Sabarkantha: તલોદમાં જાહેરમાં મારામારી, 15 લોકોનું ટોળું ગુંડાગર્દી ઉપર ઉતરી આવ્યું

તલોદ બજારમાં ગાડી પર હુમલો કરી મારામારીસીતવાડાના અજય રાઠોડ સહિત 15 સામે નોંધાઈ ફરિયાદ પોલીસે અજય રાઠોડની કરી અટકાયત સાબરકાંઠાના તલોદમાં જાહેરમાં મારામારી કરવાની ઘટના સામે આવી છે. તલોદમા દિન દહાડે વાહન લે-વેચ મુદ્દે મારામારીની ઘટના બની હતી. ટ્રક ખરીદી હપ્તા કે ઈન્શ્યોરન્સ નહીં લઈ એક ઈસમ પર ટોળું ગુંડાગર્દી ઉપર ઉતરી આવ્યું હતું અને તલોદ બજારમાં ગાડી પર હુમલો કરી મારામારી કરી હતી. 15 લોકોના ટોળા સામે તલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ ત્યારે આ સમગ્ર ઘટના મામલે પ્રાંતિજ તાલુકાના સીતવાડા ગામના અજય જીતેન્દ્ર સિંહ રાઠોડ સહિત 15 લોકોના ટોળા સામે તલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે અને હુમલાખોર અજય રાઠોડની હાલમાં પોલીસે અટકાયત કરી છે. જ્યારે અન્ય ઈસમોની વીડિયો કૂટેજના આધારે ઓળખ અને ધરપકડ કરવા માટે પોલીસે પોતાના ચક્રો ગતિમાન કર્યા છે, ત્યારે આ પ્રકારના હુમલાખોરો સામે કડક કાર્યવાહી કરવામાં આવે માગ પણ ઉઠી છે. અમદાવાદના સરખેજમાં બે જૂથ વચ્ચે અથડામણ અમદાવાદમાં પણ આજે જૂથ અથડામણની ઘટના સામે આવી છે. સરખેજમાં બે જૂથ વચ્ચે અથડામણ થયુ હતું. હુસેની બેકરી વિસ્તારમાં બે જૂથ બાખડ્યા હતા. એક જ કોમના બે જૂથ વચ્ચે કોઈ બાબતને લઈને અથડામણ થયુ હતું અને જૂથ અથડામણ દરમિયાન ગાડીઓના કાચ અને એક્ટિવા તોડવામાં આવ્યું હતું. ત્યારે આ સમગ્ર મામલે સરખેજ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. ત્યારે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે સલીમ ચેતન અને ઈમરાન બેરાર વચ્ચે ચાલતી તકરારમાં આ જૂથ અથડામણ થયુ હતું.10 દિવસ અગાઉ બાવળાના અમિપુર ગામમાં બે જૂથ વચ્ચે અથડામણમાં ફાયરિંગ થયુ હતું 10 દિવસ અગાઉ જ અમદાવાદના બાવળા નજીક આવેલા અમિપુર ગામમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી અને બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાં રસ્તો ક્રોસ કરવા અને સરપંચની ચૂંટણીની અદાવતમાં ઘર્ષણ થયું હોવાનું સામે આવ્યું હતુ. ત્યારે આ સમગ્ર મામલે અમદાવાદ ગ્રામ્ય પોલીસે ક્રોસ ફરિયાદ કરી અને ડેપ્યુટી સરપંચ સહિત 18 આરોપી ધરપકડ કરી વધુ કાર્યવાહી શરૂ કરી છે.

Sabarkantha: તલોદમાં જાહેરમાં મારામારી, 15 લોકોનું ટોળું ગુંડાગર્દી ઉપર ઉતરી આવ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • તલોદ બજારમાં ગાડી પર હુમલો કરી મારામારી
  • સીતવાડાના અજય રાઠોડ સહિત 15 સામે નોંધાઈ ફરિયાદ
  • પોલીસે અજય રાઠોડની કરી અટકાયત

સાબરકાંઠાના તલોદમાં જાહેરમાં મારામારી કરવાની ઘટના સામે આવી છે. તલોદમા દિન દહાડે વાહન લે-વેચ મુદ્દે મારામારીની ઘટના બની હતી. ટ્રક ખરીદી હપ્તા કે ઈન્શ્યોરન્સ નહીં લઈ એક ઈસમ પર ટોળું ગુંડાગર્દી ઉપર ઉતરી આવ્યું હતું અને તલોદ બજારમાં ગાડી પર હુમલો કરી મારામારી કરી હતી.

15 લોકોના ટોળા સામે તલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

ત્યારે આ સમગ્ર ઘટના મામલે પ્રાંતિજ તાલુકાના સીતવાડા ગામના અજય જીતેન્દ્ર સિંહ રાઠોડ સહિત 15 લોકોના ટોળા સામે તલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે અને હુમલાખોર અજય રાઠોડની હાલમાં પોલીસે અટકાયત કરી છે. જ્યારે અન્ય ઈસમોની વીડિયો કૂટેજના આધારે ઓળખ અને ધરપકડ કરવા માટે પોલીસે પોતાના ચક્રો ગતિમાન કર્યા છે, ત્યારે આ પ્રકારના હુમલાખોરો સામે કડક કાર્યવાહી કરવામાં આવે માગ પણ ઉઠી છે.

અમદાવાદના સરખેજમાં બે જૂથ વચ્ચે અથડામણ

અમદાવાદમાં પણ આજે જૂથ અથડામણની ઘટના સામે આવી છે. સરખેજમાં બે જૂથ વચ્ચે અથડામણ થયુ હતું. હુસેની બેકરી વિસ્તારમાં બે જૂથ બાખડ્યા હતા. એક જ કોમના બે જૂથ વચ્ચે કોઈ બાબતને લઈને અથડામણ થયુ હતું અને જૂથ અથડામણ દરમિયાન ગાડીઓના કાચ અને એક્ટિવા તોડવામાં આવ્યું હતું. ત્યારે આ સમગ્ર મામલે સરખેજ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. ત્યારે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે સલીમ ચેતન અને ઈમરાન બેરાર વચ્ચે ચાલતી તકરારમાં આ જૂથ અથડામણ થયુ હતું.

10 દિવસ અગાઉ બાવળાના અમિપુર ગામમાં બે જૂથ વચ્ચે અથડામણમાં ફાયરિંગ થયુ હતું

10 દિવસ અગાઉ જ અમદાવાદના બાવળા નજીક આવેલા અમિપુર ગામમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી અને બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાં રસ્તો ક્રોસ કરવા અને સરપંચની ચૂંટણીની અદાવતમાં ઘર્ષણ થયું હોવાનું સામે આવ્યું હતુ. ત્યારે આ સમગ્ર મામલે અમદાવાદ ગ્રામ્ય પોલીસે ક્રોસ ફરિયાદ કરી અને ડેપ્યુટી સરપંચ સહિત 18 આરોપી ધરપકડ કરી વધુ કાર્યવાહી શરૂ કરી છે.