Rajkot Trp Game Zone: આ હત્યાકાંડ નથી દુર્ઘટના છે : કુંવરજી બાવળિયા

દુર્ઘટનાની વિગતે તપાસ થશેઃ બાવળિયા મુખ્યમંત્રી સાથે દુર્ઘટના અંગે ચર્ચાઃ બાવળિયા દુર્ઘટના પાછળ જવાબદાર સામે કાર્યવાહી થશે: બાવળિયા રાજકોટમાં જે રીતે આગની ઘટના બની તેને લઈ સમગ્ર ગુજરાતના લોકોમાં શોકની લાગણી છે,ગઈકાલ રાતથી આજ સવાર સુધીમાં અનેક મહાનુભાવો ઘટના સ્થળે તપાસ માટે પહોંચ્યા હતા.અનેક નેતાઓ,કોર્પોરેટરોએ આ સમગ્ર ઘટનાને લઈ દુખ વ્યકત કર્યું હતુ,મંત્રી કુંવરજી બાવળિયા આજે સવારે રાજકોટ પહોંચ્યા હતા.તેમણે મિડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે,જે રીતે બનાવ બન્યો છે એ જોતા લાગે છે કે, આ હત્યાકાંડ નથી દુર્ઘટના છે.દુર્ઘટના સ્થળની મુલાકાતે તપાસ કરવા માટે સરકારે આદેશ આપ્યા છે. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે હોસ્પિટલની મુલાકાત લીધી ગેમઝોનમાં લાગેલી ભયાનક આગમાં 28 લોકો બળીને ભડથું થઈ ગયા. ઘટના બાદ CM, PM સહિતનાઓએ ટ્વીટ કરી દુખ વ્યક્ત કર્યું હતું. જોકે ગઈકાલે રાત્રે લાગેલી આ આગ બાદ આજે એટલે કે, 25 મેના રોજ સવારે 9 વાગ્યે CM ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. ત્યાર બાદ તેઓ હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા હતા. ત્યાં જે દર્દીઓ દાઝી ગયા છે તેમની સાથે વાતચીત કરી ખબરઅંતર પૂછ્યા હતા. તેમજ મૃત્યુ પામેલા પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. 25 DNA સેમ્પલ ગાંધીનગર મોકલવામાં આવ્યા સવારે 4:30 વાગ્યે એર એમ્બ્યુલન્સ મારફતે 25 DNA ગાંધીનગર મોકલવામાં આવ્યા હતા. હવે 48 કલાક બાદ રિપોર્ટ આવશે. બે મૃતદેહોના સ્વજનો હજુ આવ્યા નથી. જૂનાગઢથી સ્વજનો આવી રહ્યા છે અને વિદેશથી આવેલા વ્યક્તિના કોઈ સંબંધી નથી આવ્યા. AIIMS હોસ્પિટલમાં 16 મૃતદેહ કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યા છે. 11 મૃતદેહો સિવિલ હોસ્પિટલમાં સ્ટોરેજ કરવામાં આવ્યા છે. ગુજરાત હાઇકોર્ટમાં રાજકોટ ગેમિંગ ઝોન મુદ્દે તાત્કાલિક સુનાવણી હાઇકોર્ટ એડવોકેટ એસોસિયેશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદી અને એડવોકેટ અમિત પંચાલ દ્વારા દલીલો ચાલુ આજે સ્પેશિયલ જજ બીરેન વૈષ્ણવ અને દેવેન દેસાઈની બેન્ચ બેસી છે.

Rajkot Trp Game Zone: આ હત્યાકાંડ નથી દુર્ઘટના છે : કુંવરજી બાવળિયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • દુર્ઘટનાની વિગતે તપાસ થશેઃ બાવળિયા
  • મુખ્યમંત્રી સાથે દુર્ઘટના અંગે ચર્ચાઃ બાવળિયા
  • દુર્ઘટના પાછળ જવાબદાર સામે કાર્યવાહી થશે: બાવળિયા

રાજકોટમાં જે રીતે આગની ઘટના બની તેને લઈ સમગ્ર ગુજરાતના લોકોમાં શોકની લાગણી છે,ગઈકાલ રાતથી આજ સવાર સુધીમાં અનેક મહાનુભાવો ઘટના સ્થળે તપાસ માટે પહોંચ્યા હતા.અનેક નેતાઓ,કોર્પોરેટરોએ આ સમગ્ર ઘટનાને લઈ દુખ વ્યકત કર્યું હતુ,મંત્રી કુંવરજી બાવળિયા આજે સવારે રાજકોટ પહોંચ્યા હતા.તેમણે મિડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે,જે રીતે બનાવ બન્યો છે એ જોતા લાગે છે કે, આ હત્યાકાંડ નથી દુર્ઘટના છે.દુર્ઘટના સ્થળની મુલાકાતે તપાસ કરવા માટે સરકારે આદેશ આપ્યા છે.

મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે હોસ્પિટલની મુલાકાત લીધી

ગેમઝોનમાં લાગેલી ભયાનક આગમાં 28 લોકો બળીને ભડથું થઈ ગયા. ઘટના બાદ CM, PM સહિતનાઓએ ટ્વીટ કરી દુખ વ્યક્ત કર્યું હતું. જોકે ગઈકાલે રાત્રે લાગેલી આ આગ બાદ આજે એટલે કે, 25 મેના રોજ સવારે 9 વાગ્યે CM ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. ત્યાર બાદ તેઓ હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા હતા. ત્યાં જે દર્દીઓ દાઝી ગયા છે તેમની સાથે વાતચીત કરી ખબરઅંતર પૂછ્યા હતા. તેમજ મૃત્યુ પામેલા પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.

25 DNA સેમ્પલ ગાંધીનગર મોકલવામાં આવ્યા

સવારે 4:30 વાગ્યે એર એમ્બ્યુલન્સ મારફતે 25 DNA ગાંધીનગર મોકલવામાં આવ્યા હતા. હવે 48 કલાક બાદ રિપોર્ટ આવશે. બે મૃતદેહોના સ્વજનો હજુ આવ્યા નથી. જૂનાગઢથી સ્વજનો આવી રહ્યા છે અને વિદેશથી આવેલા વ્યક્તિના કોઈ સંબંધી નથી આવ્યા. AIIMS હોસ્પિટલમાં 16 મૃતદેહ કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યા છે. 11 મૃતદેહો સિવિલ હોસ્પિટલમાં સ્ટોરેજ કરવામાં આવ્યા છે.

ગુજરાત હાઇકોર્ટમાં રાજકોટ ગેમિંગ ઝોન મુદ્દે તાત્કાલિક સુનાવણી

હાઇકોર્ટ એડવોકેટ એસોસિયેશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદી અને એડવોકેટ અમિત પંચાલ દ્વારા દલીલો ચાલુ આજે સ્પેશિયલ જજ બીરેન વૈષ્ણવ અને દેવેન દેસાઈની બેન્ચ બેસી છે.