"ખેડૂતોને ગીરવે મૂક્યા તો ખેર નથી," અમરેલીથી શરૂ થયેલા 'ખેડૂત સત્યાગ્રહ'માં ધાનાણીની AAP-સરકારને ચિમકી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Congress Kheti Bachao Satyagraha : કમોસમી માવઠાના કારણે પાકને થયેલા નુકસાન મુદ્દે પીડિત ખેડૂતોની વ્હારે કોંગ્રેસ આવી છે. કોંગ્રેસ દ્વારા વડીયા ખાતેથી 'ખેતી બચાવો સત્યાગ્રહ' આંદોલનનો આરંભ કરવામાં આવ્યો છે. પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણી અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતની આગેવાની હેઠળ ખેડૂતોને સાથે રાખીને જન આંદોલન શરૂ કરાયું છે.
કોંગ્રેસના નેતાઓ અને ખેડૂતોએ રેલી સ્વરૂપે સૂત્રોચ્ચાર કરતા મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા. ત્યાં તેમણે મામલતદારને આવેદનપત્ર પાઠવીને ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરવાની માંગણી કરી હતી. આ સમયે પરેશ ધાનાણીએ કપાસ અને મગફળીના ટોપલા મામલતદારને અર્પણ કરીને ખેડૂતોના 'કર્મ ફૂટ્યા' હોવાનો વસવસો વ્યક્ત કર્યો હતો.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

