Rajkotમાં ચાંદીપુરા વાયરસને લઈને રાહત, બાળકી હાલ સ્વસ્થ

રાજકોટ સિવીલ દ્વારા જાણકારી આપવામાં આવી 20 તારીખે દાખલ થયેલ બાળકી હાલમાં સ્વસ્થ ડૉક્ટરોની સઘન સારવારથી ચાંદીપુરાથી રાહત રાજકોટની સિવીલ હોસ્પિટલમાં 20 તારીખના રોજ દાખલ થયેલ બાળકી હાલમાં સ્વસ્થ હોવાથી તેને રજા આપવામાં આવી છે. હાલમાં માત્ર આઠ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જેમની હાલત પણ સુધારા પર છે. રાજકોટ સિવીલના ડૉક્ટરની ટીમે માહિતી આપી રાજકોટ સિવીલ હોસ્પિટલના પીઆરઓ ડૉ. હેતલ ક્યાડા દ્વારા પત્રકાર પરિષદ યોજીને ચાંદીપુરાના દર્દીઓ વિશે જાણકારી આપવામાં આવી હતી. બાળકોના વિભાગના ડૉક્ટર પંકજ બુચે માહિતી આપતા જણાવ્યું હતું કે, મૂળ પડધરીના રહેવાસી પરિવારમાં બાળકીને ચાંદીપુરાના લક્ષણો જોવા મળેલ હતા. જેને જનાના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જે બાળકીની સારવાર કરતા ડૉક્ટરોએ પુરતી તકેદારી રાખતા બાળકીની તબિયત હાલમાં સ્વસ્થ છે. અને તેને રજા આપવામાં આવી છે. રાજકોટની સિવીલ હોસ્પિટલમાં સમગ્ર સૌરાષ્ટ્રના દર્દીઓ દાખલ થાય છે. અત્યાર સુધીમાં 20 દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી હાલમાં 8 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. સૌરાષ્ટ્રના અલગ-અલગ જિલ્લાના 8 દર્દીઓના મૃત્યુ થયા છે જેમાંથી એક દર્દીનો ચાંદીપુરા વાયરસનો કેસ પોઝિટીવ હતો. ડૉક્ટરોની વાલીઓને સલાહ રાજકોટ સિવીલ હોસ્પિટલના ડૉક્ટરોની ટીમે ચાંદીપુરા વાયરસને લઈને માતા-પિતાને સલાહ આપી હતી કે, વાલીઓએ આ બાબતે ખાસ તકેદારી રાખવી જોઈએ. તાવ કે આંચકી આવતી હોય તો તાત્કાલિક બાળકોને સુવિધાવાળી હોસ્પિટલમાં સારવાર કરાવવી જોઈએ.

Rajkotમાં ચાંદીપુરા વાયરસને લઈને રાહત, બાળકી હાલ સ્વસ્થ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજકોટ સિવીલ દ્વારા જાણકારી આપવામાં આવી
  • 20 તારીખે દાખલ થયેલ બાળકી હાલમાં સ્વસ્થ
  • ડૉક્ટરોની સઘન સારવારથી ચાંદીપુરાથી રાહત

રાજકોટની સિવીલ હોસ્પિટલમાં 20 તારીખના રોજ દાખલ થયેલ બાળકી હાલમાં સ્વસ્થ હોવાથી તેને રજા આપવામાં આવી છે. હાલમાં માત્ર આઠ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જેમની હાલત પણ સુધારા પર છે.

રાજકોટ સિવીલના ડૉક્ટરની ટીમે માહિતી આપી

રાજકોટ સિવીલ હોસ્પિટલના પીઆરઓ ડૉ. હેતલ ક્યાડા દ્વારા પત્રકાર પરિષદ યોજીને ચાંદીપુરાના દર્દીઓ વિશે જાણકારી આપવામાં આવી હતી. બાળકોના વિભાગના ડૉક્ટર પંકજ બુચે માહિતી આપતા જણાવ્યું હતું કે, મૂળ પડધરીના રહેવાસી પરિવારમાં બાળકીને ચાંદીપુરાના લક્ષણો જોવા મળેલ હતા. જેને જનાના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જે બાળકીની સારવાર કરતા ડૉક્ટરોએ પુરતી તકેદારી રાખતા બાળકીની તબિયત હાલમાં સ્વસ્થ છે. અને તેને રજા આપવામાં આવી છે. રાજકોટની સિવીલ હોસ્પિટલમાં સમગ્ર સૌરાષ્ટ્રના દર્દીઓ દાખલ થાય છે. અત્યાર સુધીમાં 20 દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી હાલમાં 8 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. સૌરાષ્ટ્રના અલગ-અલગ જિલ્લાના 8 દર્દીઓના મૃત્યુ થયા છે જેમાંથી એક દર્દીનો ચાંદીપુરા વાયરસનો કેસ પોઝિટીવ હતો.

ડૉક્ટરોની વાલીઓને સલાહ

રાજકોટ સિવીલ હોસ્પિટલના ડૉક્ટરોની ટીમે ચાંદીપુરા વાયરસને લઈને માતા-પિતાને સલાહ આપી હતી કે, વાલીઓએ આ બાબતે ખાસ તકેદારી રાખવી જોઈએ. તાવ કે આંચકી આવતી હોય તો તાત્કાલિક બાળકોને સુવિધાવાળી હોસ્પિટલમાં સારવાર કરાવવી જોઈએ.