Ahmedabad: Chandipura Virusનો પ્રથમ પોઝિટિવ કેસ નોંધાયો, બાળક SMS હોસ્પિટલમાં સારવાર હેઠળ

પોઝિટિવ રિપોર્ટ ધરાવતો બાળક સાબરમતી વિસ્તારનો, SMS હોસ્પિટલમાં દાખલસરદારનગરની 11 વર્ષની બાળકીનું થયુ મોત ચાંદીપુરા વાયરસના 2 દર્દી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ સમગ્ર રાજ્યમાં ચાંદીપુરા વાયરસને હાહાકાર મચાવ્યો છે. અત્યાર સુધીમાં ઘણા કેસ નોંધાયા છે અને ઘણા લોકોના આ વાયરસના કારણે મોત પણ થયા છે. ઉલ્લેખનીય છે કે આ વાયરસ 9 મહિનાથી લઈને 14 વર્ષના બાળકમાં સૌથી વધારે જોવા મળે છે. ત્યારે અમદાવાદ વિસ્તારમાં રહેતા બાળકનો ચાંદીપુરાનો પ્રથમ પોઝિટિવ કેસ નોંધાયો છે. ચાંદીપુરા વાયરસના અત્યાર સુધીમાં 7 શંકાસ્પદ કેસ નોંધાઈ ચૂક્યા હાલમાં પોઝિટિવ રિપોર્ટ ધરાવતો બાળક સાબરમતી વિસ્તારનો છે અને તેને સારવાર માટે SMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે અમદાવાદમાં ચાંદીપુરા વાયરસના અત્યાર સુધીમાં 7 શંકાસ્પદ કેસ નોંધાઈ ચૂક્યા છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં કૂલ 3 નેગેટિવ અને 1 પોઝિટિવ તથા 3 કેસના રિપોર્ટ હજુ પેન્ડિંગ છે. બે દિવસ પહેલા જ સરદારનગર વિસ્તારની 11 વર્ષની બાળકીનું મોત થયું હતું, જેનો રિપોર્ટ આવવાનો હજુ પણ બાકી છે. સરદાર નગર અને અમરાઈવાડીની 11 વર્ષની 2 બાળકી સારવાર હેઠળ આ સિવાય ચાંદીપુરા વાયરસના 2 દર્દી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ છે. શહેરના સરદારનગર અને અમરાઈવાડી વિસ્તારની 11 વર્ષની 2 બાળકી સારવાર હેઠળ છે. ત્યારે અમરાઈવાડી વિસ્તારમાં રહેતી 11 વર્ષની છોકરીને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાઈ છે. રાજકોટમાં પણ વધુ એક કેસ આવ્યો સામે રાજકોટમાં ચાંદીપુરા વાયરસનો વધુ એક શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. જેમાં સાત માસના બાળકમાં લક્ષણો દેખાયા છે. તેમજ ગોંડલના અનિડા ગામથી બાળકને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. બાળકનો પરિવાર મુળ મધ્યપ્રદેશનો હોવાનું સામે આવ્યું ઠછે. બાળકનો પરિવાર એક માસ પહેલા મધ્યપ્રદેશથી અનિડા વસવાટ માટે અને ખેત મજૂરી કામ માટે પરિવાર અનિડા ગામે આવ્યો હતો. બાળકના સેમ્પલ લઈને લેબમાં મોકલાયા છે. રાજકોટમાં ચાંદીપુરા વાયરસના કારણે પાંચ બાળકોના મોત થયા છે. સમગ્ર ગુજરાતમાં બાળકો પર મોતનું જોખમ સર્જતા ચાંદીપુરા વાયરસથી ફફડાટ ફેલાયો છે. આ રોગ ખરેખર શુ છે? તબીબી સૂત્રો અનુસાર આ વાયરસ સેન્ડફ્લાય કે જે બાલુમાખી તરીકે ઓળખાય છે તે કરડવાથી ફેલાય છે અને આ માખી મકાનોની દિવાલોની અંદર કે બહારની તિરાડમાં રહે છે અને અંધારિયો, હવા ઉજાસ વગરનો રૂમ હોય તેમાં પેદા થાય છે.

