જામનગર પાલિકા દ્વારા ખીજડીયા સમ્પ સ્થળે મેગા વૃક્ષારોપણ કરાયુ : 1100 વૃક્ષોનું વૃક્ષારોપણ કરાયું

Mega Tree Plantation at Khijadiya Sump : જામનગર મહાનગરપાલિકા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પરીકલ્પના મુજબ “એક વ્યક્તિ એક વૃક્ષ" અને “એક વૃક્ષ માં કે નામ” સુત્રને સાર્થક કરતા આગામી દિવસોમાં 5000 વૃક્ષોનું વૃક્ષારોપણ કરવા માટે અભિયાન હાથ ધરવામાં આવ્યુ છે. જેના ભાગરૂપે ખીજડીયા સમ્પ પાસે 1100 વૃક્ષોનું આજે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.જામનગર નજીકના ખીજડીયા સમ્યમાં યોજવામાં આવેલા વૃક્ષારોપણમાં જામનગર મહાનગરપાલિકા, વનવિભાગ જામનગર અને નંદ વિદ્યા નિક્તન સ્કુલના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ કાર્યક્રમમાં મહાનગરપાલિકાના મેયર વિનોદ ખીમસૂર્યા, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન નિલેશ કગથરા,  શાસક પક્ષ નેતા આશિષ જોષી, શાસક પક્ષ દંડક કેતન નાખવા, મ્યુનિ. કમિશ્નર ડી.એન.મોદી, નાયબ વન સંરક્ષક આર.ધનપાલ, નાયબ વન સંરક્ષક આર.બી.પરસાણા, કોર્પોરેટર ગોપાલભાઇ સોરઠીયા, ડે.કમિશ્નર ડી.એ.ઝાલા, સીટી એન્જીનીયર ભાવેશ જાની વગેરે ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતા મ્યુનિસિપલ કમિશ્નરે જણાવ્યું હતું કે ઘનિષ્ઠ વૃક્ષારોપણના કારણે આપણને વધુ માત્રામાં ઓક્સીજન મળી રહે છે. અને વરસાદ સારા એવા માત્રામાં પડે છે.  પૃથ્વી ઉપર વૃક્ષો વગર મનુષ્યનું અસ્તીત્વ શક્ય જ નથી માટે આપણે આપણું અસ્તીત્વ ટકાવી રાખવા માટે પણ વિશાળ પ્રમાણમાં વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. વધુમાં, જણાવતા કહ્યું હતુ કે, પાન-મસાલા દ્વારા પ્લાસ્ટીક જે તે જગ્યાએ ફેકી દેવાથી તે પ્લાસ્ટીક જમીનમાં જાય છે અને જમીનની ફળદ્રુપતા ઓછી કરે છે માટે લોકો તેઓના રોજ બરોજના વ્યવહારમાં પ્લાસ્ટીકનો ઉપયોગ ખુબ ઓછા પ્રમાણમાં કરવો જોઈએ. સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરાએ તેમના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે મહાનગરપાલિકા, વનવિભાગ સ્વૈચ્છીક સંસ્થાઓ અને પર્યાવરણ પ્રેમીઓને સાથે રાખી આગામી દિવસોમાં 5000 વૃક્ષોનું વાવેતર કરવા જઈ રહી છે. જેના ભાગરૂપે આજે 1100 વૃક્ષોનું વૃક્ષારોપણ ખીજડીયા સમ્પમાં કરવામાં આવ્યું છે. વિશ્વ પ્રસિધ્ધ ખીજડીયા પક્ષી અભ્યારણની નજીક આ જગ્યા આવેલી હોય ખાસ અહીં પક્ષીઓને ખોરાક મળી રહે તે પ્રકારના વૃક્ષો સરગવો, સીતાફળ, રેઈન ટ્રી, આમળા, સેતુર, જાંબુ, દાડમ અને બોરસલી, દેશી ગુંદી વિગેરેના વૃક્ષો વાવવામાં આવ્યા છે. ખીજડીયા સમ્પમાં વાવેતર કરવાથી મહાનગરપાલિકાને ટ્રી ગાર્ડનો ખર્ચ તેમજ પાણીનો ખર્ચ પણ બચી જવા પામશે. તેવું સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન નિલેષ કગથરાએ વધુમાં જણાવ્યું હતું.વૃક્ષારોપણ કાર્યક્રમમાં નંદ વિદ્યા નિકેતનના આચાર્ય રાધેક્રિષ્ના પાંડે અને અંબીકા મેડમના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ નુકકડ શેરી નાટક દ્વારા વૃક્ષનું મહત્વ જણાવ્યું હતું અને લોકોને વૃક્ષ વાવવા પ્રોત્સાહીત કર્યા હતા. શેરી નાટક ભજવનાર તમામ વિદ્યાર્થીઓને મહાનગરપાલિકા દ્વારા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી હતી. તેમજ વિદ્યાર્થીઓને પર્યાવરણની જાળવણી અંગેના સપથ લેવડાવ્યા હતા. કાર્યક્રમના અંતે ઉપસ્થિત આગેવાનો, વિદ્યાર્થીઓ સ્વૈચ્છીક સંસ્થાના હોદેદારો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. 

