Rajkot News : PGVGCLના ખાઈ બદેલા 5 એન્જિનિયરોની તાત્કાલિક કરાઈ બદલી

રાજકોટમાં  PGVGCLના અધિકારીઓની બદલી કામ ઝડપી ના થતું હોવાના કારણે કરાઈ બદલી ચીફ ઈજનેર સહિત 5 ઉચ્ચ અધિકારીઓની બદલી રાજકોટમાં પીજીવીસીએલના અધિકારીઓની તાત્કાલિક બદલી કરવામાં આવી છે,વાત એમ છે કે આ પાંચેય એન્જિનિયરો કામ કરતા ન હતા જેના કારણે સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.જેના કારણે બદલી કરવામાં આવી છે. જાણો કયા અધિકારીને કયા મૂકાયા ચીફ એન્જિનિયર ડી.વી.લાખાણીને ભાવનગર મુકાયા એડિશનલ ચીફ એન્જિનિયર પી.જે.મહેતાની જામનગર બદલી સુપ્રિડેન્ટ એન્જિનિયર કિરણ જે. પટેલની પોરબંદર બદલી એકઝિકયુટિવ એન્જિનિયર કે.એન.વાઘમશીની જામનગર બદલી નાયબ એન્જિનિયર ધરતી અતાણીની કલ્યાણપુર ખાતે બદલી અગાઉ PGVGCLની પરીક્ષામાં પણ અન્ય અધિકારીઓએ કૌભાંડ આચરાયુ હતું રાજકોટમાં 2021માં સક્સેસ ઈન્ફોટેક નામની કંપની દ્વારા વિદ્યુત સહાયકોની ભરતીની પરીક્ષાઓ લેવામાં આવી હતી. આ પરીક્ષામાં 400થી વધુ પરીક્ષાર્થીઓ પાસ થયાં હતાં. જોકે, પરિણામ બાદ વિદ્યુત સહાયકોની ભરતી પરીક્ષામાં કૌભાંડ થયું હોવાના આરોપ થયા હતા. જે બાદ પરીક્ષામાં ગોલમાલ થયાની ફરિયાદ સુરત ક્રાઈમ બ્રાન્ચ ખાતે કરવામાં આવી હતી. સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પરીક્ષા કેન્દ્રના માલિક, કોમ્પ્યુટર લેબ ઇન્ચાર્જ એજન્ટ સહિત 12 જેટલા વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. 30 કર્મચારીઓને છૂટા કરાયા PGVCLના 30 વિદ્યુત સહાયકોને ફરજ મુક્ત કરવામાં આવ્યા છે. સમગ્ર મામલે સુરત પોલીસની તપાસ બાદ શંકાસ્પદ પાસ થયેલા પરીક્ષાર્થીઓનું લીસ્ટ PGVCLને આપવામાં આવ્યા બાદ પીજીવીસીએલ દ્વારા તપાસ કરતા 30 જેટલા વિદ્યુત સહાયકોને ફરજ મૌકૂફ કરવામાં આવ્યા છે. રાજયકક્ષાની પરીક્ષામાં ગોલમાલ થયાની ફરિયાદ હતી રાજ્યકક્ષાની પરીક્ષામાં ગોલમાલ થયાની ફરિયાદ હતી. તેમજ ભરતીમાં રૂપિયા 10થી 15 લાખનો વહીવટ કરવામાં આવ્યો હતો. રાજકોટના વિદ્યુત સહાયકોને ફરજ મૌકુફ કરવાના મામલે પીજીવીસીએલના એડિશનલ જનરલ મેનેજર એચ.આર ડિપાર્ટમેન્ટના એ.આર.કટારાનું નિવેદન સામે આવ્યુ છે. જેમાં 30 પૈકી 11 કર્મચારીઓને 2023માં મૌકુફ કરવામાં આવ્યા હતા. તેમાં 19 કર્મચારીઓને 2024માં ફરજ મૌકુફ કરવામાં આવ્યા છે. તમામ કર્મચારીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવા બાબતે પણ આદેશ આપવામાં આવ્યો છે. તેમજ 2021માં ગુજરાતમાં 30 જેટલા સેન્ટર પર પરીક્ષા લેવામાં આવી હતી. પીજીવીસીએલ દ્વારા વિદ્યુત સહાયકોની ભરતી મામલે પરીક્ષા લેવામાં આવી હતી જે તે સમયે સરકારના ધ્યાન પર ગેરરીતિ થઈ હોવાનું ધ્યાન આવ્યું હતું. તેમજ પરીક્ષા લેનાર આઉટસોર્સિંગ એજન્સી દ્વારા કેટલાક પરીક્ષા કેન્દ્રો પર ગેરરીતી આચરવામાં આવી હતી. જે તે સમયે સુરત ખાતે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી. તથા 2021માં પીજીવીસીએલ દ્વારા વિદ્યુત સહાયકોની ભરતી મામલે પરીક્ષા લેવામાં આવી હતી.

