સુરતના કતારગામ ઝોનમાં લોકોના વિરોધના કારણે અનામત પ્લોટનો કબજો લેવા ગયેલી પાલિકાની ટીમ પરત ફરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Surat : સુરત પાલિકાના કતારગામ ઝોનમાં વિવાદી એવી ત્રણ ટીપી સ્કીમમાં અનામત પ્લોટનો કબ્જો લેવા માટેની સુચના બાદ ભારે હોબાળો થઈ રહ્યો છે. આજે પાલિકાની ટીમ વેડ રોડ પર એક સોસાયટીનો કબ્જો લેવા માટે ગઈ હતી. ત્યાં લોકોએ ગેટને તાળા મારી વિરોધ કરતા પાલિકાની ટીમે કબજો લીધા વિના પાછા ફરવું પડ્યું હતું. આ ત્રણેય સોસાયટીમાં રહેણાંક મિલકત-વાડી પર રિઝર્વેશન મુકી દેવાયા છે તેના કારણે કબજો લેવામાં આગામી દિવસોમાં પણ લોકોના વિરોધનો સામનો કરવો પડે તેવી સ્થિતિ છે.
સુરત પાલિકાના કતારગામ ઝોનમાં ટીપી સ્કીમ નંબર 49, 50 અને 51માં રહેણાંક મિલકત, સોસાયટીની વાડી અને રહેણાંક મિલકત પર રિર્ઝેશન મુકવામાં આવ્યા છે તેના કારણે વિવાદ ઉભો થયો છે.
What's Your Reaction?






