સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં મકાનની દીવાલ ધરાશાયી થતાં ત્રણ બાળકો દટાયા, બેના કરુણ મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Khedbrahma, Sabarkantha News : ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે, ત્યારે કેટલીક જગ્યાએ મકાનની દીવાલ ધરાશાયી થવાની ઘટના સામે આવતી હોય છે. તેવામાં સાબરકાંઠાના ખેડબ્રહ્યા પંથકમાં પણ ઘણા સમયથી ભારે વરસાદ ખાબકી છે, ત્યારે રતનપુર ગામમાં ભારે વરસાદને લીધે એક કાચા મકાનની દીવાલ ધરાશાયી થતાં દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં બે બાળકોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. જ્યારે અન્ય એક બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. બે બાળકોના મોત થતાં પરિવારમાં શોક છવાયો છે.
What's Your Reaction?






