Surat ભાજપ મહિલા કોર્પોરેટર આપઘાત કેસમાં સૌથી મોટો ખુલાસો, વાંચો Special Story

Dec 7, 2024 - 11:00
Surat ભાજપ મહિલા કોર્પોરેટર આપઘાત કેસમાં સૌથી મોટો ખુલાસો, વાંચો Special Story

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતના ભાજપ મહિલા નેતાના મૃતદેહ મુદ્દે ખુલાસો થયો છે,જેમાં સૂત્રો તરફથી માહિતી મળી છે કે,દીપિકા પટેલે આપઘાત કર્યો હોવાનો પીએમ રિપોર્ટમાં સૂત્રો તરફથી માહિતી સામે આવી છે,FSL,પીએમ રિપોર્ટમાં આપઘાત કર્યાનું તારણ સામે આવ્યું છે,આ સમગ્ર મામલે ચિરાગ સોલંકીની પણ પોલીસ પૂછપરછ કરી રહી છે.

જાણો ચિરાગ સોલંકીની તપાસમાં શું સામે આવ્યું

મૃતકે કોર્પોરેટર ચિરાગને કરેલા ફોનકોલની તપાસ કરવામાં આવી છે,જેમાં દીપિકા પટેલે ફોનકોલમાં કહ્યું હતું કે, હું આવી રીતે નહીં જીવી શકું હું બહુ ટેન્શનમાં છું, તું તારું જોઈ લે જે આવી વાત ચિરાગને કરી હતી તો ફોનકોલનો સંદર્ભ શોધવા પોલીસની કવાયત હજી પણ ચાલુ છે તો આ કેસમાં કોર્પોરેટર ચિરાગ પટેલનું નામ શંકાના દાયરામાં છે.શહેર ભાજપ યુવા મોરચાના નેતાનું નામ પણ ચર્ચામાં છે તેવી માહિતી સામે આવી રહી છે.પોલીસે દીપિકા આપઘાત મામલે FSL ની પણ મદદ લીધી હતી

આપઘાત પછી ચિરાગ સોલંકી પહોંચ્યો હતો ઘરે

દીપિકા પટેલે આપઘાત કર્યો ત્યારબાદ ચિરાગ સોલંકી તેના ઘરે પહોંચ્યો હતો,ચિરાગ સોલંકી હાથમાં ગ્લોઝ પહેરીને ઘરમાં ગયો હતો અને ચિરાગ સોલંકી દીપિકાને રોજના 10 થી 15 કોલ કરતો હતો તેવી વાત પણ સામે આવી રહી છે.દીપિકા પટેલે આપઘાત શા માટે કર્યો તે હજુ પણ રહસ્ય છે.કોર્પોરેટર ચિરાગની વધુ પૂછ પરછ માટે પોલીસે તેને આજે અલથાણ પોલીસ મથકે બોલાવી શકે છે તેવી માહિતી પણ સૂત્રો તરફથી મળી રહી છે.

આપઘાત મામલે ભાજપ કોર્પોરેટર પર ઉઠ્યા સવાલ

ભાજપના મહિલા નેતાના મોત બાદ અનેક સવાલો ઉઠ્યા છે. ત્યારે દીપિકાના આપઘાત બાદ ભાજપના કોર્પોરેટર ચિરાગ સોલંકીએ જ સૌપ્રથમ રૂમનો દરવાજો ખોલ્યો હતો અને ચિરાગે લટકી રહેલી દીપિકાને નીચે ઉતારી અને દુપટ્ટો કબાટમાં મુકી દીધો હતો. જે બાદ પરિવારજનો ચિરાગ સોંલકી પર આક્ષેપ કરી રહ્યા છે અને તટસ્થ તપાસની માગ કરી રહ્યા છે. સ્વજનોના મતે દીપિકાને કોઇ દ્વારા બ્લેકમેઇલિંગ અથવા મરવા મજબૂર કરાઇ હોવાનો આક્ષેપ પણ કરાયો છે.

પરિવારમાં બે દીકરા અને એક દીકરી છે

મળતી માહિતી પ્રમાણે અલથાણના ભીમરાડ ગામ ખાતે આવેલા બ્રાહ્મણ ફળિયામાં 34 વર્ષીય દીપિકાબેન નરેશભાઈ પટેલ પરિવાર સાથે રહેતા હતા. પરિવારમાં બે દીકરા અને એક દીકરી છે. પતિ ખેતી કામ કરે છે અને દીપિકાબેન સક્રિય રીતે ભાજપ સાથે જોડાયેલાં હતાં. હાલ દીપિકાબેન વોર્ડ નંબર 30ના મહિલા મોરચાના પ્રમુખ તરીકે પોતાની ફરજ અદા કરી રહ્યા હતા.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0