Ahmedabad : 5 હજાર કરોડના ભ્રષ્ટાચારના કેસમાં મોન્ટુ પટેલને ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પ્રમુખ પદેથી હટાવાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
5 હજાર કરોડના ભ્રષ્ટાચારના કેસમાં મોન્ટુ પટેલને ઝટકો લાગે તેવા સમાચાર આવી રહ્યા છે. મોન્ટુ પટેલને ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પ્રમુખ પદેથી હટાવાયો છે અને ઉપ પ્રમુખ જશુ ચૌધરી વચગાળાના પ્રમુખ બન્યા છે. હવે 3 મહિનામાં ફાર્મસી કાઉન્સિલના નવા પ્રમુખની વરણી થશે
રાજ્ય ફાર્મસી કાઉન્સિલમાંથી હકાલપટ્ટી કરાઇ હતી
અગાઉ મોન્ટુ પટેલની રાજ્ય ફાર્મસી કાઉન્સિલમાંથી હકાલપટ્ટી કરાઇ હતી. હવે મોન્ટુ પટેલને ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પ્રમુખ પદેથી હટાવાયો છે. રાજ્ય સરકાર બાદ કેન્દ્ર સરકારે આ આદેશ આપ્યો હતો. અને 3 મહિનામાં ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના નવા પ્રમુખની વરણી કરવા આદેશ કર્યો હતો.
મોન્ટુ પટેલ પર 5 હજાર કરોડના કૌંભાડનો આરોપ
ઉલ્લેખનિય છે કે મોન્ટુ પટેલ પર 5 હજાર કરોડના કૌંભાડનો આરોપ છે. તાજેતરમાં સીબીઆઇ દ્વારા પણ મોન્ટુ પટેલના ઘેર તથા ઓફિસે દરોડા પાડવામાં આવ્યા હતા. અને અનેક મહત્વના દસ્તાવેજો જપ્ત કરાયા હતા કોલેજોને માન્યતા આપવાના મુદ્દે મોન્ટુ પટેલ પર આરોપ લગાવીને ફરિયાદ કરાઇ હતી. કેન્દ્ર સરકાર દ્વારા ફરિયાદ કરાઇ હતી જેના પગલે સીબીઆઇએ મોન્ટુ પટેલ સહિત ચાર લોકો સામે ફરિયાદ નોંધી હતી
What's Your Reaction?






