Sardar Sarovar ડેમમાંથી 2.50 લાખ ક્યૂસેક પાણી છોડાયુ, 11 ગામને કરાયા એલર્ટ

અંબાલી, બરકાલ, દિવેર, માલસર ગામને કરાયા એલર્ટગઈકાલે 12 લોકો 40 કલાક વ્યાસબેટમાં ફસાયા હતા 11 ગામના તલાટી અને સરપંચોને એલર્ટ રહેવા સૂચન નર્મદાના સરદાર સરોવર ડેમમાંથી 2.50 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું છે. ત્યારે ડેમમાંથી પાણી છોડવાને લઈ નર્મદા નદી કાંઠાના 11 ગામને સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી છે. સરદાર સરોવર ડેમમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડવાને લઈ શિનોર નર્મદા નદી કાંઠેના ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે. નર્મદા નદી કાંઠાના 11 ગામને સાવચેત રહેવા સૂચના તમને જણાવી દઈએ કે શિનોર તાલુકાના નર્મદા નદી કાંઠે આવેલા અંબાલી, બરકાલ, દિવેર, માલસર, દરિયાપૂરા, મોલેથા, ઝાંઝડ, કંજેઠા, શિનોર, માંડવા, સુરાશામળ ગામને તંત્રએ એલર્ટ રહેવા માટે કહ્યું છે અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા પણ 11 ગામના તલાટી અને સરપંચોને એલર્ટ રહેવાનું સૂચન કરવામાં આવ્યું છે. ત્યારે બરકાલ વ્યાસબેટ મંદિરેથી પૂજારી સહીત 12 લોકોને સાવચેતી અને તકેદારીના ભાગ રૂપે પોતાના બરકાલ ઘરે લાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે 12 લોકો 40 કલાક વ્યાસબેટમાં ફસાયા હતા. ગયા વર્ષે સરદાર સરોવર ડેમમાંથી 19 લાખ ક્યૂસેક કરતા પણ વધુ પાણી છોડવામાં આવ્યું હતું. હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે કે આજે અમદાવાદ, ગાંધીનગર, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી, દમણ, કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, દીવ, સોમનાથ, બોટાદમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે સાથે 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શકયતાઓ છે. ત્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. રાજસ્થાન તરફથી આવતા વરસાદી ટ્રફને લઈ આ આગાહી વ્યક્ત કરવામાં આવી છે. વરસાદના કારણે ખેડૂતોના પાકને નવુ જીવન મળશે હવામાન વિભાગની આગાહીને લઈને રાજ્યમાં માછીમારોને પણ દરિયો ના ખેડવાની સૂચના આપવામાં આવી છે, કારણ કે દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવાની શકયતાઓ રહેલી છે. હાલમાં જે વરસાદ વરસશે તેના કારણે ખેડૂતોના પાકને નવું જીવન મળશે સાથે નવો પાક રોપવો હશે તો પણ તે રોપી શકાશે, હાલ ગુજરાતમાં ખેડૂતો માટે છૂટો છવાયો વરસાદ મોટા આશીર્વાદ રૂપ બની રહેશે.

Sardar Sarovar ડેમમાંથી 2.50 લાખ ક્યૂસેક પાણી છોડાયુ, 11 ગામને કરાયા એલર્ટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અંબાલી, બરકાલ, દિવેર, માલસર ગામને કરાયા એલર્ટ
  • ગઈકાલે 12 લોકો 40 કલાક વ્યાસબેટમાં ફસાયા હતા
  • 11 ગામના તલાટી અને સરપંચોને એલર્ટ રહેવા સૂચન

નર્મદાના સરદાર સરોવર ડેમમાંથી 2.50 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું છે. ત્યારે ડેમમાંથી પાણી છોડવાને લઈ નર્મદા નદી કાંઠાના 11 ગામને સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી છે. સરદાર સરોવર ડેમમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડવાને લઈ શિનોર નર્મદા નદી કાંઠેના ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે.

નર્મદા નદી કાંઠાના 11 ગામને સાવચેત રહેવા સૂચના

તમને જણાવી દઈએ કે શિનોર તાલુકાના નર્મદા નદી કાંઠે આવેલા અંબાલી, બરકાલ, દિવેર, માલસર, દરિયાપૂરા, મોલેથા, ઝાંઝડ, કંજેઠા, શિનોર, માંડવા, સુરાશામળ ગામને તંત્રએ એલર્ટ રહેવા માટે કહ્યું છે અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા પણ 11 ગામના તલાટી અને સરપંચોને એલર્ટ રહેવાનું સૂચન કરવામાં આવ્યું છે. ત્યારે બરકાલ વ્યાસબેટ મંદિરેથી પૂજારી સહીત 12 લોકોને સાવચેતી અને તકેદારીના ભાગ રૂપે પોતાના બરકાલ ઘરે લાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે 12 લોકો 40 કલાક વ્યાસબેટમાં ફસાયા હતા. ગયા વર્ષે સરદાર સરોવર ડેમમાંથી 19 લાખ ક્યૂસેક કરતા પણ વધુ પાણી છોડવામાં આવ્યું હતું.

હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે કે આજે અમદાવાદ, ગાંધીનગર, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી, દમણ, કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, દીવ, સોમનાથ, બોટાદમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે સાથે 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શકયતાઓ છે. ત્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. રાજસ્થાન તરફથી આવતા વરસાદી ટ્રફને લઈ આ આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

વરસાદના કારણે ખેડૂતોના પાકને નવુ જીવન મળશે

હવામાન વિભાગની આગાહીને લઈને રાજ્યમાં માછીમારોને પણ દરિયો ના ખેડવાની સૂચના આપવામાં આવી છે, કારણ કે દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવાની શકયતાઓ રહેલી છે. હાલમાં જે વરસાદ વરસશે તેના કારણે ખેડૂતોના પાકને નવું જીવન મળશે સાથે નવો પાક રોપવો હશે તો પણ તે રોપી શકાશે, હાલ ગુજરાતમાં ખેડૂતો માટે છૂટો છવાયો વરસાદ મોટા આશીર્વાદ રૂપ બની રહેશે.