સુરત મીની ભારત બની જતાં ઉતરાયણના ઉંધીયામાં પણ વિવિધ વેરાઈટી

Jan 12, 2025 - 14:30
સુરત મીની ભારત બની જતાં ઉતરાયણના ઉંધીયામાં પણ વિવિધ વેરાઈટી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


સુરત મીની ભારત બની ગયું છે તેમ છતાં ઉતરાયણનો તહેવાર તો અસલ સુરતી સ્ટાઈલમાં જ ઉજવણી કરવામા આવે છે. જોકે, વર્ષ પહેલા સુરતમાં એક માત્ર સુરતી ઉંધીયુ ઉતરાયણમાં વેચાતું હતું પરંતુ સુરતમાં અનેક જિલ્લા અને અનેક પ્રાંતના લોકો વસવાટ કરતા હોય ઉતરાયણમાં ઉંધીયાનો તો ટ્રેન્ડ યથાવત રહ્યો છે પરંતુ શહેરના વિવિધ વિસ્તાર પ્રમાણે ઉતરાયણમાં અસલ સુરતી ઉંધીયા સાથે, કાઢીયાવાડી, જૈન, તીખા ઊંધીયામનું વેચાણ થઈ રહ્યું છે. સુરતમાં અનેક જાતના ઉંધીયાનું વેચાણ થાય છે પરંતુ આજે પણ અસલ સુરતી ટેસ્ટનું ઉંધીયું લોકોની પહેલી પસંદ બની રહ્યું છે. 

સુરત મીની ભારત બની રહ્યું છે અને સુરતના કેટલાક વિસ્તાર મીની સૌરાષ્ટર્ બની ગયાં છે. તેમ છતાં મોટા ભાગના તહેવાર તો અસલ સુરતી રંગે રંગાયા હોવાથી સુરતી સ્ટાઈલથી ઉજવણી કરવામાં આવે છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0