Surendranagar: ધ્રાંગધ્રાના ડુમાણા ગામમાં શ્વાનોનો આતંક : ત્રણ બાળકોને બચકાં ભર્યાં

શાળાએ જતા બાળકોને શ્વાને બચકાં ભરતાં રાજસીતાપુર હોસ્પિટલ લઈ જવાયાંડુમાણા ગામે તાત્કાલિક શેરીઓમાં રખડતા શ્વાનોની સમસ્યા હલ કરવા ગ્રામજનોની માગણી હડકવા વિરોધી રસી ન મળતા અંતે બાળકોને રાજકોટ રસી આપવા લઈ જવા પડયા હતા ધ્રાંગધ્રા તાલુકાના ડુમાણા ગામે શ્વાનોનો આતંક જોવા મળ્યો છેશાળાએ જતા ત્રણ બાળકોને શ્વાને હાથે અને પગે બચકા ભરતા તેઓને સારવાર માટે રાજસીતાપુર હોસ્પિટલ લઈ જવાયા હતા. જોકે, કયાંક હડકવા વિરોધી રસી ન મળતા અંતે બાળકોને રાજકોટ રસી આપવા લઈ જવા પડયા હતા. સુરેન્દ્રનગર જિલ્લામાં કાયમ સરકારી હોસ્પિટલોમાં હડકવા વિરોધી રસીની અછત રહે છે. હાલ શ્વાનના કરડવાના બનાવો વધુ પ્રમાણમાં સામે આવી રહ્યા છે. ત્યારે ધ્રાંગધ્રાના ડુમાણા ગામે શ્વાનોનો આતંક જોવા મળ્યો હતો અને શાળાએ જતા 3 બાળકોને શ્વાનોએ હાથે-પગે બચકા ભર્યા હતા. આથી આ અંગે 108ને જાણ કરવામાં આવતા 108 દ્વારા બાળકોને રાજસીતાપુર હોસ્પિટલ લઈ જવાયા હતા. જેમાં રાજસીતાપુર હોસ્પિટલ, ધ્રાંગધ્રા હોસ્પીટલ કે જિલ્લાની મહાત્મા ગાંધી હોસ્પિટલમાં કયાંય હડકવા વિરોધી રસી ન હતી. આથી બાળકોને રસી મુકાવવા રાજકોટ લઈ જવાયા હતા. જેના લીધે ગ્રામજનોમાં આરોગ્ય વિભાગ સામે રોષની લાગણી વ્યાપી છે.

Surendranagar: ધ્રાંગધ્રાના ડુમાણા ગામમાં શ્વાનોનો આતંક : ત્રણ બાળકોને બચકાં ભર્યાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • શાળાએ જતા બાળકોને શ્વાને બચકાં ભરતાં રાજસીતાપુર હોસ્પિટલ લઈ જવાયાં
  • ડુમાણા ગામે તાત્કાલિક શેરીઓમાં રખડતા શ્વાનોની સમસ્યા હલ કરવા ગ્રામજનોની માગણી
  • હડકવા વિરોધી રસી ન મળતા અંતે બાળકોને રાજકોટ રસી આપવા લઈ જવા પડયા હતા
  • ધ્રાંગધ્રા તાલુકાના ડુમાણા ગામે શ્વાનોનો આતંક જોવા મળ્યો છે

શાળાએ જતા ત્રણ બાળકોને શ્વાને હાથે અને પગે બચકા ભરતા તેઓને સારવાર માટે રાજસીતાપુર હોસ્પિટલ લઈ જવાયા હતા. જોકે, કયાંક હડકવા વિરોધી રસી ન મળતા અંતે બાળકોને રાજકોટ રસી આપવા લઈ જવા પડયા હતા.

સુરેન્દ્રનગર જિલ્લામાં કાયમ સરકારી હોસ્પિટલોમાં હડકવા વિરોધી રસીની અછત રહે છે. હાલ શ્વાનના કરડવાના બનાવો વધુ પ્રમાણમાં સામે આવી રહ્યા છે. ત્યારે ધ્રાંગધ્રાના ડુમાણા ગામે શ્વાનોનો આતંક જોવા મળ્યો હતો અને શાળાએ જતા 3 બાળકોને શ્વાનોએ હાથે-પગે બચકા ભર્યા હતા. આથી આ અંગે 108ને જાણ કરવામાં આવતા 108 દ્વારા બાળકોને રાજસીતાપુર હોસ્પિટલ લઈ જવાયા હતા. જેમાં રાજસીતાપુર હોસ્પિટલ, ધ્રાંગધ્રા હોસ્પીટલ કે જિલ્લાની મહાત્મા ગાંધી હોસ્પિટલમાં કયાંય હડકવા વિરોધી રસી ન હતી. આથી બાળકોને રસી મુકાવવા રાજકોટ લઈ જવાયા હતા. જેના લીધે ગ્રામજનોમાં આરોગ્ય વિભાગ સામે રોષની લાગણી વ્યાપી છે.