રેલવે સ્ટેશન પર પ્રવાસીઓની ભીડ વચ્ચે ગઠિયાઓ પણ સક્રિય

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરા, તા.20 દિવાળીના તહેવારો દરમિયાન વતનમાં જવા માટે રેલવે સ્ટેશન પર પ્રવાસીઓનો ભારે ધસારો રહ્યો છે. આવા સમયે કેટલાંક ગઠિયાઓ પણ સક્રિય થઇ ગયા છે. વડોદરાથી રાજસ્થાન વતનમાં જતા રિફાઇનરીના એક કર્મચારીની પત્નીનું સોના-ચાંદીના દાગીના મૂકેલું પર્સ એક મહિલા સહિતને બે ગઠિયા તફડાવી ગયા હતાં.
રાજસ્થાનના બિકાનેરના મૂળ વતની પરંતુ હાલ બાજવામાં વૃંદાવન ચોકડી પાસે ભાડાના મકાનમાં રહેતા ધીરજસિંહ દાયતપ્રભુદાસજી ચારણ ગુજરાત રિફાઇનરીમાં ઓપરેટર તરીકે નોકરી કરે છે. દિવાળીના તહેવારો હોવાથી તેઓ પરિવારના સભ્યો સાથે રાજસ્થાન જવા માટે સાંજે વડોદરા રેલવે સ્ટેશન પર આવ્યા હતાં અને બિકાનેર જવા માટે જનરલ ટિકિટ લઇને પ્લેટફોર્મ નંબર-૨ પર પહોંચ્યા હતાં.
What's Your Reaction?






