PM Kisan Yojna અરજી માટે આવ્યો નવો નિયમ, ફાર્મર આઈડી ફરજિયાત

Dec 22, 2024 - 18:30
PM Kisan Yojna અરજી માટે આવ્યો નવો નિયમ, ફાર્મર આઈડી ફરજિયાત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કિસાન યોજનાની અરજી માટે 1 જાન્યુઆરી ૨૦૨૫થી ફાર્મર આઈડી ફરજિયાત કરવામાં આવી છે. ભારત સરકાર દ્વારા પીએમ કિસાન યોજના હેઠળ પાત્રતા ધરાવતા ખેડૂતોની પોર્ટલ ઉપર નોંધણી સેલ્ફ રજીસ્ટ્રેશન દ્વારા કરવામાં આવે છે. આ નોંધણી માટે 1 જાન્યુઆરી ૨૦૨૫થી અરજદાર માટે ફાર્મર રજીસ્ટ્રી હેઠળનો ફાર્મર આઈડી ફરજિયાત કરવામાં આવ્યો છે. પોર્ટલ પર સેલ્ફ રજીસ્ટ્રેશન દ્વારા અરજી કરતી વખતે અરજદારે ફાર્મર આઈડી-ખેડુત નોધણી ક્રમાંક ફરજિયાત દાખલ કરવાનો રહેશે.

પીએમ કિસાન યોજના માટે પાત્રતા ધરાવતા ખેડૂતો વેબ પોર્ટલ અથવા મોબાઈલ એપ્લિકેશનથી જાતે અથવા ગ્રામ્ય કક્ષાએ કોમ્પ્યુટર ઓપરેટર મારફતે અરજી કરી શકે છે, પરંતુ તે માટે ફાર્મર આઈડી જરૂરી હોય છે. જે માટે ખેડુતે https://gjfr.agristack.gov.in પોર્ટલ પર જાતે અથવા ગામમાં કોમ્પ્યુટર ઓપરેટર મારફતે અરજી કરવાની રહેશે. વધુ માહિતી માટે ગામના ગ્રામસેવક અથવા તલાટી-કમ-મંત્રી અને તાલુકા કક્ષાએ તાલુકા વિકાસ અધિકારીનો સંપર્ક કરવા ખેતી નિયામક કચેરીની યાદીમાં જણાવ્યું છે.

કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો આગામી મહિનાનો હપ્તો મળે તે માટે આ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. નોંધનીય છે કે, ગુજરાતમાં એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ખેડૂત ખાતેદારના લેંડ રેકર્ડને યુનિક આઈ.ડી સાથે લીંક કરવા માટે ગત માસ એટલે કે ઓક્ટોબરની 15મી તારીખથી પોર્ટલ પર રજીસ્ટ્રેશન શરુ કરવામાં આવ્યું હતું. જો કે ટેક્નિકલ ખામી સર્જાતા થોડા દિવસો માટે પોર્ટલ પર રજીસ્ટ્રેશનની પ્રક્રિયા બંધ કરવામાં આવી હતી.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0