Ahmedabad: Chandipura Virusનો પ્રથમ પોઝિટિવ કેસ નોંધાયો, બાળક SMS હોસ્પિટલમાં સારવાર હેઠળ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પોઝિટિવ રિપોર્ટ ધરાવતો બાળક સાબરમતી વિસ્તારનો, SMS હોસ્પિટલમાં દાખલ
  • સરદારનગરની 11 વર્ષની બાળકીનું થયુ મોત
  • ચાંદીપુરા વાયરસના 2 દર્દી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ

સમગ્ર રાજ્યમાં ચાંદીપુરા વાયરસને હાહાકાર મચાવ્યો છે. અત્યાર સુધીમાં ઘણા કેસ નોંધાયા છે અને ઘણા લોકોના આ વાયરસના કારણે મોત પણ થયા છે. ઉલ્લેખનીય છે કે આ વાયરસ 9 મહિનાથી લઈને 14 વર્ષના બાળકમાં સૌથી વધારે જોવા મળે છે. ત્યારે અમદાવાદ વિસ્તારમાં રહેતા બાળકનો ચાંદીપુરાનો પ્રથમ પોઝિટિવ કેસ નોંધાયો છે.

ચાંદીપુરા વાયરસના અત્યાર સુધીમાં 7 શંકાસ્પદ કેસ નોંધાઈ ચૂક્યા

હાલમાં પોઝિટિવ રિપોર્ટ ધરાવતો બાળક સાબરમતી વિસ્તારનો છે અને તેને સારવાર માટે SMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે અમદાવાદમાં ચાંદીપુરા વાયરસના અત્યાર સુધીમાં 7 શંકાસ્પદ કેસ નોંધાઈ ચૂક્યા છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં કૂલ 3 નેગેટિવ અને 1 પોઝિટિવ તથા 3 કેસના રિપોર્ટ હજુ પેન્ડિંગ છે. બે દિવસ પહેલા જ સરદારનગર વિસ્તારની 11 વર્ષની બાળકીનું મોત થયું હતું, જેનો રિપોર્ટ આવવાનો હજુ પણ બાકી છે.

સરદાર નગર અને અમરાઈવાડીની 11 વર્ષની 2 બાળકી સારવાર હેઠળ

આ સિવાય ચાંદીપુરા વાયરસના 2 દર્દી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ છે. શહેરના સરદારનગર અને અમરાઈવાડી વિસ્તારની 11 વર્ષની 2 બાળકી સારવાર હેઠળ છે. ત્યારે અમરાઈવાડી વિસ્તારમાં રહેતી 11 વર્ષની છોકરીને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાઈ છે.

રાજકોટમાં પણ વધુ એક કેસ આવ્યો સામે

રાજકોટમાં ચાંદીપુરા વાયરસનો વધુ એક શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. જેમાં સાત માસના બાળકમાં લક્ષણો દેખાયા છે. તેમજ ગોંડલના અનિડા ગામથી બાળકને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. બાળકનો પરિવાર મુળ મધ્યપ્રદેશનો હોવાનું સામે આવ્યું ઠછે. બાળકનો પરિવાર એક માસ પહેલા મધ્યપ્રદેશથી અનિડા વસવાટ માટે અને ખેત મજૂરી કામ માટે પરિવાર અનિડા ગામે આવ્યો હતો. બાળકના સેમ્પલ લઈને લેબમાં મોકલાયા છે.

રાજકોટમાં ચાંદીપુરા વાયરસના કારણે પાંચ બાળકોના મોત થયા છે. સમગ્ર ગુજરાતમાં બાળકો પર મોતનું જોખમ સર્જતા ચાંદીપુરા વાયરસથી ફફડાટ ફેલાયો છે. આ રોગ ખરેખર શુ છે? તબીબી સૂત્રો અનુસાર આ વાયરસ સેન્ડફ્લાય કે જે બાલુમાખી તરીકે ઓળખાય છે તે કરડવાથી ફેલાય છે અને આ માખી મકાનોની દિવાલોની અંદર કે બહારની તિરાડમાં રહે છે અને અંધારિયો, હવા ઉજાસ વગરનો રૂમ હોય તેમાં પેદા થાય છે.