Rajkot News : PGVGCLના ખાઈ બદેલા 5 એન્જિનિયરોની તાત્કાલિક કરાઈ બદલી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજકોટમાં  PGVGCLના અધિકારીઓની બદલી
  • કામ ઝડપી ના થતું હોવાના કારણે કરાઈ બદલી
  • ચીફ ઈજનેર સહિત 5 ઉચ્ચ અધિકારીઓની બદલી

રાજકોટમાં પીજીવીસીએલના અધિકારીઓની તાત્કાલિક બદલી કરવામાં આવી છે,વાત એમ છે કે આ પાંચેય એન્જિનિયરો કામ કરતા ન હતા જેના કારણે સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.જેના કારણે બદલી કરવામાં આવી છે.

જાણો કયા અધિકારીને કયા મૂકાયા

ચીફ એન્જિનિયર ડી.વી.લાખાણીને ભાવનગર મુકાયા

એડિશનલ ચીફ એન્જિનિયર પી.જે.મહેતાની જામનગર બદલી

સુપ્રિડેન્ટ એન્જિનિયર કિરણ જે. પટેલની પોરબંદર બદલી

એકઝિકયુટિવ એન્જિનિયર કે.એન.વાઘમશીની જામનગર બદલી

નાયબ એન્જિનિયર ધરતી અતાણીની કલ્યાણપુર ખાતે બદલી

અગાઉ PGVGCLની પરીક્ષામાં પણ અન્ય અધિકારીઓએ કૌભાંડ આચરાયુ હતું

રાજકોટમાં 2021માં સક્સેસ ઈન્ફોટેક નામની કંપની દ્વારા વિદ્યુત સહાયકોની ભરતીની પરીક્ષાઓ લેવામાં આવી હતી. આ પરીક્ષામાં 400થી વધુ પરીક્ષાર્થીઓ પાસ થયાં હતાં. જોકે, પરિણામ બાદ વિદ્યુત સહાયકોની ભરતી પરીક્ષામાં કૌભાંડ થયું હોવાના આરોપ થયા હતા. જે બાદ પરીક્ષામાં ગોલમાલ થયાની ફરિયાદ સુરત ક્રાઈમ બ્રાન્ચ ખાતે કરવામાં આવી હતી. સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પરીક્ષા કેન્દ્રના માલિક, કોમ્પ્યુટર લેબ ઇન્ચાર્જ એજન્ટ સહિત 12 જેટલા વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી.

30 કર્મચારીઓને છૂટા કરાયા

PGVCLના 30 વિદ્યુત સહાયકોને ફરજ મુક્ત કરવામાં આવ્યા છે. સમગ્ર મામલે સુરત પોલીસની તપાસ બાદ શંકાસ્પદ પાસ થયેલા પરીક્ષાર્થીઓનું લીસ્ટ PGVCLને આપવામાં આવ્યા બાદ પીજીવીસીએલ દ્વારા તપાસ કરતા 30 જેટલા વિદ્યુત સહાયકોને ફરજ મૌકૂફ કરવામાં આવ્યા છે.

રાજયકક્ષાની પરીક્ષામાં ગોલમાલ થયાની ફરિયાદ હતી

રાજ્યકક્ષાની પરીક્ષામાં ગોલમાલ થયાની ફરિયાદ હતી. તેમજ ભરતીમાં રૂપિયા 10થી 15 લાખનો વહીવટ કરવામાં આવ્યો હતો. રાજકોટના વિદ્યુત સહાયકોને ફરજ મૌકુફ કરવાના મામલે પીજીવીસીએલના એડિશનલ જનરલ મેનેજર એચ.આર ડિપાર્ટમેન્ટના એ.આર.કટારાનું નિવેદન સામે આવ્યુ છે. જેમાં 30 પૈકી 11 કર્મચારીઓને 2023માં મૌકુફ કરવામાં આવ્યા હતા. તેમાં 19 કર્મચારીઓને 2024માં ફરજ મૌકુફ કરવામાં આવ્યા છે. તમામ કર્મચારીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવા બાબતે પણ આદેશ આપવામાં આવ્યો છે. તેમજ 2021માં ગુજરાતમાં 30 જેટલા સેન્ટર પર પરીક્ષા લેવામાં આવી હતી.

પીજીવીસીએલ દ્વારા વિદ્યુત સહાયકોની ભરતી મામલે પરીક્ષા લેવામાં આવી હતી

જે તે સમયે સરકારના ધ્યાન પર ગેરરીતિ થઈ હોવાનું ધ્યાન આવ્યું હતું. તેમજ પરીક્ષા લેનાર આઉટસોર્સિંગ એજન્સી દ્વારા કેટલાક પરીક્ષા કેન્દ્રો પર ગેરરીતી આચરવામાં આવી હતી. જે તે સમયે સુરત ખાતે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી. તથા 2021માં પીજીવીસીએલ દ્વારા વિદ્યુત સહાયકોની ભરતી મામલે પરીક્ષા લેવામાં આવી હતી.