Patan: નદીમાં પાણીનો સંગ્રહ થયા બાદ વધુ 1 વ્યક્તિ ડૂબી જવાની ઘટના

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સિદ્ધપુર ખાતે તાજેતરમાં પડેલા વરસાદને કારણે સરસ્વતી નદીમાં નવા નીર આવતાં નદીમાં હાલમાં પાણી ભરેલું છે. વહીવટી તંત્રી દ્ધારા અનેક વખત લોકોને સાવચેત કરાયા છે કે પાણી તરફ ના જવું છતાં કેટલાક બેદરકાર લોકો પાણીના વહેણ તરફ જઈને પોતાના જીવ ગુમાવી રહ્યા છે. જેમાં અગાઉ પણ મૃતદેહ મળી આવ્યા હતા ત્યારબાદ હવે ફરીથી વધું એક સિદ્ધપુરના એક યુવકનો મૃતદેહ મળી આવતાં તેને પાણીમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે લવાયો હતો.
સિદ્ધપુર ખાતે પસુવાદળની પોળ નજીકથી સરસ્વતી નદીમાં કોઈ મૃતદેહ તરતો જણાઈ આવતાં હોમગાર્ડ અને ફાયર વિભાગના જવાનો દ્વારા તેને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. મૃતકની ઓળખ ગૌરાંગ રજનીકાંત ઠાકર તરીકેની થઈ હોવાનું જાણવા મળ્યું હતું. અત્રે નોંધનીય છે કે સિદ્ધપુર સરસ્વતી નદીમાંથી છેલ્લા એકાદ મહિનામાં છ જેટલા લોકોના મૃત્યુ થયા છે.
What's Your Reaction?






