છાણી વિસ્તારમાં રોગચાળા મુદ્દે લોકોના રોષનો ભોગ બન્યા આરોગ્ય અમલદાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Vadodara Corporation : વડોદરા શહેરના છાણી વિસ્તારમાં આવેલા એકતા નગરમાં છેલ્લા કેટલાક દિવસથી પાણીજન્ય રોગચાળો ફાટી નીકળ્યો છે. આ વિસ્તારમાં કમળા સહિત પાણીજન્ય રોગચાળાથી પીડાતા અનેક દર્દીઓ દવાખાનામાં અને સ્થાનિક અર્બન હેલ્થ સેન્ટરમાં દાખલ છે. ત્યારે આ વિસ્તારની મુલાકાત લઈને પરિસ્થિતિનો તાગ મેળવવાનો પ્રયત્ન કરતા ઉશ્કેરાયેલા સ્થાનિક લોકોએ હંગામી આરોગ્ય અમલદારનો હુરિયો બોલાવીને ઘેરાવો કર્યો હતો. દસેક દિવસથી જાણ થવા છતાં પણ હંગામી આરોગ્ય અમલદારને વિસ્તારની મુલાકાત માટે આજે સમય મળ્યો હતો.
ઉલ્લેખનીય છે કે દિવાળીના તહેવારોને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે છાણી વિસ્તારમાં આવેલ એકતા નગરમાં પાણીજન્ય ઝાડા, ઉલટી, કમળા જેવા રોગચાળામાં બાળકો સહિત અનેક લોકો સપડાયા છે.
What's Your Reaction?