જામનગર પાલિકા દ્વારા ખીજડીયા સમ્પ સ્થળે મેગા વૃક્ષારોપણ કરાયુ : 1100 વૃક્ષોનું વૃક્ષારોપણ કરાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Mega Tree Plantation at Khijadiya Sump : જામનગર મહાનગરપાલિકા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પરીકલ્પના મુજબ “એક વ્યક્તિ એક વૃક્ષ" અને “એક વૃક્ષ માં કે નામ” સુત્રને સાર્થક કરતા આગામી દિવસોમાં 5000 વૃક્ષોનું વૃક્ષારોપણ કરવા માટે અભિયાન હાથ ધરવામાં આવ્યુ છે. જેના ભાગરૂપે ખીજડીયા સમ્પ પાસે 1100 વૃક્ષોનું આજે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

જામનગર નજીકના ખીજડીયા સમ્યમાં યોજવામાં આવેલા વૃક્ષારોપણમાં જામનગર મહાનગરપાલિકા, વનવિભાગ જામનગર અને નંદ વિદ્યા નિક્તન સ્કુલના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ કાર્યક્રમમાં મહાનગરપાલિકાના મેયર વિનોદ ખીમસૂર્યા, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન નિલેશ કગથરા,  શાસક પક્ષ નેતા આશિષ જોષી, શાસક પક્ષ દંડક કેતન નાખવા, મ્યુનિ. કમિશ્નર ડી.એન.મોદી, નાયબ વન સંરક્ષક આર.ધનપાલ, નાયબ વન સંરક્ષક આર.બી.પરસાણા, કોર્પોરેટર ગોપાલભાઇ સોરઠીયા, ડે.કમિશ્નર ડી.એ.ઝાલા, સીટી એન્જીનીયર ભાવેશ જાની વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતા મ્યુનિસિપલ કમિશ્નરે જણાવ્યું હતું કે ઘનિષ્ઠ વૃક્ષારોપણના કારણે આપણને વધુ માત્રામાં ઓક્સીજન મળી રહે છે. અને વરસાદ સારા એવા માત્રામાં પડે છે.  પૃથ્વી ઉપર વૃક્ષો વગર મનુષ્યનું અસ્તીત્વ શક્ય જ નથી માટે આપણે આપણું અસ્તીત્વ ટકાવી રાખવા માટે પણ વિશાળ પ્રમાણમાં વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. વધુમાં, જણાવતા કહ્યું હતુ કે, પાન-મસાલા દ્વારા પ્લાસ્ટીક જે તે જગ્યાએ ફેકી દેવાથી તે પ્લાસ્ટીક જમીનમાં જાય છે અને જમીનની ફળદ્રુપતા ઓછી કરે છે માટે લોકો તેઓના રોજ બરોજના વ્યવહારમાં પ્લાસ્ટીકનો ઉપયોગ ખુબ ઓછા પ્રમાણમાં કરવો જોઈએ. 

સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરાએ તેમના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે મહાનગરપાલિકા, વનવિભાગ સ્વૈચ્છીક સંસ્થાઓ અને પર્યાવરણ પ્રેમીઓને સાથે રાખી આગામી દિવસોમાં 5000 વૃક્ષોનું વાવેતર કરવા જઈ રહી છે. જેના ભાગરૂપે આજે 1100 વૃક્ષોનું વૃક્ષારોપણ ખીજડીયા સમ્પમાં કરવામાં આવ્યું છે. વિશ્વ પ્રસિધ્ધ ખીજડીયા પક્ષી અભ્યારણની નજીક આ જગ્યા આવેલી હોય ખાસ અહીં પક્ષીઓને ખોરાક મળી રહે તે પ્રકારના વૃક્ષો સરગવો, સીતાફળ, રેઈન ટ્રી, આમળા, સેતુર, જાંબુ, દાડમ અને બોરસલી, દેશી ગુંદી વિગેરેના વૃક્ષો વાવવામાં આવ્યા છે. ખીજડીયા સમ્પમાં વાવેતર કરવાથી મહાનગરપાલિકાને ટ્રી ગાર્ડનો ખર્ચ તેમજ પાણીનો ખર્ચ પણ બચી જવા પામશે. તેવું સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન નિલેષ કગથરાએ વધુમાં જણાવ્યું હતું.

વૃક્ષારોપણ કાર્યક્રમમાં નંદ વિદ્યા નિકેતનના આચાર્ય રાધેક્રિષ્ના પાંડે અને અંબીકા મેડમના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ નુકકડ શેરી નાટક દ્વારા વૃક્ષનું મહત્વ જણાવ્યું હતું અને લોકોને વૃક્ષ વાવવા પ્રોત્સાહીત કર્યા હતા. શેરી નાટક ભજવનાર તમામ વિદ્યાર્થીઓને મહાનગરપાલિકા દ્વારા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી હતી. તેમજ વિદ્યાર્થીઓને પર્યાવરણની જાળવણી અંગેના સપથ લેવડાવ્યા હતા. કાર્યક્રમના અંતે ઉપસ્થિત આગેવાનો, વિદ્યાર્થીઓ સ્વૈચ્છીક સંસ્થાના હોદેદારો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.