Ahmedabad News: દિવાળીના તહેવારમાં AMC દ્વારા 12 આરોગ્ય કેન્દ્રોમાં ઈમરજન્સી વોર્ડ તૈયાર કરાયા, ડોક્ટરોને સ્ટેન્ડ બાય રહેવા સૂચના

Oct 16, 2025 - 20:00
Ahmedabad News: દિવાળીના તહેવારમાં AMC દ્વારા 12 આરોગ્ય કેન્દ્રોમાં ઈમરજન્સી વોર્ડ તૈયાર કરાયા, ડોક્ટરોને સ્ટેન્ડ બાય રહેવા સૂચના

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દિવાળીના તહેવારમાં ફાટકડાથી દાઝવા અને અકસ્માતના અનેક બનાવો સામે આવતા હોય છે. આગ લાગવાની ઘટનાઓ પણ બનતી હોય છે. ત્યારે આવી ઘટનાઓમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા તૈયારી શરૂ કરવામાં આવી છે. શહેરમાં 12 આરોગ્ય કેન્દ્રો ખાતે ઈમરજન્સી વોર્ડ શરૂ કરવામાં આવ્યા છે.

12 આરોગ્ય કેન્દ્રમાં ઇમરજન્સી વોર્ડ શરૂ કરાયા

અમદાવાદમાં દિવાળીના તહેવારમાં દાઝવા અને અકસ્માત સહિતની ઘટનાઓ માટે મહાનગર પાલિકા દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. શહેરમાં 12 આરોગ્ય કેન્દ્રોમાં ઈમરજન્સી વોર્ડની શરૂઆત કરવામાં આવી છે. આ વોર્ડમાં દાઝવા, ઈજા, એલર્જી અને શરદી ખાંસી માટેની સારવાર કરવામાં આવશે. આ ઉપરાંત શ્વાસની તકલીફ જેવી બિમારી માટે પણ ઈમરજન્સી વોર્ડ શરૂ કરવામા આવ્યા છે.

શ્વાસની તકલીફ જેવી બીમારી માટે વોર્ડ શરૂ

અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા દિવાળીના દિવસોમાં શહેરની મહાનગર પાલિકા સંચાલિત 6 હોસ્પિટલોમાં ડોક્ટરોને જવાબદારી સોંપવામાં આવી છે. આ ડોક્ટરોને 24 કલાક ઈમરજન્સીમાં હાજર રહેવા સૂચના અપાઈ છે. દિવાળીના તહેવારોમાં ફટાકડાથી દાઝી જવું, ધુમાડાથી શ્વાસ ચઢવો, શરદી ખાંસી થવી, આંખની બિમારી અને એલર્જી સહિતની તકલીફોની સમસ્યા સર્જાય છે. જેના લીધે મહાનગર પાલિકાએ આગોતરી તૈયારીઓ કરી છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0