અમદાવાદની રથયાત્રામાં પહેલીવાર AI ટેકનોલોજીનો ઉપયોગ, બેંગાલુરુ જેવી ઘટના ન બને તેનું રખાશે ધ્યાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Ahmedabad News: ગુજરાતના અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148 રથયાત્રા 27 જૂને નીકળવાની છે, ત્યારે અમદાવાદ શહેર પોલીસ દ્વારા રથયાત્રામાં સુરક્ષાને લઈને તમામ તૈયારી કરી લીધી છે. જેમાં રથયાત્રામાં પહેલીવાર AI ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. જ્યારે આજે રવિવારે (22 જૂન) અમદાવાદ પોલીસ કમિશનરે રથયાત્રા રૂટ પર નિરીક્ષણ કર્યું હતું. પોલીસ કમિશનરની સાથે ACP,DCP સહિતના અધિકારીએ પોઇન્ટના નિરીક્ષણમાં હાજર રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, 'રથયાત્રાને લઈને 20 હજારથી વધુ પોલીસ બંદોબસ્ત ગોઠવામાં આવશે. બેંગાલુરુ જેવી ઘટના ન બને તેનું ધ્યાન રાખવામાં આવશે.
What's Your Reaction?






