ગઢડા નજીક કારની ટક્કરે રાહદારીનું મોત

- અકસ્માત સર્જી કારને બીનવારસી છોડી ચાલક ફરાર સુરેન્દ્રનગર : મુળી-સરા રોડ પર ગઢડા ગામ નજીક કાર ચાલકે રાહદારીને અડફેટે લેતા પરપ્રાંતિય રાહદારીનું મોત નિપજ્યું હતું. જ્યારે કારને બિનવારસી છોડી ચાલક નાસી છુટયો હતો. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.   ગઢડા ગામ નજીક અણદાભાઇ કુકાભાઇ મુંધવા, દિવાકર ખીરહર કૈલાશખીરહર અને કૌશલકુમાર રાજકીશોર યાદવ ચાલીને જઇ રહ્યા હતા. તે દરમિયાન સડલા ગામ તરફથી પુરપાટ ઝડપે આવતી કારના ચાલકે કૌશલકુમાર યાદવને અડફેટે લેતા તે રસ્તાની સાઇડમાં ફંગોળાઇને પડતા ગંભીર ઇજાઓ થતાં મોત નિપજ્યું હતું. જ્યારે કારનો ચાલક અકસ્માત સર્જી નાસી છુટયો હતો અને આગળ જતા કાર રસ્તાની સાઈડમાં એક લીમડાના ઝાડ સાથે અથડાઇ હતી. બાદમાં ચાલક કાર મૂકી નાસી છુટયો હતો. આ બનાવ અંગે અણદાભાઇએ કાર ચાલક વિરૃદ્ધ મુળી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

ગઢડા નજીક કારની ટક્કરે રાહદારીનું મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- અકસ્માત સર્જી કારને બીનવારસી છોડી ચાલક ફરાર 

સુરેન્દ્રનગર : મુળી-સરા રોડ પર ગઢડા ગામ નજીક કાર ચાલકે રાહદારીને અડફેટે લેતા પરપ્રાંતિય રાહદારીનું મોત નિપજ્યું હતું. જ્યારે કારને બિનવારસી છોડી ચાલક નાસી છુટયો હતો. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.   

ગઢડા ગામ નજીક અણદાભાઇ કુકાભાઇ મુંધવા, દિવાકર ખીરહર કૈલાશખીરહર અને કૌશલકુમાર રાજકીશોર યાદવ ચાલીને જઇ રહ્યા હતા. તે દરમિયાન સડલા ગામ તરફથી પુરપાટ ઝડપે આવતી કારના ચાલકે કૌશલકુમાર યાદવને અડફેટે લેતા તે રસ્તાની સાઇડમાં ફંગોળાઇને પડતા ગંભીર ઇજાઓ થતાં મોત નિપજ્યું હતું.

 જ્યારે કારનો ચાલક અકસ્માત સર્જી નાસી છુટયો હતો અને આગળ જતા કાર રસ્તાની સાઈડમાં એક લીમડાના ઝાડ સાથે અથડાઇ હતી. બાદમાં ચાલક કાર મૂકી નાસી છુટયો હતો. આ બનાવ અંગે અણદાભાઇએ કાર ચાલક વિરૃદ્ધ મુળી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.