અમદાવાદમાં કમોસમી વરસાદ અને 'મિની વાવાઝોડા'એ તારાજી સર્જી, ખેડૂતોનો પાક પલળ્યો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Crop Damage Ahmedabad: અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કુદરત રૂઠી હોય તેમ ગુરૂવારે (19મી માર્ચ) મીની વાવાઝોડા સાથે ખાબકેલા કમોસમી વરસાદે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવી લીધો છે. બાવળા, ધોળકા, સાણંદ અને ખાસ કરીને ભાલ પંથકમાં તૈયાર થયેલા રવિ પાકને વ્યાપક નુકસાન થતા ખેડૂતો પર આભ ફાટ્યું છે.
ઘઉં-ચણાના પાકને નુકસાન
મળતી માહિતી અનુસાર, ધંધુકા અને ધોલેરા પંથકમાં હાલ ઘઉં અને ચણાના પાકની લણણી પૂરજોશમાં ચાલી રહી છે. અનેક ખેડૂતોએ પાક કાપીને ખળામાં રાખ્યો હતો, ત્યારે જ અચાનક આવેલા વાવાઝોડા અને વરસાદે તારાજી સર્જી છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

