વડોદરામાં આઠ મહિનામાં ૭ બ્રેઇનડેડ દર્દીઓના ઓર્ગન ડોનેશનથી ૩૦ લોકોના જીવનમાં ઉજાસ ફેલાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરા,વડોદરામાં આ વર્ષે અકસ્માત અને ગંભીર બીમારીના કારણે બ્રેઇનડેડ થયેલા સાત લોકોના કિડની, લિવર અને આંખોનું દાન કરવામાં આવ્યું હતું. સયાજી હોસ્પિટલમાં જ બે દર્દીઓના ઓર્ગન ડોનેશન કરવામાં આવ્યા હતા.એક દાતા પોતાના ૧૧ અંગોનું દાન કરી શકે છે.
૧૩ મી ઓગસ્ટને વર્લ્ડ ઓર્ગન ડોનેશન ડે તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. લિવર, કિડની, હાર્ટ અને આંખોની સમસ્યાથી પીડાતા દર્દીઓને નવું જીવન આપવા માટે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે. ગંભીર ઇજાગ્રસ્ત થયેલા અને બીમારીથી બ્રઇેન ડેડ થયેલા દર્દીઓના સગાને ડોક્ટર દ્વારા ઓર્ગન ડોનેશનનું મહત્વ સમજાવવામાં આવે છે.
What's Your Reaction?






