Vadodaraમાં કોલેરાના 6 કેસ તો પણ VMCના હેલ્થ બુલેટિનમાં એક પણ નહિ

કામગીરી કરવાને બદલે હાથ ઊંચા કરવા મનપાએ શૂન્ય કેસ બતાવ્યા જમનાબાઈ હોસ્પિટલ,ખાનગી હોસ્પિટલમાં 6 દર્દીઓ આવ્યા ગાંધીનગર શહેર અને જિલ્લામાં કોલેરાના વધુ કેસ સામે આવ્યા વડોદરામાં કોલેરાના 6 કેસ નોંધાયા છે. જેમાં જમનાબાઈ હોસ્પિટલ,ખાનગી હોસ્પિટલમાં 6 દર્દીઓ આવ્યા છે. તેમજ વીએમસીના હેલ્થ બુલેટિનમાં એક પણ કોલેરાનો કેસ નથી. પ્રતાપ નગર, શિયાબાગ, વાઘોડિયા રોડ સહિતના વિસ્તારોમાં દર્દીઓ નોંધાયા છે. તેમાં કામગીરી કરવાને બદલે હાથ ઊંચા કરવા મનપાએ શૂન્ય કેસ બતાવ્યા છે. ગાંધીનગર શહેર અને જિલ્લામાં કોલેરાના વધુ કેસ સામે આવ્યા વિપક્ષી નેતા દ્વારા આ વિસ્તારોને કોલેરા ગ્રસ્ત વિસ્તાર જાહેર કરવા માગ કરી છે. તેમજ ગુજરાતમા છેલ્લા ત્રણ મહિનામાં કોલેરાના 60 જેટલા કેસ નોંધાયા છે. જ્યારે બેથી ત્રણ જેટલા દર્દીનાં મોત થયા છે, દૂષિત પાણી અને ખોરાકના કારણે કોલેરાના કેસ ધીમે ધીમે વધી રહ્યા છે. રાજ્યમાં સૌથી વધુ ગાંધીનગર શહેર અને જિલ્લામાં કોલેરાના વધુ કેસ સામે આવ્યા છે. મૃતકોમાં રાજકોટ, બનાસકાંઠાના દર્દી સામેલ છે, આ ઉપરાંત અન્ય એક દર્દી ગાંધીનગરના હોવાનું કહેવાઈ રહ્યું છે. ચોમાસાની સિઝનમાં રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત છે, આ સંજોગોમાં રાજ્યના આરોગ્ય વિભાગે તાજેતરમાં જ તમામ સરકારી હોસ્પિટલોમાં પૂરતી દવાઓ, સાધનો રાખવા આદેશ આપ્યો હતો. રાજ્યમાં ત્રણ મહિનામાં કોલેરના 60 જેટલા કેસ સામે આવ્યા રાજ્યના આરોગ્ય વિભાગના સૂત્રોના કહેવા પ્રમાણે રાજ્યમાં ત્રણ મહિનામાં કોલેરના 60 જેટલા કેસ સામે આવ્યા છે. તબીબોના મતે કોલેરામાં જે તે દર્દીને ઝાડા-ઊલટી થાય છે, પાણીના અભાવે ડિહાઇડ્રેશનની તકલીફ થઈ શકે છે, જો યોગ્ય અને સમયસર સારવાર ન મળે તો દર્દીનાં મોત થતાં હોય છે. કોલેરા બેક્ટેરિયા ખરાબ ખોરાક અને ગંદા પાણીને કારણે ફેલાય છે. સૂત્રો કહે છે કે, રાજ્યના કેટલાક શહેરી ક્ષેત્રોમાં જે તે વિસ્તારોને કોલેરાગ્રસ્ત જાહેર કરવા માટે લોકલ બોડી સમક્ષ રજૂઆતો થઈ રહી છે, વડોદરામાં એવા આક્ષેપો થઈ રહ્યા છે કે, કોલેરાના કેસ જોવા મળી રહ્યા છે પરંતુ સ્થાનિક તંત્ર દ્વારા જાહેર કરાતાં નથી. આવા વિસ્તારમાં સર્વેલન્સ, પાણી, સ્વચ્છતા અને સોશિયલ મોબિલાઈઝેશન તાત્કાલિક શરૂ કરવાની પણ માગણીઓ ઊઠી છે.

