સુરેન્દ્રનગરના દુધરેજ પાસે તંત્ર દ્વારા બંધ કરેલા પુલ પર સ્થાનીકો અને કોંગ્રેસે રામધૂન બોલાવી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પુલ બંધ કર્યા બાદ રીપેરીંગ કામગીરી શરૃ ન કરાતા વાહન ચાલકોને હાલાકી
પાલિકાના અઘડ નિર્ણયથી વાહન ચાલકો બિસ્માર ડાયવર્ઝન રસ્તા પરથી ૩ કિલોમીટર ફરીને જવા મજબૂર - નાના વાહનો માટે દુધરેજ પુલ શરૃ રાખવા માંગ
સુરેન્દ્રનગર - વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ગટના બાદ સુરેન્દ્રનગરના દુધરેજ પાસે આવેલો જર્જરિત પુલ આયોજન કર્યા વગર ઉતાવળે બંધ કરી દેતા વાહન ચાલકોને ત્રણ કિલોમીટર દૂર બિસ્માર રસ્તા પસાર થવાની નોબત આવી છે. એટલું જ નહીં બિસ્માર રોડના કારણે અનેકવાર ટ્રાફિકજામની સમસ્યા સર્જાય છે. જેના પગલે વહિવટી તંત્ર દ્વારા બંધ કરવામાં આવેલ પુલ પર સ્થાનીક રહિશો સહિત કોંગ્રેસના આગેવાનોએ વિરોધ કરી તંત્ર તેમજ સરકાર સામે રોષ દાખવ્યો હતો અને લોકોના પડતી હાલાકીને ધ્યાને લઈ નાના વાહનો માટે પુલ શરૃ રાખવામાં આવે તેવી માંગ કરી હતી.
What's Your Reaction?






