કરવામાં આવે છે, ત્યાં તૈયાર કરવામાં આવેલ ભોગની પદ્ધતિ અને ભગવાનને અર્પણ કરવાના નિયમો વગેરે વિશે.


સખડીનો ભોગ ભગવાનને પ્રિય

ભગવાન જગન્નાથજીના ભોગનું પણ અનોખા મહત્વની સાથે તેના નિયમો પણ અનોખા છે તમને જણાવી દઈએ કે પુરીના ધામની જેમ અમદાવાદના જગન્નાથ ધામમાં રસોડું કે જ્યાં ભગવાન માટે ભોગ તૈયાર કરવામાં આવે છે,જ્યાં ભગવાન જગન્નાથ માટે ભોજન તૈયાર કરવામાં આવે છે તે રસોડામાં કોઈને પ્રવેશવાની મંજૂરી નથી.ખાસ કરીને તે સમયે જ્યારે ભગવાન જગન્નાથ માટે તૈયાર કરાયેલા સખડીના ભોગ લેવામાં આવે છે, ત્યારે તે રીતે કોઈને પ્રવેશ આપવામાં આવતો નથી. એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ સખડીનો ભોગ લઈને જતી વખતે રસ્તાની વચ્ચે આવી જાય તો તે સખડીનો ભોગ ભગવાનને ચઢાવવામાં આવતો નથી.

રાજુ માડી બનાવે છે સખડીનો ભોગ

સખડીનો ભોગ બનાવનાર વૈષ્ણવ સમાજના મહંત પરંપરાગત રીતે બનાવે છે સખડી.એ સખડીના ભોગ સમયે રસોડામાં કોઈ પ્રવેશી શકતું નહીં અને કોઈ અન્ય વ્યક્તિનો પડછાયો પણ પડવો ન જોઈએ તે સરસપુરની આંબલીવાળની પોળમાં રાજુ માડી દ્વારા જ બનાવવામાં આવે છે આ પરિવાર દ્વારા પેઢીઓથી સખડીનો ભોગ ભગવાન માટે બનાવવાની પરંપરા રહી છે.


માટીના વાસણોમાં બને છે ભોજન

ભગવાનના રસોડામાં ભોજન બનાવવાની પરંપરા પણ પોતાનામાં અનોખી છે. ભગવાનના ભોજનને રાંધવા માટે અહીં માત્ર અને માત્ર માટીના વાસણોનો ઉપયોગ કરવામાં આવે છે. હિંદુ માન્યતા અનુસાર, માટીને પવિત્ર માનવામાં આવે છે, તેથી જ અહીં માટીના વાસણોનો ઉપયોગ કરવામાં આવે છે અને એકવાર ઉપયોગ કર્યા પછી તે ફરીથી ઉપયોગમાં લેવાતા નથી. ભગવાનનો ભોગ બનાવવા માટે સ્ટવ પર માટીના વાસણો એક બીજા ઉપર રાખવામાં આવે છે. આ વાસણોમાં, ઉપરના વાસણનો ભોગ પહેલા રાંધવામાં આવે છે અને આશ્ચર્યજનક રીતે, નીચેના વાસણનો ભોગ અંતે તૈયાર કરવામાં આવે છે.

હવે વાત કરીએ ભગવાનના મોસાળની

મોસાળવાસીઓ ભગવાન તેમના મામાના ઘરે આવ્યા છે ત્યારે મોસાળવાસીઓએ ભજન કીર્તનના નાથ સાથે ભગવાનની મહેમાનગતી કરી રહ્યા છે અને કહેવાય છે ને કે કૃષ્ણની ભક્તિમાં લીન થાવ ત્યારે ભગવાનને ભજવા સિવાય કઈ યાદ જ રહેતું નહીં તેવી જ ભક્તિ અહીંયા સરસપુર વાસીઓની જોવા મળે છે.આમ ભગવાન જગન્નાથજીની ભકિતમાં ભકતો લીન થઈ ગયા છે અને રથમાં બિરાજમાન થઈ આવતા ભણેજોના મામેરા,સામૈયા કરવાની આતુરતાથી વાટ જોઈને બેઠા છે,ત્યારે ભગવાનના ઘર એવા સરસપુર રણછોડરાય મંદિરમાં ભગવાન રથમાં સખડીનો ભોગ ચઢાવે છે બાદમાં ખીચડાનો ભોગ અપાય છે.