ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણીને લઈ પુરુષોત્તમ રૂપાલા સામે રાજકોટ કોર્ટમાં ફરિયાદ
ક્ષત્રિય સમાજના આગેવાન આદિત્ય ગોહિલે ફરિયાદ કરી છે રૂપાલા સામે કલમ 499, 500 મુજબ બદનક્ષીની ફરિયાદ કોર્ટે 2 સાક્ષીઓની તપાસણી કરવા 15 એપ્રિલની મુદ્દત રાખી પુરુષોત્તમ રૂપાલા સામે રાજકોટ કોર્ટમાં ફરિયાદ થઇ છે. જેમાં ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણીને લઈ ફરિયાદ નોંધાઈ છે. ત્યારે ક્ષત્રિય સમાજના આગેવાન આદિત્ય ગોહિલે ફરિયાદ કરી છે. જેમાં રૂપાલા સામે કલમ 499, 500 મુજબ બદનક્ષીની ફરિયાદ થઇ છે. કોર્ટે 2 સાક્ષીઓની તપાસણી કરવા 15 એપ્રિલની મુદ્દત રાખી કોર્ટે 2 સાક્ષીઓની તપાસણી કરવા 15 એપ્રિલની મુદ્દત રાખી છે. તથા શાબ્દિક ટિપ્પણીને લઈ રૂપાલાની મુશ્કેલીમાં વધારો થયો છે. ભાજપની કવાયત વચ્ચે ક્ષત્રિય આગેવાન લડી લેવાના મૂડમાં છે. તેમજ વિવાદ પૂર્ણ કરવા ભાજપના મોવડી મંડળની કવાયત વચ્ચે ક્ષત્રિય આગેવાનો માનવાના મૂડમાં નથી. તેમજ આદિત્ય ગોહિલે જણાવ્યું છે કે મને કોર્ટ અને ન્યાયાધિશ પર સંપૂર્ણ ભરોસો છે. કોઇ જ્ઞાતિ વિશે ઘસાતુ બોલવાનો કોઈ અધિકાર નથી. પુરુષોત્તમ રૂપાલા દ્વારા ચૂંટણી લક્ષી ભાષણ કરી ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણી કરી રજવાડાઓનું વિલિનિકરણ થયું એટલે દેશ બન્યો છે. રાજપૂત સમાજના તમામ યુવાનો આક્રમકતાથી લડશે. તેમજ વધુમાં જણાવ્યું છે કે ગત 24 તારીખના રોજ પુરુષોત્તમ રૂપાલા દ્વારા ચૂંટણી લક્ષી ભાષણ કરી ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણી કરવામાં આવી હતી. આ ભાષણ રૂપી ટિપ્પણી મામલે મને અંગત રૂપથી દુઃખની લાગણી થઇ છે. આ અંગે અમે કોર્ટમાં પિટિશન દાખલ કરી છે. જેને લઇને કોર્ટ દ્વારા અમને સાંભળી સાક્ષીઓ સાથે 15 એપ્રિલના રોજ હજાર થવા જણાવ્યું છે. ક્ષત્રિય સમાજ, રાજપૂત સમાજની તમામ સંસ્થાઓ લડત ચલાવી રહ્યા છે આ નિવેદન અંગે ક્ષત્રિય સમાજ, રાજપૂત સમાજની તમામ સંસ્થાઓ લડત ચલાવી રહ્યા છે. કોઈ મામલે આ મુદ્દે સમાધાન કરવામાં આવનાર નથી. માત્ર ક્ષત્રિય સમાજ જ નહી કોઈ પણ જ્ઞાતિ કે સમાજ વિશે ઘસાતું કે અન્ય ટિપ્પણી કરવી અયોગ્ય છે અને કરી પણ ન શકાય. આ મુદ્દે મિટિંગ કે બેઠક દ્વારા કોઈ સમાધાન શક્ય નથી. યુવકોની એક જ માંગણી છે કે ઉમેદવાર તરીકે પુરુષોત્તમ રૂપાલાને ઉમેદવાર તરીકે રદ્દ કરવાની મુખ્ય માંગણી છે. સમાજની એક જ માંગણી છે કે પુરુષોત્તમ રૂપાલાને ઉમેદવાર તરીકે હરાવવા જોઈએ. આ અંગે કોર્ટ દ્વારા ઇન્કવાયારી અંગે આદેશ આપેલો છે.
![ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણીને લઈ પુરુષોત્તમ રૂપાલા સામે રાજકોટ કોર્ટમાં ફરિયાદ](https://epapercdn.sandesh.com/images/2024/03/29/iCJyd3yVuxZx9SvzvNtIrcN9wS7HgJWC5xtQlCEg.jpg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- ક્ષત્રિય સમાજના આગેવાન આદિત્ય ગોહિલે ફરિયાદ કરી છે
- રૂપાલા સામે કલમ 499, 500 મુજબ બદનક્ષીની ફરિયાદ
- કોર્ટે 2 સાક્ષીઓની તપાસણી કરવા 15 એપ્રિલની મુદ્દત રાખી
પુરુષોત્તમ રૂપાલા સામે રાજકોટ કોર્ટમાં ફરિયાદ થઇ છે. જેમાં ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણીને લઈ ફરિયાદ નોંધાઈ છે. ત્યારે ક્ષત્રિય સમાજના આગેવાન આદિત્ય ગોહિલે ફરિયાદ કરી છે. જેમાં રૂપાલા સામે કલમ 499, 500 મુજબ બદનક્ષીની ફરિયાદ થઇ છે.
કોર્ટે 2 સાક્ષીઓની તપાસણી કરવા 15 એપ્રિલની મુદ્દત રાખી
કોર્ટે 2 સાક્ષીઓની તપાસણી કરવા 15 એપ્રિલની મુદ્દત રાખી છે. તથા શાબ્દિક ટિપ્પણીને લઈ રૂપાલાની મુશ્કેલીમાં વધારો થયો છે. ભાજપની કવાયત વચ્ચે ક્ષત્રિય આગેવાન લડી લેવાના મૂડમાં છે. તેમજ વિવાદ પૂર્ણ કરવા ભાજપના મોવડી મંડળની કવાયત વચ્ચે ક્ષત્રિય આગેવાનો માનવાના મૂડમાં નથી. તેમજ આદિત્ય ગોહિલે જણાવ્યું છે કે મને કોર્ટ અને ન્યાયાધિશ પર સંપૂર્ણ ભરોસો છે. કોઇ જ્ઞાતિ વિશે ઘસાતુ બોલવાનો કોઈ અધિકાર નથી.
પુરુષોત્તમ રૂપાલા દ્વારા ચૂંટણી લક્ષી ભાષણ કરી ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણી કરી
રજવાડાઓનું વિલિનિકરણ થયું એટલે દેશ બન્યો છે. રાજપૂત સમાજના તમામ યુવાનો આક્રમકતાથી લડશે. તેમજ વધુમાં જણાવ્યું છે કે ગત 24 તારીખના રોજ પુરુષોત્તમ રૂપાલા દ્વારા ચૂંટણી લક્ષી ભાષણ કરી ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણી કરવામાં આવી હતી. આ ભાષણ રૂપી ટિપ્પણી મામલે મને અંગત રૂપથી દુઃખની લાગણી થઇ છે. આ અંગે અમે કોર્ટમાં પિટિશન દાખલ કરી છે. જેને લઇને કોર્ટ દ્વારા અમને સાંભળી સાક્ષીઓ સાથે 15 એપ્રિલના રોજ હજાર થવા જણાવ્યું છે.
ક્ષત્રિય સમાજ, રાજપૂત સમાજની તમામ સંસ્થાઓ લડત ચલાવી રહ્યા છે
આ નિવેદન અંગે ક્ષત્રિય સમાજ, રાજપૂત સમાજની તમામ સંસ્થાઓ લડત ચલાવી રહ્યા છે. કોઈ મામલે આ મુદ્દે સમાધાન કરવામાં આવનાર નથી. માત્ર ક્ષત્રિય સમાજ જ નહી કોઈ પણ જ્ઞાતિ કે સમાજ વિશે ઘસાતું કે અન્ય ટિપ્પણી કરવી અયોગ્ય છે અને કરી પણ ન શકાય. આ મુદ્દે મિટિંગ કે બેઠક દ્વારા કોઈ સમાધાન શક્ય નથી. યુવકોની એક જ માંગણી છે કે ઉમેદવાર તરીકે પુરુષોત્તમ રૂપાલાને ઉમેદવાર તરીકે રદ્દ કરવાની મુખ્ય માંગણી છે. સમાજની એક જ માંગણી છે કે પુરુષોત્તમ રૂપાલાને ઉમેદવાર તરીકે હરાવવા જોઈએ. આ અંગે કોર્ટ દ્વારા ઇન્કવાયારી અંગે આદેશ આપેલો છે.