માધવપુર મેળામાં પીવાના પાણીના સ્ટોલ વહેલા બંધ કરી દેવાતા રોષ

લોકોને સરળતાથી શુદ્ધ પીવાનું પાણી મળવાના તંત્રના દાવા વચ્ચેપાણી પુરવઠા બોર્ડના અધિકારીએ દોડી જઈ સ્ટોલ શરૂ કરાવ્યો કોન્ટ્રાક્ટર દ્વારા પીવાના પાણી નું વિતરણ બંધ કરાયું હતું માધવપુરના મેળામાં પીવાના પાણીના સ્ટોલ વહેલા બંધ કરી દેવાતા લોકોમાં રોષ જોવા મળતો હતો અને આ અંગે હોબાળો મચ્યા બાદ પાણી પુરવઠા બોર્ડના અધિકારીએ દોડી જઈ ફ્રી સ્ટોલ શરુ કરાવ્યો હતો. માધવપુર મેળાના વિશાળ મેદાનમાં પથરાયેલા વિવિધ સ્ટોલ્સ, રાઈડ, દુકાનો વગેરેને માણતા લોકોને તેમજ સેવારત પોલીસ, ફયર, ઇલેક્ટ્રિક, આરોગ્ય અને અન્ય તમામ સ્ટાફ્ અને રાઇડ્સના અને સ્ટોલના લોકો માટે સરળતાથી શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે રીતે પીવાના પાણીના પોઇન્ટ તૈયાર કરવામાં આવ્યા હોવાનું તંત્ર એ જાહેર કર્યું હતું પરંતુ ગઈ કાલે રાત્રે સાડા દસ વાગ્યે જ કોન્ટ્રાક્ટર દ્વારા પીવાના પાણી નું વિતરણ બંધ કરાયું હતું જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળતો હતો. પાણી પુરવઠા બોર્ડના અધિકારી દામા પણ તુરંત સ્થળ પર દોડી આવ્યા હતા અને કોન્ટ્રાક્ટર ને સુચના આપી પાણી વિતરણ ફ્રિ શરુ કરાવ્યું હતું ત્યાર બાદ હજારો લોકો એ પીવાના પાણીની આ સુવિધાનો લાભ લીધો હતો.મેળો મોડે સુધી ચાલુ રહેતો હોવા છતાં પીવાના પાણીનું વિતરણ બંધ કરી દેવામાં આવતા મેળો ચાલુ રહે ત્યાં સુધી પાણી વિતરણ પણ શરુ રાખવા માંગ ઉઠી છે .

માધવપુર મેળામાં પીવાના પાણીના સ્ટોલ વહેલા બંધ કરી દેવાતા રોષ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • લોકોને સરળતાથી શુદ્ધ પીવાનું પાણી મળવાના તંત્રના દાવા વચ્ચે
  • પાણી પુરવઠા બોર્ડના અધિકારીએ દોડી જઈ સ્ટોલ શરૂ કરાવ્યો
  • કોન્ટ્રાક્ટર દ્વારા પીવાના પાણી નું વિતરણ બંધ કરાયું હતું
  • માધવપુરના મેળામાં પીવાના પાણીના સ્ટોલ વહેલા બંધ કરી દેવાતા લોકોમાં રોષ જોવા મળતો હતો અને આ અંગે હોબાળો મચ્યા બાદ પાણી પુરવઠા બોર્ડના અધિકારીએ દોડી જઈ ફ્રી સ્ટોલ શરુ કરાવ્યો હતો.

માધવપુર મેળાના વિશાળ મેદાનમાં પથરાયેલા વિવિધ સ્ટોલ્સ, રાઈડ, દુકાનો વગેરેને માણતા લોકોને તેમજ સેવારત પોલીસ, ફયર, ઇલેક્ટ્રિક, આરોગ્ય અને અન્ય તમામ સ્ટાફ્ અને રાઇડ્સના અને સ્ટોલના લોકો માટે સરળતાથી શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે રીતે પીવાના પાણીના પોઇન્ટ તૈયાર કરવામાં આવ્યા હોવાનું તંત્ર એ જાહેર કર્યું હતું પરંતુ ગઈ કાલે રાત્રે સાડા દસ વાગ્યે જ કોન્ટ્રાક્ટર દ્વારા પીવાના પાણી નું વિતરણ બંધ કરાયું હતું જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળતો હતો. પાણી પુરવઠા બોર્ડના અધિકારી દામા પણ તુરંત સ્થળ પર દોડી આવ્યા હતા અને કોન્ટ્રાક્ટર ને સુચના આપી પાણી વિતરણ ફ્રિ શરુ કરાવ્યું હતું ત્યાર બાદ હજારો લોકો એ પીવાના પાણીની આ સુવિધાનો લાભ લીધો હતો.મેળો મોડે સુધી ચાલુ રહેતો હોવા છતાં પીવાના પાણીનું વિતરણ બંધ કરી દેવામાં આવતા મેળો ચાલુ રહે ત્યાં સુધી પાણી વિતરણ પણ શરુ રાખવા માંગ ઉઠી છે .