Vadodaraમાં કોલેરાના 6 કેસ તો પણ VMCના હેલ્થ બુલેટિનમાં એક પણ નહિ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કામગીરી કરવાને બદલે હાથ ઊંચા કરવા મનપાએ શૂન્ય કેસ બતાવ્યા
  • જમનાબાઈ હોસ્પિટલ,ખાનગી હોસ્પિટલમાં 6 દર્દીઓ આવ્યા
  • ગાંધીનગર શહેર અને જિલ્લામાં કોલેરાના વધુ કેસ સામે આવ્યા

વડોદરામાં કોલેરાના 6 કેસ નોંધાયા છે. જેમાં જમનાબાઈ હોસ્પિટલ,ખાનગી હોસ્પિટલમાં 6 દર્દીઓ આવ્યા છે. તેમજ વીએમસીના હેલ્થ બુલેટિનમાં એક પણ કોલેરાનો કેસ નથી. પ્રતાપ નગર, શિયાબાગ, વાઘોડિયા રોડ સહિતના વિસ્તારોમાં દર્દીઓ નોંધાયા છે. તેમાં કામગીરી કરવાને બદલે હાથ ઊંચા કરવા મનપાએ શૂન્ય કેસ બતાવ્યા છે.

ગાંધીનગર શહેર અને જિલ્લામાં કોલેરાના વધુ કેસ સામે આવ્યા

વિપક્ષી નેતા દ્વારા આ વિસ્તારોને કોલેરા ગ્રસ્ત વિસ્તાર જાહેર કરવા માગ કરી છે. તેમજ ગુજરાતમા છેલ્લા ત્રણ મહિનામાં કોલેરાના 60 જેટલા કેસ નોંધાયા છે. જ્યારે બેથી ત્રણ જેટલા દર્દીનાં મોત થયા છે, દૂષિત પાણી અને ખોરાકના કારણે કોલેરાના કેસ ધીમે ધીમે વધી રહ્યા છે. રાજ્યમાં સૌથી વધુ ગાંધીનગર શહેર અને જિલ્લામાં કોલેરાના વધુ કેસ સામે આવ્યા છે. મૃતકોમાં રાજકોટ, બનાસકાંઠાના દર્દી સામેલ છે, આ ઉપરાંત અન્ય એક દર્દી ગાંધીનગરના હોવાનું કહેવાઈ રહ્યું છે. ચોમાસાની સિઝનમાં રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત છે, આ સંજોગોમાં રાજ્યના આરોગ્ય વિભાગે તાજેતરમાં જ તમામ સરકારી હોસ્પિટલોમાં પૂરતી દવાઓ, સાધનો રાખવા આદેશ આપ્યો હતો.

રાજ્યમાં ત્રણ મહિનામાં કોલેરના 60 જેટલા કેસ સામે આવ્યા

રાજ્યના આરોગ્ય વિભાગના સૂત્રોના કહેવા પ્રમાણે રાજ્યમાં ત્રણ મહિનામાં કોલેરના 60 જેટલા કેસ સામે આવ્યા છે. તબીબોના મતે કોલેરામાં જે તે દર્દીને ઝાડા-ઊલટી થાય છે, પાણીના અભાવે ડિહાઇડ્રેશનની તકલીફ થઈ શકે છે, જો યોગ્ય અને સમયસર સારવાર ન મળે તો દર્દીનાં મોત થતાં હોય છે. કોલેરા બેક્ટેરિયા ખરાબ ખોરાક અને ગંદા પાણીને કારણે ફેલાય છે. સૂત્રો કહે છે કે, રાજ્યના કેટલાક શહેરી ક્ષેત્રોમાં જે તે વિસ્તારોને કોલેરાગ્રસ્ત જાહેર કરવા માટે લોકલ બોડી સમક્ષ રજૂઆતો થઈ રહી છે, વડોદરામાં એવા આક્ષેપો થઈ રહ્યા છે કે, કોલેરાના કેસ જોવા મળી રહ્યા છે પરંતુ સ્થાનિક તંત્ર દ્વારા જાહેર કરાતાં નથી. આવા વિસ્તારમાં સર્વેલન્સ, પાણી, સ્વચ્છતા અને સોશિયલ મોબિલાઈઝેશન તાત્કાલિક શરૂ કરવાની પણ માગણીઓ ઊઠી છે.