Surat: ગણેશ પંડાલ પર પથ્થરમારો કરનાર 6 પૈકી 4 બાળકોએ સુરત છોડ્યુ

સુરતના સૈયદપુરામાં ગણેશ પંડાલ પર 6 બાળકો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. બચ્ચા ગેંગના છ છોકરાઓ પૈકી ચાર સુરત છોડી ગયા. પોલીસે જણાવ્યું હતું કે, છ સગીર બાળકો ઓટો રીક્ષામાં આવી પથ્થરો ફેંકી ગયા હતા. મંડપના નગારાને નુકસાન પહોંચાડી જતા રહ્યા હતા. લાલગેટ પોલીસે 6 બાળકોની અટકાયત કરી હતી. તમામ છ આરોપીઓને જુવેનાઇલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. 6 બાળકોનો છુટકારો થયા બાદ તેમાંથી ચાર બાળકો સુરત છોડી ગયા હતા. અને ચાર બાળકો પોતાના સગા સંબંધીને ત્યાં જતા રહ્યા છે. સુરતના સૈયદપુરામાં ગણેશ પંડાલ પર પથ્થરમારાના કેસમાં સ્ફોટક ખુલાસા થયા છે. જેમાં કિશોરોએ ચાલુ રિક્ષામાંથી પંડાલ પર પથ્થરમારો કર્યો હોવાનું બહાર આવ્યું હતું. ઉપરાંત કિશોરોને ઘટના બાદ કોઈ ખોફ ન હોય તેવું વર્તન હોવાનો પણ સૂત્રોએ દાવો કર્યો હતો. થોડા દિવસ અગાઉ સુરતના સૈયદપુરા ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટના બની હતી. જેમાં ગતરોજ કોર્ટે 23 આરોપીઓના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ત્યારે પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા હતા. જેમાં કિશોરોએ રિક્ષામાંથી પંડાલ પર પથ્થરમારો કર્યો હતો. ઉપરાંત આ ઘટનાને લઇ કિશોરોને ઘટનાનો કોઈ પસ્તાવો નથી. અને આરોપીઓ પોલીસને સહકાર ન આપી રહ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. ચાલુ રિક્ષામાંથી પથ્થરમારો કર્યો હતો સૈયદપુરામાં ગણેશ પંડાલ પર પથ્થરમારા કેસમાં પકડાયેલ છોકરાઓ ખુબ જ સાતિર દિમાગના છે. ઘટના ટાણે ચાલુ રિક્ષામાંથી છ નાના છોકરાઓએ પથ્થરમારો કર્યો હતો. જે ઘટનાએ મોટુ સ્વરૂપ ધારણ કરતા કોમી તોફાનમાં ફેરવાઈ હતી. પોલીસના અધિકારીઓ દ્વારા 6 છોકરાઓનું ઈન્ટ્રોગેશન કરવામાં આવ્યું હતું. જેમાં છોકરાઓને પોલીસનો કોઈ ખોફ ન હોય તેવું વર્તન જોવા મળ્યું હતું. ઉપરાંત ગોળ- ગોળ વાતો કરી પોલીસને છોકરાઓ ફેરવી રહ્યા હતા. આ તમામ છોકરોઓને આ બધું કોણે શીખવ્યું અને ઉશ્કેરણી કોણે કરી છે તેની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી હતી.

Surat: ગણેશ પંડાલ પર પથ્થરમારો કરનાર 6 પૈકી 4 બાળકોએ સુરત છોડ્યુ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતના સૈયદપુરામાં ગણેશ પંડાલ પર 6 બાળકો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. બચ્ચા ગેંગના છ છોકરાઓ પૈકી ચાર સુરત છોડી ગયા. પોલીસે જણાવ્યું હતું કે, છ સગીર બાળકો ઓટો રીક્ષામાં આવી પથ્થરો ફેંકી ગયા હતા. મંડપના નગારાને નુકસાન પહોંચાડી જતા રહ્યા હતા. લાલગેટ પોલીસે 6 બાળકોની અટકાયત કરી હતી. તમામ છ આરોપીઓને જુવેનાઇલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. 6 બાળકોનો છુટકારો થયા બાદ તેમાંથી ચાર બાળકો સુરત છોડી ગયા હતા. અને ચાર બાળકો પોતાના સગા સંબંધીને ત્યાં જતા રહ્યા છે.

સુરતના સૈયદપુરામાં ગણેશ પંડાલ પર પથ્થરમારાના કેસમાં સ્ફોટક ખુલાસા થયા છે. જેમાં કિશોરોએ ચાલુ રિક્ષામાંથી પંડાલ પર પથ્થરમારો કર્યો હોવાનું બહાર આવ્યું હતું. ઉપરાંત કિશોરોને ઘટના બાદ કોઈ ખોફ ન હોય તેવું વર્તન હોવાનો પણ સૂત્રોએ દાવો કર્યો હતો.

થોડા દિવસ અગાઉ સુરતના સૈયદપુરા ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટના બની હતી. જેમાં ગતરોજ કોર્ટે 23 આરોપીઓના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ત્યારે પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા હતા. જેમાં કિશોરોએ રિક્ષામાંથી પંડાલ પર પથ્થરમારો કર્યો હતો. ઉપરાંત આ ઘટનાને લઇ કિશોરોને ઘટનાનો કોઈ પસ્તાવો નથી. અને આરોપીઓ પોલીસને સહકાર ન આપી રહ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

ચાલુ રિક્ષામાંથી પથ્થરમારો કર્યો હતો

સૈયદપુરામાં ગણેશ પંડાલ પર પથ્થરમારા કેસમાં પકડાયેલ છોકરાઓ ખુબ જ સાતિર દિમાગના છે. ઘટના ટાણે ચાલુ રિક્ષામાંથી છ નાના છોકરાઓએ પથ્થરમારો કર્યો હતો. જે ઘટનાએ મોટુ સ્વરૂપ ધારણ કરતા કોમી તોફાનમાં ફેરવાઈ હતી.

પોલીસના અધિકારીઓ દ્વારા 6 છોકરાઓનું ઈન્ટ્રોગેશન કરવામાં આવ્યું હતું. જેમાં છોકરાઓને પોલીસનો કોઈ ખોફ ન હોય તેવું વર્તન જોવા મળ્યું હતું. ઉપરાંત ગોળ- ગોળ વાતો કરી પોલીસને છોકરાઓ ફેરવી રહ્યા હતા. આ તમામ છોકરોઓને આ બધું કોણે શીખવ્યું અને ઉશ્કેરણી કોણે કરી છે તેની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી હતી.