Surat News : સુરત કોર્ટનો મોટો નિર્ણય, શિક્ષક આપઘાત કેસમાં આરોપીઓના રિમાન્ડ મંજૂર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતના અથવાલાઈન્સ વિસ્તારમાં બનેલી અત્યંત કરુણ ઘટનામાં શિક્ષક અલ્પેશ મકવાણાએ પોતાના બે બાળકોને ઝેર આપીને તેમની હત્યા કર્યા બાદ પોતે આપઘાત કરી લીધો હતો. આ ઘટના પાછળના કારણોનો ખુલાસો થતાં પોલીસે મૃતકની પત્ની ફાલ્ગુની સોલંકી અને તેના પ્રેમી નરેશ રાઠોડની ધરપકડ કરી છે. આ બંને આરોપીઓને આજે સુરત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં કોર્ટે તેમના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
સુસાઈડ નોટ અને ડાયરીમાંથી ખુલ્યું રહસ્ય
આ કેસની તપાસ કરી રહેલી ઉમરા પોલીસને મૃતક અલ્પેશ મકવાણાની એક સુસાઈડ નોટ અને અંગત ડાયરી મળી હતી. આ દસ્તાવેજોમાં અલ્પેશે સ્પષ્ટપણે લખ્યું હતું કે, તેની પત્ની ફાલ્ગુનીના પ્રેમી નરેશ રાઠોડ સાથેના આડાસંબંધો અને તેના ત્રાસથી તે કંટાળી ગયો હતો. આ કારણે જ તેણે આ આત્યંતિક પગલું ભર્યું અને પોતાના નિર્દોષ બાળકોને પણ સાથે લઇ ગયો. આ સુસાઈડ નોટ અને ડાયરીના આધારે પોલીસે ફાલ્ગુની અને નરેશ સામે આત્મહત્યા માટે દુષ્પેરણાનો ગુનો દાખલ કર્યો હતો.
રિમાન્ડ દરમિયાન પોલીસની સઘન પૂછપરછ
પોલીસે કોર્ટમાં રજૂઆત કરી હતી કે, આ કેસમાં ઊંડાણપૂર્વક તપાસ કરવામાં માટે આરોપીઓના રિમાન્ડ જરૂરી છે. કોર્ટે પોલીસની રજૂઆતને માન્ય રાખીને બંને આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસ એ જાણવાનો પ્રયાસ કરશે કે, આ સમગ્ર ઘટનામાં તેમનો શું રોલ હતો. અલ્પેશને કઈ રીતે ત્રાસ આપવામાં આવતો હતો અને આ ગુના પાછળ કોઈ અન્ય કારણો છે કે કેમ. રિમાન્ડ દરમિયાન પોલીસ ફાલ્ગુની અને નરેશની કડક પૂછપરછ કરશે.
What's Your Reaction?






